________________
૧૭. આભ્યન્તર ત૫-૬ : કાયોત્સર્ગ
બીજાના ન્યાય-અન્યાયમાં ન પડો.
હવે એકલા ધ્યાનમાં ધ્યાન પણ કાયોત્સર્ગ સાથે હોય એનો જબરદસ્ત પ્રભાવ છે. કેમકે કાયોત્સર્ગમાં પ્રતિજ્ઞા સાથે કાયાને અને વાણીને સ્થિર કરી દેવામાં આવે છે, તથા અમુક ચોકસ પ્રકારનું નક્કી કરેલ ચિંતન કરાય છે.
શુભમાં મન-વચન-કાયાની સ્થિરતા એ અતિ ઉચ્ચ કોટિની સાધના છે. કાયોત્સર્ગમાં એ મળે છે. એથી કોટિ જનમના પાપ નાશ પામતાં વાર લાગતી નથી. મોટાં ઉપસર્ગમાં ગજસુકુમાળ, ખંધકસૂરિના ૫૦૦ શિષ્ય, વગેરેએ સ્થિરતાથી સર્વ કર્મક્ષય કરી મોક્ષ પામ્યા. ગિરિરાજ પર ૫ કોડ, ૧૦ ક્રોડ વગેરે મુનિઓ પણ એ સ્થિરતાથી મોક્ષ પામ્યા.
રોગમાં આર્તધ્યાન કેમ નહિ ? :
આર્તધ્યાનના પ્રકરણમાં આ વાત આવી કે મુનિને રોગ આવે તો એમને વેદનાનુબંધી આર્તધ્યાન કેમ નહિ ? એના ઉત્તરમાં કહ્યું કે મુનિ સમજે છે કે એવા કર્મનો ઉદય થાય તો રોગ આવે જ. પરંતુ રોગ ભોગવાતાં કર્મ ભોગવાઈ જાય છે, ને એથી કર્મક્ષય થાય છે, એ લાભ છે. તો પછી રોગમાં હાયવોય શી ? આમ મનની સ્થિરતા થવાથી મહાન લાભ છે.
આ જનમનાં કર્મ તો પ્રતિક્રમણ-આલોચના-પ્રાયશ્ચિત્તથી નાશ પામે છે, ત્યારે ભવાંતરનાં કર્મ તપથી યા ભોગવાઈને નષ્ટ થાય છે. એટલે પૂર્વનાં નષ્ટ નહિ થયેલાં કર્મ આ જનમમાં ઉદય આવતાં ભોગવવાં ય પડે ! ‘મુનિને આમ સમજ હોય એટલે રોગ ભોગવતાં એમને આર્તધ્યાન ન થાય.
કર્મના ઉદય બે પ્રકારે :
પ્રહ તો પછી એ રોગ ભોગવી જ લે ને ? દવા-ઉપચાર શું કામ કરે! એથી થોડો જ કર્મ-ઉદય મટે ?
ઉ૦ - કર્મના ઉદય બે જાતના હોય છે, -એક, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષા રાખનારા, અને બીજા, એવી અપેક્ષા નહિ રાખનારા. બહુ મરચા ખાઈ જાય તો અંદરમાં લ્હાય ઊઠે એ મરચાદ્રવ્યની અપેક્ષા રાખીને અશાતાવેદનીય કર્મ ઉદયમાં આવ્યું ગણાય. પરંતુ એમ જ એકાએક કેન્સર-લકવા જેવો વ્યાધિ ઊઠયો અને પીડા ઊપડી એમાં બાહ્ય દ્રવ્યાદિની અપેક્ષા વિના અશાતાકર્મનો ઉદય જાગ્યો કહેવાય.
6
ત્યારે અહીં પ્રશ્ન થાય કે,
પ્ર૦ - દ્રવ્યાદિની અપેક્ષાથી જે કર્મ ઉદય પામે તેને શું ઊદયનો નિયત કાળ નહિ કે અમુક કાળની જ એની સ્થિતિ પાકે ત્યારે ઉદય થાય જ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org