________________
જિનદર્શને ચિંતન
૧૫૧
અવધિજ્ઞાનથી બીજાના પૂર્વ ભવ અને અહીંના ખાનગી માયા-પ્રપંચ જાણી શકો છો, છતાં સાગરવર-ગંભીર આપ એ કશી જાણકારી બહાર દેખાડતા નથી !
ત્યારે, આપનો કરુણાગુણ કેટલો બધો ભવ્ય, કે આપના પર ઘોર ઉપસર્ગઉપદ્રવ વરસાવી જાય એના માટે પણ દયા ચિંતવો છો કે ‘આ બિચારાનું શું થશે!’ મારા નાથ ! આપનો વિનય-ગુણ કેટલો અદ્ભુત !
કે જન્મથી આપ અવધિજ્ઞાની અને ઈંદ્રપૂજ્ય છતાં માતાપિતા મોટાભાઈની આગળ આપની ગજબ નમ્રતા ભારે અદબ આમન્યાનું પાલન ! આની સામે અમારી કેવી રાંકડી અભિમાન-ઉદ્દતાઈની સ્થિતિ ! અમારામાં જ્ઞાનનાં કે માન મળવાનાં કોઈ ઠેકાણાં નહિ, છતાં અકડાઈ-અતડાઈનો પાર નહિ ! પ્રભુ ! મારે કયાં ઊભા રહેવાનું ? આપ મહાજ્ઞાનીની અજ્ઞાન મા-બાપ પ્રત્યે પણ નમ્રતા ! અને અજ્ઞાની અમારી મહાજ્ઞાની ગુરુ પ્રત્યે પણ ઘમંડિતા ! ત્યારે,
નાથ ! આપનામાં મૈત્રી આદિ કેવા અનુપમ !
પ્રભુ ! આપના ગુણના શા ગુણ ગાઉં ? આપનામાં જીવો પ્રત્યે અ-મૈત્રી, ઈર્ષ્યા, દુર્ભાવ-તિરસ્કારનું નામનિશાન નહિ; ભય કાયરતા નિ:સત્ત્વતા કે અસહિષ્ણુતાક્ષુદ્રતાનું નામનિશાન નહિ; કિન્તુ આપનામાં મહામૈત્રી, મહા ગુણાનુરાગ, સદ્ભાવ, મહાસત્ત્વ, મહાસહિષ્ણુતા, મહાઉદારતા...વગેરે ગુણો અનન્ય, અદ્ભુત અને અપરંપાર !
આપનો સહનવૃત્તિનો ગુણ કેટલો ગજબ કે સાધના કાળમાં એકલા અટુલા વિચરતાં, અનાડી યા કષ્ટમય પ્રદેશમાં પણ પ્રસન્ન ચિત્તે વિચર્યા, જેથી સહન કરવાનું ખૂબ મળે ! અને એવું ઘોર સહન કરવા વખતે પણ આપની કેવી અચિંત્ય ક્ષમાકરૂણા ! તથા તત્ત્વચિંતન અને શુભધ્યાનનો ઉપયોગ કેટલો અજબ ! પ્રભુ ! આપની આગળ અમે કયાં ઊભીએ ? કશું ખાસ સહન કરવાનું અમે રાખતા નથી, છતાં મન શુભ ભાવમાં નહિ !
ત્યારે, નાથ ! તમારા ઉપકારની અવિધ નથી.
જગતને અનન્ય અને ત્રિકાલાબાધ્ય ટંકશાળી મોક્ષમાર્ગ અને તત્ત્વજ્ઞાન આપો છો ! એવા સૂક્ષ્મ પણ જીવોની ઓળખ આપો છો કે એથી એ અનંત જીવો પ્રત્યે ભવ્યાત્માઓ દયા પાળે છે. પ્રભુ ! કેટલો ગજબ ઉપકાર કે આપ જીવોને સમ્યગ્દર્શન, દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્ર આપી એની અનંત ભવપરંપરા છેદી નાખો છો!
ધ્યાનાદિ એ અરિહંતનો જ ઉપકાર છે :
હૈ અરિહંત નાથ ! મોક્ષમાં જઈ બેઠા છતાં તમારો ઉપકાર ચાલું છે. ભક્તો (૧) આપની મૂર્તિનું, (૨) આપની વાણીનું, અને (૩) આપના જીવનનું આલંબન લઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org