________________
( ૧૪૮
| ધ્યાન અને જીવન
કારણભૂત, એને તોડાવી નાખવાના પાપની અવધિ રહે ?
કોણિક પટ્ટરાણીના મોહમાં કેવા પાપી થયો?
બસ, ફૂલવાલક મરીને નરકમાં ગયો, પરંતુ પછી અનંત સંસાર ભટકવાનું ઊભું કર્યું. કોણિકે સૂપ પૂરેપૂરો ખોદાઈ સાફ થઈ ગયાના સમાચાર મળતાં પાછા ફરી વૈશાલી પર છાપો માર્યો. કોણિકને આ નગરીનું ખેતર બનાવી ગધેડાથી ખેડી નખાવવી છે એટલે હલ્લો જોરદાર કર્યો. અહીં એને તો લોક-દયા છે જ કયાં ? પરંતુ સુજ્યેષ્ઠાના પુત્ર સત્યકી મહેશ્વરને દયા આવી. એણે પોતાની પાસેની વિશાળ વિધાના બળે લોકોને ત્યાંથી બચાવી લઈ બીજે મૂકી દીધા. કોગિકે વૈશાલી જીતવામાં મહેનત પડી એનું ખુનસ વૈશાલીને સાફ કરી નાખવામાં ઉતાર્યું. આ અને બીજા પાપોથી અંતે એ છઠ્ઠી નરકમાં ગયો. મૂળ શું? પટ્ટરાણીનો મોહ. એમાં મન બગાડી ચડયો લડાઈએ.
એકવાર મન બગડયા પછી માણસ કેવો નીચે નીચે ઊતરતો જાય છે ? કેવા અધિક અધિક ખરાબ ધ્યાનમાં પડે છે અને ભયંકર દુષ્કૃત્યો આચરતો જાય છે ?
મન બગડ્યા પછી જાણે કોઈ બચાવનાર બેલી જ ન મળે. કોણિકને અને કૂલવાલકને એવું જ બન્યું. કૂલવાલકે વેશ્યામાં મન-બગાડયા પછી હવે આગળ મન વધુ ને વધું બગાડતો ગયો, એમાં કોઈએ એને રોક્યો નહિ, ત્યારે જાતે અટકવાની તો ત્રેવડ જ કયાં છે ? એમ કોણિકે પટ્ટરાણીના મોહમાં અન્યાયથી સેચનક હાથી અને દિવ્ય હાર મેળવવા મનને બગાડયા પછી એ પણ વધુ ને વધુ મન બગાડતો ચાલ્યો. એણે યુદ્ધમાં પોતાના દશ બળવાન ભાઈઓ કાળ, મહાકાળ વગેરે એકેકને એકેક દિવસ આગેવાની આપેલી, પરંતુ ચેડા રાજાના અમોઘ બાણથી એ બધા ખત્મ થયેલા. ત્યારે કોણિક અઠ્ઠમ કરી સૌધર્મેન્દ્રને સાધ્યા, અને ચેડા રાજાને વશ કરી આપવા માગણી કરી. ઈંદ્ર ના પાડી કહ્યું “એ મહાન શ્રાવક છે, એના પ્રત્યે અમારાથી એવું થાય નહિ. પરંતુ તેને હારવા નહિ દઈએ.'
જાઓ મન બગાડયા પછી કોઈ બેલી છે ? અહીં સમષ્ટિ ગણાય એવો ઈન્દ્ર આવે છે, એ પણ કોણિકને પાપથી પાછો વાળતા નથી.કોણ જાણે આમ પાછો કોણિક ભગવાનનો ભક્ત છે તે એના દાક્ષિણ્યમાં ઈંદ્ર તણાયો કે શું, તે એના પાપમાં સહાયક બની જાય છે !
|| ૧૫ જિનદર્શને ચિંતન | ધર્મસાધના કરી તે મનને સુધારવા માટે કરો :વાત આ છે મન બગાડ્યા પછી બેલી મળવા મુશ્કેલ છે. માટે જાતે સમજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org