SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ ધ્યાન અને જીવન (૩) શુભ સંસ્કરણના લાભની વાતમાં કુમારપાળને પૂર્વ ભવે પુષ્પ પૂજામાંનાં શુભ ધ્યાનથી ત્રીજો લાભ શુભ સંસ્કરણનો થયો. એનું પિરણામ વળી કેવું સુંદર આવ્યું એ જુઓ. પુણ્યયોગે આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ મળી ગયા. કુમારપાળ જન્મે જૈન નહોતા, પરંતુ આચાર્ય મહારાજ પાસેથી વીતરાગ અરિહંત પરમાત્મા, નિર્રન્થ મુનિ અને જૈન ધર્મનું સ્વરૂપ સાંભળવા મળ્યું તો તે પૂર્વના સુસંસ્કારના યોગે ઝટ ગળે ઊતરી ગયું. એવું ઊતરી ગયું કે ૧૮ દેશના સામ્રાજ્યની સંપત્તિ એમજ ઊભી રહી અને જૈનધર્મનો ચોળમજીઠ રંગ લાગી ગયો, અને શક્ય અમલ ચાલું થઈ ગયો. શ્રવણ ગળે ઊતર્યું શાને કહેવાય ? : સાંભળેલું આ ગળે ઊતરવું સહેલું નથી; અંતરને પૂછી જો જો કે આપણને પણ આ સાંભળવા ક્યાં ઓછું મળે છે ? છતાં કેટલું ગળે ઊતરી અસ્થિમજ્જા ચોંટી જાય છે ? અહીં તો કુમારપાળને પૂર્વભવની પૂજામાંના પ્રબળ ધ્યાનથી એવું શુભ સંસ્કરણ થઈ ગયું છે કે એ સંસ્કારના યોગે અહીં સાંભળવા મળેલા શુદ્ધ ધર્મ માટે એમ લાગે છે કે ‘બરાબર આ વ્યાજબી છે. દેવ-ગુરુ-ધર્મ આવા જ હોય; અને એ જો મહાદુર્લભ વસ્તુ અહીં મળે છે તો એને શા માટે જતી કરવી ? આ તો એટલી બધી ઊંચી ચીજ છે કે આની આગળ દુન્યવી કોઈ ચીજ, કોઈ સુખ, કોઈ સન્માન કિંમતી નથી. લેશ પણ મહત્વનાં નથી.’ ' શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ગળે ઊતરવા એટલે એની આગળ કોઈ જ દુન્યવી સુખસગવડ-સામગ્રી-સન્માન લેશ પણ મહત્વનાં ન લાગે, કશીજ કિંમતના ન લાગે. બોલો, તમને આ રીતે દેવ-ગુરુ-ધર્મ હૈયે ચોટી ગયા છે ? એજ મહત્વના, અને દુનિયાના પદાર્થ માલ વિનાના, એવું લાગે ખરું ? હૈયે ચોંટયાની આ પરીક્ષા છે. તપાસી જોજો. એવું ન દેખાય તો હૃદયમાં દેવ-ગુરુ-ધર્મ ચોંટાડવા માટે આ ઉપાય છે કે દુનિયાને માલ વિનાની લેખો. પૈસા-ટકા, મેવા-પકવાન્ન, સારું રૂપ સ્પર્શ, કામિની-કુટુંબ વગેરેનું કશું મહત્વ નથી એમ દિલને ઠસાવો. એ બધું મરણ પછી આપણું નથી તેમજ પરલોકમાં સારું સ્થાન નક્કી કરી આપતું નથી, ને ઊલટું દુર્ગતિમાં ઉતારનારું છે. તો પછી એનું મહત્ત્વ શું લેખાય ? મહારાજા કુમારપાળને ધર્મ મળ્યા પછી દુનિયા કોડીની લાગી ગઈ હતી, તેથી દેવ-ગુરુ-ધર્મ હૈયામાં તાણે વાગે વણાઈ ગયા હતા. તેથીજ એમના જીવનની ધર્મની વાતો અલૌકિક જેવી જાણવા મળે છે ! અઢાર દેશનો સમ્રાટ પોતાના ૧૧ લાખ ઘોડાને પણ ગળેલું જ પાણી પીવરાવવાની કાળજી રાખે ! લડાઈ લડવા જવું છે એ વખતે યુદ્ધના ઘોડે બેસતાં પહેલાં બેસવામાં કોઈ જીવજંતુ ન મરે એ માટે પૂજગીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy