SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ? | ૧૩૯ કારણ સ્પષ્ટ છે. એ જે સ્ત્રીવેદ ભોગવે છે એનું કર્મ પૂર્વે બાંધેલું તે માયા-તુચ્છતાઈષ્ય વગેરે મલિન ભાવના કારણે બાંધેલું, એટલે એ ભાવોના સંસ્કારો સાથે આવેલા કહો, કે એનાં મોહનીય કર્મ સાથે બાંધી લાવેલ કહો, તે અહીં ઉદય પામતાં પોતાનું ફળ દેખાડે, એ સહજ છે. ત્યારે પૂછો, સ્ત્રી ગુણિયલ કેમ ?પ્ર0 - પણ કોઈક સ્ત્રીઓમાં ઉદારતા ગંભીરતા ક્ષમા વગેરે સારા ગુણો દેખાય છે તેનું કેમ ? ઉ૦ - એનું કારણ એ છે કે પૂર્વ જીવનમાં એનામાં ગુગો સારા હશે, ધર્મ સારો હશે, પરંતુ કયારે કોઈ છૂપી માયા વગેરેની ભૂલ થઈ હશે તેથી માત્ર એ વખતે સ્ત્રીવેદનું કર્મ બાંધી દીધું હશે એટલે અહીં સ્ત્રીપણું મળ્યું, કિંતુ પૂર્વના સારા ધર્મ અને ગુણમય જીવનનો આ પ્રભાવ પડયો કે એનો અહીં વારસો મળ્યો, અને એના બળમાં પેલું મોહનીય કર્મ દબાઈ ગયું, તેથી અહીં તુરછતા વગેરે નથી દેખાતા. જુઓ, સીતા, દમયંતી, રાજમતી વગેરે વગેરેને સ્ત્રીનો અવતાર મળ્યો હતો, છતાં એમનામાં સ્ત્રીસુલભ ક્ષુદ્રતા, માયા, ઈર્ષ્યા વગેરે દોષો નહોતા. કેમ નહિ ? એટલા જ માટે કે પૂર્વનાં જીવન સુંદર ગુણસંપન્ન હતાં. સ્ત્રીવેદ કર્મ તો એમને કોઈ આધારી પળની ગફલતમાં બંધાઈ ગયું હશે, તેથી સ્ત્રી બનવું પડ્યું પરંતુ પૂર્વના લગભગ સમગ્ર જીવનના ગુણોની આ છાયા કે અહીં એ ગુણો સારા વિકસ્વર રહ્યા, તેથી કોક વારના અલ્પ દોષને દબાઈ જવું પડ્યું. બાકી સામાન્યથી જીવનમાં વારે વારે દોષોમાં રમવાનું ચાલું હોય, સહેજમાં માયા સહજમાં ઈર્ષ્યા, સહેજમાં અહંકાર કરતા હોય એવાને તો એનો રસાલો ભવાંતરે કેટલાય જન્મો સુધી ચાલ્યા કરે છે. એવા રસાલા-વાળી સ્ત્રી જાત સસરાને, જેઠને, દિયરને, નાગંદને, દેરાણી-જેઠાણીને ન સહન કરે અને ઝગડો કરાવે એમાં શી નવાઈ ? કેવી સ્ત્રી જાત પર પ્રેમ ? :વિચારો, આવી સ્ત્રી જાત પર પણ હૈયાથી કેટલો પ્રેમ વરસી જાય છે ? ખબર છે ને કે પોતાના માતા-પિતા-ભાઈ-બેન વગેરે પહેલા કેટલા પ્રેમાળ અને પ્રેમપાત્ર હતા ? છતાં પોતાની સ્ત્રી પરણીને આવી પછી રગડા ઊઠયા, એ જ ખણખોદ કરવા લાગી કે “આ જુઓને તમારા બાપાજી કેવા છે ? તમારી બા કેવી છે ? આમ બોલે છે, આમ ચાલે છે..' ખબર ન પડે કે આ ઝગડો ઘાલે છે ? છતાં એના પર પ્રેમ કેટલો ? વિશ્વાસ કેટલો ? સગા મા-બાપ કરતાં વધુ ! એક કામરાગના અંધાપાને લીધે ! પરલોકમાં એ કયાં લઈ જશે ? આવી સ્ત્રી જાત જીવનભર કેટલાંય જોઈતાં ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy