SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધિક્રિયા કેમ થાય? (૧૫૩ પુષ્પપૂજા કરી, એટલાથી બીજા ભવે ૧૮ દેશનાં સામ્રાજ્ય જેટલો મોટો વૈભવ, સત્તા, સન્માન વગેરે મળવાનું પુણ્ય શી રીતે ઊભું થયું ? કહો, એ શુભ ક્રિયામાં મને કોઈ પણ જાતના ફળની આશંસા વિના ઊછળતી વિશુદ્ધ ભાવનાથી તન્મય થઈ ગયું, અર્થાત પ્રબળ શુભ ધ્યાનમાં લાગી ગયું હતું એથી એવાં ઊચાં પુણ્ય, સાથે કોઈ પાપનાં ક્ષય અને જબરદસ્ત શુભ સંસ્કરણ થયું. આ પૂજામાં જો મન બીજે રખડતું હોત, અગર આમાં ઊછળતી વિશુદ્ધ ભાવનાથી તન્મય ન હોત, તો કાંઈ આવા ઊંચા ફળ નીપજત નહિ. આ રીતે તો તમે ય કયાં કમીના રાખો એમ છો ? પાંચ શું, પાંચસો કોડીના ફૂલ ચડાવી દો એમ છો. અરે ચડાવ્યા ય હશે. તો તેથી શું એ હિસાબનાં તમને ફળના ઢગલા મળશે ? ‘ભગવાન ભગવાન” કરો. એમ કાંઈ રખડતાં ચિત્તે કે મુડદાલ ચિત્તે એવાં ફળ મળે કરે નહિ. આ બતાવે છે કે કોઈ પણ ધર્મપ્રવૃત્તિમાં ઊછળતી વિશુદ્ધ ભાવનાથી મન તન્મય થાય, અર્થાત્ ધ્યાનસ્થ બને એનાં અકથ્ય અચિંત્ય ઊંચા ફળ મળે છે. પુષ્પપૂજાનાં ધ્યાનથી કયાં ફળનાં કેવા પરિણામ ? રાજા કુમારપાળના જીવને એવાં પુષ્પપૂજામાંના ઊંચા ધ્યાનનાં જે ફળ નીપજયાં એના પરિણામ કેવાં આવ્યાં એ જુઓ. (૧) પુણ્યોનો થાક ઉપાયો એથી ૧૮ દેશનું સામ્રાજ્ય, એટલો ઊંચો વૈભવ, કોડો કે અન્નેનું ધન, સુંદર શરીર, મહા સત્તાધીશતા, મહાન સન્માન-યશ-સૌભાગ્ય વગેરે વગેરે કેટલું ય મળ્યું. ત્યારે, (૨) જે પાપક્ષય થાય, એથી સંસારનો તીવ્ર રાગ, વિષયોની આંધળી આસક્તિ, મહા મિથ્યાત્વ, ક્ષુદ્રતા નિર્દયતા પાપની પ્રચંડ પ્રીતી વગેરે કરાવનારા કેઈ પાપો નટ થઈ ગયાં. આની સામે બીજા પાપ જાઓ કે સિદ્ધરાજના ભયથી જીવ બચાવવા વષ સુધી રખડતા અને ચિંથરેહાલ રહેવું પડ્યું, એ પાપોદય આ સંસારનો તીવ્ર રાગ વગેરે કરાવનાર પાયોદયની સામે શી વિસાતમાં છે? એટલે એવા ભટકાવનારા પાપોદયને મહત્ત્વ આપતા નહિ. મહત્વ તો જે મહા મિથ્યાત્વાદિ કરાવનારાં પાપો ગણાય એવું છે, પરંતુ એ તો સાફ થઈ ગયા. તેથી જ આત્મિક મહા ઉન્નતિને જગા મળી. નહિતર તો સંસારરંગ, મહામિથ્યાત્વ, અંધ વિષયાસકિત વગેરે કરાવનારા પાપ ઊભા હોય પછી ગુરુ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જેવા ભલે ને મળે, તેમજ કાન પર જિનવાણીના ધોધ ભલે ને વરસે,એનું એવું સારું ફળ ન આવે. એ તો એ પાપક્ષય પહેલાં કરો, પછી જ સારું પામવાની આશા રાખો. એ પાપોનો ક્ષય ચિત્તને શુભ ધ્યાનમાં રાખવાથી થાય. હવે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy