________________
૧૪૨
ધ્યાન અને જીવન
એકલા મુનિ અને એકલી બાઈનો સંયોગ થાય એ ખતરનાક છે. બંનેને ભલે ને પહેલાં ખોટો વિચાર ન હોય, પરંતુ એમનો સમાગમ વસ્તુ જ ભૂંડી, નિમિત્ત પાડનારું. માટે સાધુને એકલા વિચરવામાં મોટું જોખમ છે. છેવટે શરીર માંદુ પડે ત્યાં પુરુષો તો સવારે સાંજે ખબર લે, પરંતુ બપોરે એ ધંધાર્થે ગયા પછી તો બાઈઓ જ ખબર લેવા આવવાની ને ? ત્યારે એકાંત ભયંકર છે. સહેજે મનને થાય કે અહીં કોણ બીજુ જુએ છે ? એમ કરી સામાન્ય સ્પર્શમાં પડાય, પછી પતન આગળ વધે.
મુનિને ગચ્છમાં પણ એકાંતવાસ નિષિદ્ધ :
ત્યારે શાસ્ત્રકારો કહે છે ને કે એકાંત સેવો નહિ. મુનિઓને પણ એકજ સ્થાનમાં સાથે બેસવા-ઊઠવા-સુવાનું કહ્યું, એકાંત ઓરડીમાં નહિ. કોઈ મુનિ જો જુદી ઓરડી સેવે તો એને પ્રાયશ્ચિત્ત કહ્યું. તે ય ધરાર એમ દુરાગ્રહથી ચાલુ જ રાખે તો બીજા મુનિઓ સાથેના વ્યવહારથી બહાર થઈ જાય એમ કહ્યું. જ્ઞાનીઓની આમાં દીર્ઘ અને ઊંડી દિષ્ટ છે. સમુદાયની સાથે રહેવામાં પણ જો એકાંત સેવવાનો નહિ, તો એકલા વિચરીને તો એકાંત સેવવાની વાતે ય શી ? ત્યાં કોઈ શુભ ધ્યાનની ધારા ન ટકે; કેમકે જગતની વચમાં રહેવાનું છે, તે કેઈ ભાતના સંયોગ-પ્રસંગ આવે, પદાર્થો નજર સામે આવે. એમાં રાગ-દ્વેષ અને આકર્ષણ-અરુચિ વિનાના શુદ્ધ ભાવમાં ટકાય શી રીતે ? સમુદાયની રૂએ કેટલાક સંયોગ ન આવે. દા.ત. એકલી બાઈ આવતી હોય તો સમુદાયને દેખી અટકી જાય, કદાચ પરગામથી વંદનાર્થે કોક આવી તો ય કોઈ સાધુ સાથે વાત કરવાની હામ નહિ.એથી ઊલટું એકલા સાધુ પર આક્રમણ કેવાં ? ગૃહસ્થની મર્યાદા એકલી સ્ત્રીવાળા ઘરમાં નહિ જવું :
ગૃહસ્થ માટે પણ આ આપત્તિ જોઈને શાસ્ત્રકારોએ એકલી સ્ત્રીવાળા ઘરમાં જવાની શ્રાવકને મનાઈ કરી, પછી ભલેને મિત્રનું કે સગા ભાઈનું ઘર હોય તો ય શું ? ઘરમાં જો પુરુષ નથી તો નહિ જવાનું. શું શાસ્ત્રકારો બધાને લુચ્ચા યા ઢીલા સમજે છે? ના, પણ અનંત અનંત કાળનાં વિજાતીયનાં આકર્ષણના સંસ્કાર એવા પડેલા છે કે એથી અસત્ નિમિત્ત મળતાં સારો પણ જીવ ગોથું ખાય.
અરે ! એકાંત સંયોગ કે દર્શનની તો શી વાત, માત્ર વિજાતીયનું સ્મરણ જ કરે તો ય વિચાર બગડવા માંડે છે. ઉંમરે પહોંચેલો વૃદ્ધ પણ જો એવું વિચારવા જાય કે ‘ફલાણાની છોકરી સારી રૂપાળી છે...' તો ય એના દિલમાં કામરાગ ઊછળવા
માંડશે.
જો સ્ત્રીનાં સ્મરણમાં પણ કામરાગ ઊછળે, તો દર્શનમાં પૂછવાનું શું ? આજે જાહેરાતોમાં શું આવે છે ? છાપાઓમાં શું ? પુસ્તકોમાં શું ? પિકચરોમાં શું ? રસ્તાઓ પર પુરુષ કેટલા મળે ને સ્ત્રીઓ કેટલી મળે ? તેય કેવાં વેશમાં ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org