________________
(૧૪૦)
| ધ્યાન અને જીવન જોઈતા પાપ કરાવે, રગડા કરાવે, દોષો સેવરાવે, એનો પરલોકે વારસો કેવો ચાલવાનો? પરણીને શો સાર કાઢવાનો ? છતાં વાંઢાને પરણવાના જ વિચાર ચાલ્યા કરે છે, અને પરાગેલાને કોઈ દિવસ આનો પશ્ચાત્તાપ નથી કે “અરેરે ! આ એક સ્ત્રીને ઘરમાં ઘાલીને હું કેટલો બધો પતનના રસ્તે છું ?' કેવી મોહિની !
અબુઝ જીવને મોહનો નશો એવો કે હકીકતની ખબર જ ન પડવા દે.
ઉલટું, મોહના નશામાં વાંક સગાઓનો કાઢે, મા-બાપનો કાઢે, અને સ્ત્રીને તારણહાર માને !
પછી સંતાનો માટે પાગ એવાં લગ્નજીવન જ ઈચ્છે, એમાં શી નવાઈ ? કહો, કદી તમને વિચાર આવે છે ખરો કે “આ મેં સ્ત્રી કર્યા પછી મારા જીવનમાં દોષો અને પાપોનું સેવન વધ્યું કે ઘટયું? સ્ત્રીએ આવીને મને શું આપ્યું ? રાગના મોહના વિષયકટોરા ? કે દાનાદિ ધર્મના રસઘૂંટડા ?” આ વિચાર નહિ પછી સ્ત્રીને તારણહાર માને એમાં નવાઈ નથી.
રાણી પદ્માવતીના આગ્રહથી રાજા કોણિકે હલ્લ-વિહલ્લનો હાર અને હાથી લેવા માટે દાદા ચેડા મહારાજ સામે યુદ્ધ તે કેવું મચાવ્યું ? ભયંકર ખૂનખાર ! કરોડો માણસ મર્યા હશે ! છતાં જીતાયું નહિ. ત્યારે દેવીના કહેવાથી જણાયું કે કુલવાલક મુનિનો માધવિકા વેશ્યા સાથે સંબંધ થાય તો વૈશાલીમાં પ્રવેશ મળે.’ એટલે હવે એ સંબંધ કરાવવાની તૈયારી કરી.
વિચારજો આ બધું શાની પાછળ ? એક દુન્યવી ચીજની તુચ્છ લાલસા અને દુરાગ્રહે પાછળ. બસ મારે સત્તાની રૂએ હલ્લવિહલ્લનો હાર અને હાથી જોઈએ,'આ અભિમાન સાથેની લાલસા ખૂનખાર યુદ્ધ કર્યું અને તે ય ઉપકારી જનેતાના પિતા તથા ભાઈઓ સાથે લડયો. હવે વળી મુનિને વેશ્યાથી પતિત કરવાનો નિર્ણય
લીધો.
દુન્યવી ઉદ્દેશની ભયંકરતામાં કોણિક દકાન્ત :" આપણી વાત એ ચાલે છે કે ધર્મપ્રવૃત્તિ કરવી તે શુભ ધ્યાનના ઉદ્દેશથી કરવી,
એ ધર્મ પ્રવૃત્તિના હિસાબે મન સારાં ધ્યાનમાં રહે એ ઉદ્દેશથી કરવી, પરંતુ માન કે દુન્યવી ચીજવસ્તુના ઉદ્દેશથી નહિ. કેમ એમ ? એનું આ કોણિક એક દષ્ટાન્ત છે કે માન-મદ અને દુનિયાની વસ્તુની લાલસા જીવને કેટલી અધમતા સુધી ઘસડી જાય છે, અને કેવી નરકની તૈયારી કરાવે છે! કોણિક હલ્લ-વિહલ્લનો હાર અને હાથી પડાવવા માટે એ કરી રહ્યો છે. દાદા સાથેના ખૂનખાર યુદ્ધમાં દાદા ચેડા મહારાજ શરણાગતનું રક્ષણ કરી રહ્યા છે અને કોણિકને વૈશાલીમાં પ્રવેશ નથી મળતો તેથી હવે મુનિને પતિત કરવાનું કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org