________________
કેવી સ્ત્રી જાતપર પ્રેમ?
|
૧૪૫
જે વિષયો (૧) અઢળક પાપસ્થાનકો સેવરાવે છે, (૨) પૂર્વના પુણ્યને ખત્મ કરે છે, (૩) વીતરાગને ભુલાવે છે, અને એમણે કરેલી ધર્મસાધનાને ભૂલાવે છે, શુભ ધ્યાનને આધું રખાવે છે,
(૪) રાત દિન આર્તધ્યાન, ચિંતા, સંતાપ, અસમાધિ તથા બગડવા-નાશપામવાના ભય કરાવ્યા કરે છે, (૫) અને જે અંતે તો ખોવાઈ જ જવાના છે, ને તે પણ રોવરાવીને જશે,
એવા વિષયમાં હુંફ અનુભવવી એ મહામૂઢતા છે, સરાસર મૂર્ખાઈ છે, બુદ્ધિના વિકાર છે. માટે હવે એ હુંફન અનુભવતાં ભડક અનુભવું. વિષયોને સુખકારક મિત્રવત્ નહિ, કિન્તુ ભયંકરતા સર્જનાર દુશમન દેખું.' - આમ વિડ્યોમાં ભડક અનુભવાય, તો વીતરાગમાં હુંફનો અનુભવ થાય, એક પતનમાંથી પતનની હારમાળા પેલા કૂલવાલક મુનિને વેશ્યાના હાથેથી સેવા મળી, તો વિષયોમાં મિઠાશનો સુખનો અનુભવ થયો. એ પડયા, અને વેશ્યામાં લીન બન્યા. તપમાં ને વીતરાગમાં હંફ લાગતી, તે હવે સેવા લેવામાં, વિષયોમાં, વેશ્યામાં હુંફ લાગવા માંડી ગબડયા નીચે, સાધુપણાનું લીલામ કરી નાખ્યું. દુનિયાની એક પણ ચીજની જોરદાર લાલસાલંપટતા જાગી તો જીવનો મામલો ખત્મ ! પછી પતન પર પતન ચાલું થઈ જાય છે. માટે ચેતતા રહેવા જેવું છે. કોણિક કેટલો નીચે ઊતરી ગયો છે ! શાના પર? એક હાર અને હાથી મેળવવા પર જ ને ? એટલે,
જો જીવનમાં શુભધ્યાન ખૂબ સાચવવું સેવવું હોય તો દુન્યવી ચીજના આગ્રહ આવેશ ને લાલસા લંપટતા છોડો.
ફૂલવાલક મુનિનું કેટલી હદે પતન?:
કૂલવાલક મુનિને વેશ્યા હવે રાજા કોણિક પાસે લઈ આવી. રાજાએ સ્વાગત કર્યું, માનભેર બેસાડી પૂછે છે.
“મહારાજ ! આ વિશાલા કેમ છતાતી નથી ? આપ કાંઈક ઉપાય બતાવો તો બહું ઉપકાર માનું.’
રાજાના આ પ્રશ્ન વખતે વેશ્યા સાથે છે એ એમાં ટેકો પૂરતી કહે છે ખરી વાત, આવા મોટા મહારાજા જયારે આપણને વિનંતિ કરે ત્યારે તો આપણે એ ધ્યાન પર લેવી જોઈએ !”
મુનિને મન હવે વેશ્યા કોણ છે ? પ્રાણથી અધિક અને સુખનો ભંડાર; એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org