SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ? ] (૧૪૭) રાજા પાસેથી કાંબળ મેળવી. લઈને આવતાં ચોરો ઝૂંટવી ન લે એ માટે પોલા વાંસમાં છૂપાવીને ચાલ્યા. કેવા કેવાં પતન પર પતન થતાં જ ગયા ? ચોમાસામાં વિહાર, કિંમતી કાંબળનો પરિગ્રહ એ મળવા પર “ચાલો હવે વેશ્યાના ભોગ મળશે” એવી વિષ્યભોગની હોંશ, કાંબળ છુપાવીને લાવવાની માયા.. વગેરે વગેરે કેટલું ય ચાલ્યું. એ તો સારું થયું કે વેશ્યાએ રત્નકાંબળ ખાળમાં નાખી દઈ મુનિની આંખ ખોલી નાખી અને ગુરુ પાસે પાછા વાળ્યા. નહિતર તો વેશ્યા અનુકૂળ થતાં પૂરું પતન જ થઈ જાત. એક પતનમાંથી બીજા કેટલાં પતન ઊભાં થાય છે ! કુલવાલક જોષી બને છે :કુલવાલક ચાલ્યો છે પતનના માર્ગે. એણે હવે જોષીનો વેશ કર્યો અને વૈશાલીમાં જ્યોતિષ કહેતા ફરે છે. ત્યારે લોકોએ પૂછયું કે આ વૈશાલી પરનો કોણિકનો ઘેરો કેમ નથી ઉઠતો ?' કુલવાલક કહે છે, 'જયાં સુધી આ સૂપ છે ત્યાં સુધી ઘેરો નહિ ઉઠે. જો એને ઉખેડી નાખો તો તરત ઘેરો ઉઠી જશે. તમારે આનો પ્રયોગ કરવો હોય તો કરવા માંડો એટલે દેખાશે કે જેમ જેમ સૂપ ઊખેડાતો જશે તેમ તેમ દુશ્મનનું લશ્કર પાછુ હટતું હશે.' બસ, આટલે સુધીની ખાતરી આપી પછી લોકોના મન પર એ વાત બેસતાં શી વાર ? અને કૂલવાલકે કોણિક સાથે એવો સંકેત સાધી રાખ્યો કે “તૂપ વધુ ને વધુ ખોદાવાનાં જેમ જેમ સમાચાર મળે તેમ તેમ લશ્કરને વૈશાલીથી આઘે ને આઘે લઈ જવું.” થયું. અહીં લોકને વિશ્વાસ બેસવાથી સ્તૂપને ખોદી નાંખવાનું કામ શરૂ થયું. બીજી બાજુ કોણિકનું લશ્કર ગયું. એટલે લોકોને ખાતરી થઈ કે આ સ્તૂપ જ અપમંગળરૂપ હતો તેથી દુશ્મનનો લશ્કરી ઘેરો હતો. માટે હવે એને તદ્દન સાફ જ કરી નાખો.” વેશ્યામાં પતન પછી લોકોને સૂપના દ્રષી કરે છે. જોયું ? કૂલવાલક કેટલા ભયંકર પાપ વધારી રહ્યો છે ! એક તો પ્રપંચ લગાવ્યો, અને બીજું લોકોના દિલમાં સ્તૂપ પ્રત્યેની જે પવિત્ર ભાવના હતી તેનાથી બિલકુલ ઉલ્ટી જ ટ્રેષની ભાવના કરાવી. કોઈ એકની પણ ધર્મભાવના તોડવી એ કેટલું મોટું પાપ ? ત્યારે અહીં તો જનસમૂહની તોડી નાખી, ત્યાં પાપનો પાર રહ્યો ? એમાં વળી લોક મહાપવિત્ર જિનતૂપને હોંશ પૂર્વક તોડતા ગયા, એ તોડવાના ગોઝારા કૃત્યને કરાવવાનાં પાપે તો માઝા મૂકી. શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનો એ સૂપ એટલે લાખો વરસથી એ પૂજાતો આવ્યો હશે, કેટલાય લાખો જીવોને ભવિષ્યમાં પણ બોધિબીજ, બોધિ સમ્યગ્દર્શન વગેરે પામવા અને પામેલાને શુદ્ધ કરવામાં એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy