SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ શસ્ક્રિક્રિયા કેમ થાય? (૧૫૫) પલાણ પૂજે ! “ચોમાસાના ચાર માસ બ્રહ્મચર્ય, નિત્ય એકાસણાં, પાંચ વિગઈત્યાગ, પાટણ બહાર તો નહિ પણ પાટણમાંય જીવરક્ષાર્થે ઘર દેરાસર અને ઉપાશ્રય સિવાય પ્રાય: કયાંય ફરવું નહિ.” આવો આવો ધર્મ કરે ! કુમારપાળે એવો ઉચ્ચ કોટિનો ધર્મ કયોં, આખા રાજ્યમાંથી જુગાર શિકાર માંસાહાર દારૂ ચોરી પરસ્ત્રી અને વેશ્યાગમન એ સાત વ્યસન દૂર કરાવી દીધાં ! ને એમાં ભલે લાખોના ખર્ચ કરીને પાણ પ્રજાને ઘોર પાપોથી બચાવી... આ બધું શી રીતે બન્યું ? દેવ-ગુરુ-ધર્મ હૈયે ચોંટી ગયા હતા અને એ માટે દુન્યવી સુખસામગ્રીને કોડીનાં લેખ્યા હતાં એટલે એ બન્યું. આ બનવાની પાછળ મૂળ કારણ કોણ ? પૂર્વ જન્મે પાંચ કોડીના પુષ્પથી કરેલી જિનેન્દ્રપૂજામાં મનથી ઊછળતા ભાવોલ્લાસવાળું તન્મય ધ્યાન રહ્યું હતું એનો એ પ્રતાપ હતો કે એથી ઊભા થયેલા સુસંસ્કરાણે અહીં ધર્મ શ્રદ્ધા અને ધર્મસાધન અવ્વલ કોટિનાં બનાવ્યા. ત્યારે કહો, શુભ ક્રિયામાં એવું શુભ ધ્યાન શું કામ કરે છે? આ અથાગ પુણ્યોપાર્જન, અઢળક પાપક્ષય અને જબરદસ્ત શુભ સંસ્કરાણ. શ્રાવક કે સાધુ ધર્મના શુભ આચાર અને શુભ ક્રિયાઓની બેપરવાઈ કરી એકાંતમાં ખૂણે બેસી કે એવું કોઈ ધ્યાન કરે એનાં આવાં ઊંચા ફળ આવ્યાના દાખલા ઓછા જાણવા મળશે. ત્યારે શુભ ક્રિયા વખતનાં શુભ ધ્યાનનાં ઊંચા ફળના દાખલા બહું જાણવા મળશે. જુઓ, દાનધર્મમાં શાલિભદ્રના જીવ પૂર્વ ભવે કરેલ ખીરનાં દાન વખતે જે ઊછળતી વિશુદ્ધ ભાવના સાથે ગુરુ ને દાન ધર્મમાં તન્મયતા સાધી અર્થાત્ એમાં એકતાન ધ્યાન કર્યું તો કેટલું ઊંચું ફળ આવ્યું ? દાન કર્યા પછી પણ મય ત્યાં સુધી ‘અહો કેવા ગુરુ ! કેવું દાન !' એમ અનુમોદનાનું જ ધ્યાન રાખેલું, એટલે ક્રિયાના વિષયમાં તન્મય મન એ જ ધ્યાન. એથી મહાલાભ ! આને બદલે મુનિને જતા કરી ખીર પોતે જ ખાઈ ગયો હોત ને કે ધ્યાન કર્યું હોત તો શું પામત? શીલ યાને વ્રત નિયમના ધર્મમાં વંકચૂળ ચોર જેવાએ નિયમ-પાલનમાં જે તન્મયતા યાને શુભ ધ્યાન રાખ્યું, એનું ફલ કેટલું ઊંચું આવ્યું ? એ, બારમાં દેવલોકે જઈ અવતર્યો ! દયાધર્મમાં મેઘકુમારના જીવ હાથીએ જે સસલાની દયા કરવામાં તન્મય મન રાખ્યું એનાં ફળમાં મેઘકુમારનો અવતાર અને રાજઋદ્ધિ છોડી ચારિત્ર-ગ્રહણ મળ્યાં. બધે શુભ ક્રિયામાં વિશુદ્ધ ભાવોલ્લાસથી મનની તન્મયતાં યાને શુભ ધ્યાન રહેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy