________________
શુદ્ધિક્રિયા કેમ થાય ?
૧૫૭
નાની પ્રભુ-દર્શનની ક્રિયા કરતા હોઈએ કે મોટી બીજી ધર્મક્રિયા કરતા હોઈએ પણ એમાં મન કેવું લાગેલું હોય ?
દરેક ધર્મ-ક્રિયામાં ઊંચા સંવેગ-વૈરાગ્ય સાથે પરમાત્મ ભક્તિના ઊછળત ભાવોલ્લાસ અને ઊંચી ધર્મ-લેશ્યા સાથે તન્મય મન બનેલું હોય.મનની આવી કેળવણી કરવા જેવી છે કે એ બધી ય ક્રિયા-આરાધના-સાધનામાં આ રીતે મન લાગેલું હોય. એનાથી આ ભવે, નહિતર આગામી ભવે અચિંત્ય ઊંચી આત્મદશા પ્રાપ્ત થાય.
મનનો રખડપાટ કેમ અટકે ? :
જયારે ક્રિયામાં આવી ઊંચી માનસિક તન્મયતા જરૂરી છે, તો સવાલ થાય કે રખડતા મને એ લાવવી કેવી રીતે ? એનો જવાબ આ જ છે કે ક્રિયાને આવું તન્મય મન બનાવવા માટે જ આરાધવી. જીવને જાગ્રત્ રાખવો કે ‘હું આ ક્રિયા કેમ કરું છું ? મનને તન્મય બનાવવા માટે. તો લાવ એમાં મન તન્મય રાખું.’ આ ઉદ્દેશ નક્કી કરીને પછી વારે વારે એ નજર સામે લાવવાથી મનનો રખડપાટ ઓછો કરી શકાય, તન્મયતા વધારી શકાય. ઊંચા ભાવોલ્લાસ જગાવી શકાય.
મનને એમ રહ્યા કરવું જોઈએ કે
‘મારે આ જીવનમાં શું કમાઈ જવા જેવું છે ?
સારું મન, સારું ધ્યાન,
બસ એ માટે જ બધી ય સાધના કરું.સાધના કરતાં કરતાં એવા ઊછળતા વિશુદ્ધ ભાવોલ્લાસ સાથે મન તન્મય રહે એ જોયા કરું. બીજા ફળની ચિંતા નથી. આવું મન આવું ધ્યાન બન્યું રહે એ જ મારે મહાન ફળ છે. એથી જ જીવની મુક્તિ નિશ્ચિંત થઈ જવાની.’
વલ્કલચીરીને ભાંડાની પડિલેહણમાં મન લાગ્યુ તો કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, નાગકેતુને પુષ્પ પૂજામાં એવી તન્મયતા થવાથી કૈવલ્ય પ્રાપ્ત થયું. ધર્મરુચિ અણગાર જીવસંહારક કડવી તુંબડી જાતે જ ખાઈ જઈ જીવદયામાં મન પરોવ્યું તો અનુત્તર વિમાને જઈ અવતર્યા.
શાસ્ત્ર કહે છે કે,
દરેક ધર્મપ્રવૃત્તિ-ધર્મક્રિયા જો મનના એકાગ્ર ઉપયોગથી થાય તો એ ધ્યાનમય બને છે. કેમકે એકાગ્ર ચિંતન એ ધ્યાન છે. એટલે જ સાધુ એક તો જ્ઞાનમાં અર્થાત્ સ્વાધ્યાયમાં લીન હોય તથા બીજું ધ્યાનમય ક્રિયા આચરતા હોય તો એ ‘જ્ઞાન-ધ્યાન’ માં લીન રહેનાર ગણાય. પછી અવસરે વિશેષ ધ્યાન ધર્મધ્યાન પદસ્થાદિ ધ્યાન કરે; એ એના આજ્ઞાવિચય અપાયવિચય, નવકારપદ, અરિહંતપિંડ, અરિહંત સ્વરૂપ વગેરે પ્રકારનું ચિંતન રાખ્યાથી થાય પરંતુ સામાન્યથી ‘જ્ઞાન-ધ્યાનમા ઉદ્યમ રાખજો’ એમાં ‘ધ્યાન’ નો અર્થ એકાગ્ર ચિત્તથી ક્રિયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org