________________
કેવી સ્ત્રી જાતપર પ્રેમ ?
૧૪૩
દિવસભરમાં આ સ્ત્રીદર્શનો મળ્યાં કરે પછી અંતરમાં એના જ ફોટા વધું પડવાના? કે પ્રભુનાં ને મુનિઓનાં ? આજના કેવા જગતમાં રહો છો ? આવાં અસદ્ દર્શન ઢગલાબંધ મળે એવા ને ? તો કોઈ ભડક નથી લાગતી ?
કોઈ ચિંતા નથી કે ‘આજના જગતના સ્ત્રીદર્શનોનાં કચરા મગજમાં ભરી ભરીને મારે ક્યાં જવાનું ને કેવી મારી અધમ દશા થવાની ?'
વળી આ કચરા બહુ ભરાય ત્યાં પરમાત્મ-સ્મરણ અને તત્ત્વચિંતન પણ કયાંથી બહુ ચાલે ? તેમ,
પેલાં સ્ત્રીદર્શનો મિઠાશથી કર્યા હોય, પછી
મિઠાશથી કયાંથી થાય ?
આ પ્રભુદર્શન-સ્મરણ વગેરે
પ્રભુનાં દર્શન અને સ્મરણ ગદ્ગદ દિલે કરવાં છે તો મિઠાશથી સ્ત્રીદર્શનોને કરવાનું બંધ કરો.
વિષયની મિઠાશ અને વીતરાગની મિઠાશ બે સાથે ન અનુભવી શકાય, બેની સાથે હુંફ ન લાગે.
કેમકે જેમણે વિષયોના રંગ મુદ્દલ છોડયા છે, જેમણે એના પ્રત્યે લેશ પણ રાગ નથી, તેથીજ જે વીતરાગ બન્યા છે. હવે જો આપણે વિષયો ગમે છે, તો એ વીતરાગ પ્રભુ કયાંથી ગમવાના ? વીતરાગ એટલેજ વિષયવિરોધી. વિષયોમાં હુંફ લાગતી હોય તો એના વિરોધીમાં હુંફ કયાંથી લાગવાની ? દાણચોરીમાં જેને હુંફ રહે છે, એને દાણચોરીના વિરોધી ઓફિસર પર હેત નથી રહેતું, હુંફ નથી લાગતી.
‘હુંફ’ સમજો છો ને ?
પૈસા મળ્યા, સ્ત્રી મળી, રુડા ખાનપાન મળ્યાં, એટલે મનને જો લાગે કે, ‘હાશ! આપણે નિરાંત. આ બધું મળ્યું છે એથી હવે આપણે કોઈ ચિંતા નથી, સુખ જ સુખ ભોગવશું’ આવું લાગે તો એ વિષયોમાં હુંફ લાગી ગણાય, હવે આવા જીવને વીતરાગમાં શી હુંફ લાગે ? શી મિઠાશ લાગે ?
એ તો વિષયો ભડકાવે, અકારા લાગે, એમાં હુંફને બદલે ભય લાગે, તો જ વીતરાગમાં હુંફ મનાય, મનને એમ થાય કે ‘અરે ! આ વિષયો કેવા ગોઝારા મળ્યા છે ? સારું થયું કે વીતરાગ પ્રભુ મળ્યા છે, તેથી એમને દિલથી યાદ કરતાં કરતાં એ વિષયોનાં ઝેર નહિ ચડે. વીતરાગ મળ્યા છે તેથી હાશ ! હવે ચિંતા નહિ.'
શેમાં હુંફનો અનુભવ ?
ત્યારે તપાસો કે હૂંફનો અનુભવ કયાં થાય છે ? દુનિયાના અનુકુળ વિષયો મળ્યા છે એમાં ? કે વીતરાગ મળ્યા છે એમાં ? જો જો હોં, બંનેમાં હુંફ કહેતાં નહિ, નહિતર ઢોંગ થશે.બ્રહ્મદત્ત ચકીને વિષયોમાં હુંફ હતી તેથી વીતરાગમાં હુંફ નહોતી લાગતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org