________________
ધ્યાન અને જીવન
૧૩૮
એક વાર કોણિકની પટ્ટરાણી પદ્માવતીએ હા-વિહલ્લની રાણીઓને એ હાર પહેરી સેચનક હાથી પર બેસી મસ્તીથી ફરતી જોઈ, કોણિક પાસે એ મેળવી લેવાની માગણી કરી. કોણિકે પહેલાં તો કહ્યું કે ‘પિતાજીએ એમને એ આપેલ હોવાથી કેમ પડાવી લેવાય ?’ પરંતુ સ્ત્રીહઠ આગળ નમતું જોખી હા-વિહલ્લ પાસે એની માગણી કરી.
હા-વિહન્ને કહ્યું ‘રાજ્યનો ભાગ આપો, તો આપીએ.’ કોણિકની શિરોરી :
અહીં કોણિકને હું પદ નડ્યું. મનને થયું કે ‘એમ હું સોદો કરીને શાનો લઉં? હું મગધસમ્રાટ છું તે સત્તાના બળથી લઈશ.' એટલે હલ્લ-વિહલ્લને હુકમ કરે છે કે ‘સીધી રીતે હાર અને હાથી આપી દો નહિતર તમારે આપી દેવાની ફરજ પડશે.’
હા-વિહન્ને જોયું કે અહીં આપણે નિરાધાર છીએ તેથી કોણિકની સામે કાંઈ ચાલશે નહિ, માટે કોઈ આધાર પકડી લઈએ ! એમ વિચારીને રાતોરાત હાથી અને હાર સાથે વૈશાલીમાં દાદા ચેડામહારાજ પાસે પહોંચી ગયા,અને હકીકત કહી.ચેડા રાજાની પુત્રી ચેહ્વણા, એના કોણિક, હલ્લ અને વિહલ્લ પુત્રો હતા. એટલે ત્રણેના ચેડા રાજા માતામહ દાદા થાય. એમણે હલ્લવિહલ્લને આશરો આપ્યો.
કોણિકને ખબર પડી કે હલ્લ-વિહલ્લ દાદા પાસે પહોંચી ગયા છે, તેથી દાદાને કહેવરાવ્યું કે એમની પાસેથી હાર અને હાથી લઈને મોકલી આપો, અથવા એમને ત્યાંથી કાઢો.'
ચેડા મહારાજે કહેવરાવ્યું કે ‘તું રાજ્યનો ભાગ આપ તો તને એ બંને વસ્તુ આપી દેવા તૈયાર છે.બાકી તો એ અહીં શરણે આવેલા છે. એટલે શરણાગતને છેહ કેમ દેવાય ?''
બસ, કોણિકને આ વાત શાની ગળે ઊતરે ? એણે મોટું લશ્કર લઈ ચેડા રાજાના રાજ્ય ઉપર ચઢાઈ કરી. કેટલી વાત પર ચઢાઈ ? વહાલી પત્નીને હાર-હાથી જોઈએ છે માટે દાદા પર જ યુદ્ધ !
શ્રી ઝગડાનું નિમિત્ત :
આ જગતમાં સ્ત્રીઓ કયાં કયાં સગાસંબધીઓમાં ઝગડો કરાવનારી બની હશે એ તપાસો તો શું માલુમ પડે ? દીકરા માબાપથી જુદા રહેવા જાય છે. કોના કારણે ? ભાઈ-ભાઈને જુઆરા થાય એ કોના કારણે ? ઘણા ભાગે સ્ત્રીનો સહજ ક્ષુદ્ર સ્વભાવ અને ઈર્ષ્યા એવી કે સાસરિયાનું સારું સહન ન કરી શકે. પાડોશી સાથે પણ ઝગડા કરાવે. પૂછો,
સ્રીમાં સહજ તુચ્છતા અને ઈર્ષ્યા કેમ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org