SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ કેવી સ્ત્રી જાતપર પ્રેમ ? શુભ પ્રવૃતિમાં ઉદ્દેશ એ જ કે શુભ ધ્યાન. એટલે હવે આ સવાલ છે કે ‘બોલો શુભ પ્રવૃત્તિ કરો છો એથી શુભ ધ્યાન જ કરવું છે ? શુભ ધ્યાન માટે જ એ પ્રવૃત્તિ કરો છો ?' ત્યાં વાંધા પડે છે. ઉદ્દેશ કોઈ બીજા બીજા હોય છે. જેમકે ધર્મ કરવાથી લોકમાં ધર્મી તરીકે સારા દેખાઈએ, લોકમાં કીર્તિ મળે, માન મળે, પુણ્ય વધવાથી પૈસા મળે, દીકરો મળે, એવા એવા ઉદ્દેશ હોય છે. દિલમાં એ પેઠું હોય છે કે ‘મારે આ જોઈએ, આ જોઈએ, માન જોઈએ, માલ જોઈએ' પરંતુ ‘મારે શુભ ધ્યાન જોઈએ' એવો ઉદ્દેશ કયાં છે? એ ઉદ્દેશ હોય તો એના માટે તકેદારી ન રહે ? ખબર નથી કે, દુન્યવી એકાદ પણ ચીજની તીવ્ર લાલસા રાખવા જતાં કયારેક ભયંકર દુષ્કૃત્ય આવીને ઊભું રહે છે. ૧૪ : કેવી સ્રીજાત પર પ્રેમ ? મહાવીર-ભક્ત કોણિક કેમ ડૂબ્યો ? કોણિક પહેલાં તો પિતા શ્રેણિકનો વૈરી અને પિતાને કેદમાં નાખનારો હતો. પરંતુ પછીથી પશ્ચાતાપ સાથે પોતાની જાતે પિતાને જેલમાંથી બહાર કાઢવા જનારો, અને શ્રેણિકે ગેરસમજથી આપઘાત કરતાં આના પર ભારે શોક કરનારો બનેલો. શોક એટલો બધો કે હવે સમૃદ્ધ રાજધાની રાજગૃહ-નગરી ખાવા ધાય છે.તેથી એણે ચિત્તની સમાધિ માટે ચંપાનગરીને રાજધાની બનાવી ત્યાં જઈ રહેવાનું રાખ્યું. વળી ભગવાન મહાવીરદેવ પધાર્યા ત્યારે યાદગાર સામૈયું કરેલું. તે માન મેળવવા નહિ, પણ પ્રભુ પ્રત્યેની દિલની ભક્તિથી. ૧૩૭ બોલો, તીર્થંકર પ્રભુ પ્રત્યે આટલી ભક્તિ દુષ્કૃત્યની ગર્હા, પ્રશ્ચાત્તાપ, વગેરે હોય ત્યાં દુર્ગતિ થાય ? છતાં કેમ દુર્ગતિ થઈ ? એનું એક કારણ આ, કે એને હલ્લુવિહલ્લ પાસેથી દિવ્યહાર અને સેચનક હાથી મેળવવા અભિમાન અને તીવ્ર લાલસા થઈ. એમાંથી મહાયુદ્ધ થયું, પ્રપંચ ચાલ્યો, લશ્કરનો ખોડો નીક્ળ્યો, અને એણે મુનિસુવ્રત સ્વામીનો સ્તૂપ તોડાવ્યો. બન્યું એવું કે શ્રેણિકે અભયકુમારની દીક્ષા પછી જોયું કે હવે રાજ્ય કોણિકને આપવાનું છે, તેથી એક દિવ્યહાર અને સેચનક હાથી હલ્લ-વિહલ્લને આપ્યા. પછી તો કોણિક પોતે જ રાજ્યગાદીપર ચઢી બેઠો, અને ભાઈઓને રાજ્યમાંથી ભાગ આપવાના અવસરે હા-વિહલ્લને દિવ્ય હાર અપાયો છે માટે રાજ્યભાગ ન આપ્યો. દુન્યવી એક ચીજની લગન કેવું કામ કરે છે ? મોટું મગધ દેશનું રાજ્ય મળ્યું છે.પરંતુ મનને લાલસા મારે છે, ‘મને દિવ્ય હાર કેમ નહિ' એની રીસમાં એક નાનો રાજ્યભાગ ૨૫ ભાઈઓને ન આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy