SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ધ્યાન અને જીવન અચિંત્ય અકલ્પ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે. અહીં ભક્તો જે આપનું દર્શન, આપનાં ગુણગાન, આપનું સ્મરણ, આપનું ધ્યાન, આપની ભક્તિ,...વગેરે વગેરે જે કરે છે, એમાં પ્રધાનતા દર્શનાદિની કરતાં આપની છે. ધ્યાન વગેરે તો કરે, પણ જે બીજાનું કરે તે ફળ ફાસકુસિયું; જયારે ધ્યાનાદિ આપનું કરે તો અચિંત્ય ફળનો લાભ થાય છે. અર્થાત્ ધ્યાનાદિ ક્રિયા તો બંને ઠેકાણે સરખી છે, છતાં ફળમાં એટલો મોટો તફાવત આલંબનના ફરકને લીધે પડે છે. તેથી પ્રધાનતા આલંબનની છે. તો પ્રભુ ! તું એ મારા માટે વિશ્વશ્રેષ્ઠ આલંબન બની મહાલાભ કરાવે છે, એ તારો કેટલો બધો અનન્ય ઉપકાર ! આમ પ્રભુ ! તારા ઉપકારોની પણ અવિધ નથી. આપનું સ્વરૂપ નિર્મળ સ્ફટિક જેવું, નિર્વિકાર, અનંત જ્ઞાનમય છે...' શુભ ચિંતનના ૪ લાભ : આ રીતે પ્રભુદર્શનની ક્રિયામાં જે ચિંતવના રખાય તો; ત્યાં મન સુસ્ત ન બને, બીજા-ત્રીજા વિચારો ન કરે; પણ સારા ધ્યાનમાં પકડાય. એમ દરેક ક્રિયામાં લક્ષ આ જોઈએ કે ‘આથી મારે મનને સારા ધ્યાનમાં રાખવું છે,' તો એ હેતુ સિદ્ધ કરવા માટે (૧) ક્રિયાનું રહસ્ય ચિંતવાય, (૨) સ્વરૂપ વિચારાય, (૩) ક્રિયામાં સૂત્ર બોલવાના હોય તો સૂત્રના પદ પદ લક્ષમાં લેવાય. ને (૪) એનો અર્થ-ભાવાર્થ વિચારાય. ક્રિયાનો ઉદ્દેશ જ આ રાખ્યો કે ‘આ કરીને મનને સારા ધ્યાનમાં રાખવું છે;’ તો સહેજે એનો પ્રયત્ન રહેવાનો, સારૂં ચિંતવન રહેવાનું. તેથી (૧) મન પવિત્ર બનતું જવાનું અને (૨) શુભ પુણ્ય તથા શુભ સંસ્કારનો સંચય થવાનો તથા (૩) વિપુલ કર્મક્ષયનો લાભ મળવાનો (૪) તેમ ધ્યાનધારા લાગવાની. ધ્યાનથી સર્વ કર્મક્ષય થાય છે. ભૂલતા નહિ ‘શુભ ધ્યાનથી સારું સંસ્કરણ થાય અને શુભ કર્મનો બંધ થાય તેમજ વિપુલ પાપક્ષયનો પણ લાભ મળે' -આવી વાત આવે ત્યારે આ શુભધ્યાન એટલે માત્ર ખૂણામાં એકાંતમાં બેસીને કોઈ ‘ૐ’ ‘અર્હ’ વગેરેનું ધ્યાન ધરાય એ જ ધ્યાન, એમ સમજતા નહિ; કિન્તુ કોઈ પણ શુભ પ્રવૃત્તિમાં મન નિરાશંસ ભાવે વિશુદ્ધ ભાવનાથી તન્મય થાય એ બધું અહીં શુભ ધ્યાન તરીકે સમજવાનું છે. મનને થશે કે ‘તો શું આના આટલા ઊંચા લાભ ? હા, આના એવા ઊંચા લાભ કે જે આપણી કલ્પનામાં ન આવે. ૧૬ : શુદ્ધક્રિયા કેમ થાય ? કુમારપાળની પૂર્વ ભવે પુષ્પ પૂજા કેવી ? : કુમારપાળ રાજાના જીવે પૂર્વ ભવમાં માત્ર પાંચ કોડીથી લ ખરીદી ભગવાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy