SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન એનું વચન જાણે બ્રહ્માનું વચન ! તે રાજાને કહે છે કે હું નગરીમાં જઈને તપાસ બસ ફૂલવાલક ઊપડયો નગરમાં તપાસ કરતા જોયું કે અહીં શ્રી મુનિસુવ્રતા ભગવાનનો સ્તૂપ એવા શુભ મુહુર્ત પ્રતિષ્ઠિત થયો છે કે એના પ્રભાવે નગરી બીજાથી લઈ શકાતી નથી,’ એણે એના પર એ સ્તૂપને ઊખેડી નાખવાનો વિચાર કર્યો. કોણિકને એના ખબર આપ્યા. કોણિક ખુશી થયો. વેશ્યાની આસકિતએ સમ્યકત્વનાશ : કેટલો ભયંકર વિચાર ? કુલવાલક એકવાર મુનિ હતો, અરિહંતનો ભક્ત હતો, તે આજે અરિહંતનો પ્રભાવશાળી સ્તૂપ તોડાવી નાખવા તૈયાર થઈ ગયો. કેમ વારું? વેશ્યોમાં આસક્ત થઈ ગયો હતો તેથી. ત્યારે આ જવાનું છે કે એક સ્થાને પતિત થયા પછી શતશ: વિનિપાત થાય છે, અહીં સ્તૂપનો નાશ ચિંતવવામાં સમત્વ કયાં ઊભું રહે ? વેશ્યાના સંપર્કમાં ચારિત્ર ગયું પણ સમ્યકત્વ જાય એવો વિચાર શા માટે આવે ? આપણને એમ લાગે કે એક ભૂલ કરી એક દોષ સેવ્યો એને બીજી ભૂલ કે દોષ સાથે શો સંબંધ ? પરંતુ ભૂલો વચ્ચે ન ધારેલી કડી જોડાઈ જાય છે. અહીં વેશ્યાથી પતન થયું એમાં પછી વેશ્યાની ઉપર એટલો બધો રાગ બંધાઈ ગયો કે પછી એ જે કહે તે માની લેવું છે. તો એમાં આવું સૂપનાશનું ઘોર કૃત્ય કરવાનું કહે તો એ પણ માન્યા કરી લેવું છે. પછી ત્યાં સમ્યકત્વ પાગ કયાંથી ટકે ? એક પતન પછી બીજા પતનની કેવી રીતે કહી જોડાઈ ગઈ ! સિંહગુફાવાસી મુનિ વેશ્યાને જોતાં જ પડ્યા. આમ તો માત્ર ઈર્ષ્યા અને અભિમાનમાં ચડયા હતા કે વેશ્યાને ત્યાં ચોમાસું કર્યાથી શું સ્થૂલભદ્રમુનિ દુષ્કરકારક? લાવ, એમ તો હું પણ એમ ચોમાસું કરી બતાવું!” પરંતુ આ એક પતનમાંથી બીજા એ પતનમાં પડ્યા કે ગુરુએ એમને વેશ્યાને ત્યાં ચોમાસુ કરવાની ના પાડી છતાં એ ઉપડયા વેશ્યાને ત્યાં ચોમાસું કરવા અને ગુરુની આજ્ઞા અવગણી. પછી પતનના માર્ગે આગળ વધ્યા. વેશ્યાને ત્યાં જઈ એને જોતા જ મોહમૂઢ બન્યા. તો પછી હવે પોતાની નબળાઈ જાણીને પાછા ન આવતા રહે ? પણ ના, કામવાસના બિચારી સ્થૂલભદ્રજીથી હારી, એટલે જાણે વૈર વાળવા એણે આ મુનિ ઉપર જોરદાર હુમલો કર્યો ! પછી તો વેશ્યા આગળ મુનિએ ભોગની પ્રાર્થના કરી, પેલીએ નેપાળ દેશમાંથી રત્નકાંબળ લઈ આવવા કહ્યું તો એ લેવા માટે ચોમાસામાં ઉપડ્યા નેપાળ. ત્યાંના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy