________________
(૧૩૬)
| ધ્યાન અને જીવન યાને મનનું ધ્યાન એવાં જોઈએ ને ? ધ્યાન ગયું પીડામાં, એ અશુભ ભાવ છે. તો કર્મને કાંઈ શરમ છે? તીર્થકરના જીવની કે સારા સાધુ યા શ્રાવકની કશી શરમ નહિ, જેવું ધ્યાન, જેવા ભાવ, એવા કર્મ બાંધો, અને જેવાં બાંધો એવાં ભોગવો'. મરુભૂતિ તીર્થકરનો જીવ છે, સારો શ્રાવક છે પરંતુ પીડાની હાયવોયમાં અશુભ ધ્યાને તિર્યંચ ગતિમાં ફેંકાઈ ગયો. હાથીને મરણ પીડામાં શુભ ધ્યાન :
એ જ મરુભૂતિ હાથી પાછો અંતકાળે કમઠના જીવ સાપથી મરણાંત કષ્ટ પામો, પરંતુ હવે હાથી તો ત્યાં પૂર્વ જીવનનું સ્મરાગ અને અરવિંદ રાજર્ષિથી બોધ પામેલો છે. એટલે પૂર્વના મૃત્યુકાળે બનેલ અશુભ ધ્યાનની સ્થિતિ તથા એનું દુ:ખદફળ જાણતો હોઈ હવે અહીં એણે મનને પીડાને બદલે નવકારમંત્ર અને અનશન પચ્ચકખાણ તથા સમતા-ઉપશમમાં લગાવ્યું; તો એ શુભ ધ્યાનથી મરીને સ્વર્ગમાં ગયો.
ધ્યાનનું ફળ :
ધ્યાન એ આભ્યન્તર તપ છે; અને ધ્યાનની બલિહારી છે. ક્ષણવારનું દુર્ગાન દુર્ગતિ દેખાડે છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ રૌદ્રધ્યાનમાં સાતમી નરકનાં પાપ ભેગા કર્યા.અને મરુભૂતિ શ્રાવક આર્તધ્યાનમાં તિર્યંચ હાથી થયો.એજ પાછા શુભ ધ્યાનથી એક કેવળજ્ઞાની ને એક દેવ થયા.
ધ્યાનનો આ મહિમા બતાવે છે કે મનને બને તેટલું શુભ ધ્યાનમાં રાખો.એ માટે જીવને શક્ય એટલી સારી પ્રવૃત્તિમાં જોડી રાખો.
સારી ધર્મક્રિયા, સારા ધર્મ-બોલ, સારા આચાર, સારી ભાવના-વિચારણા, એમાં જોડાયા રહેવાથી મન સહેજે શુભ ધ્યાનમાં રમતું રહી શકે. ક્રિયામાં ધ્યાનનો ઉદ્દેશ છે ? :પ્ર૦ - સારી કિયામાં બીજા-ત્રીજા વિચારોમાં મન રખડે છે, તેનું કેમ ?
ઉ૦ - એનું કારણ એ છે કે શુભ પ્રવૃત્તિથી મનને શુભ ધ્યાનમાં રાખવાનો ઉદ્દેશ નથી રાખ્યો. એવું પ્રણિધાન નથી, એવી ચોંટ નથી કે મારે શુભ પ્રવૃત્તિ દ્વારા મનને શુભ ધ્યાનમાં રાખવું છે. ત્યારે, બાઈ ચૂલો સળગાવે, પણ મનમાં જો ઉદ્દેશ રાખે છે કે આનાથી રસોઈ કરવી છે, તો જ રસોઈ થાય છે. પરંતુ એવો ઉદ્દેશ જો ન હોય અને શિયાળાનો દહાડો હોય, તો તો એ રસોઈને બદલે તાપાનું જ કરવાની. પરંતુ તેથી કાંઈ એમ ન કહેવાય કે ચૂલો સળગાવવો એ રસોઈનું સાધન નથી.' ચૂલો રસોઈનું સાધન તો જરૂર છે, પણ જેને રસોઈ કરવી હોય એના માટે એ સાંધનરૂપ થાય, એમ શુભ પ્રવૃત્તિ શુભધ્યાનનું સાધન જરૂર છે, કિંતુ જેને એનાથી શુભ ધ્યાન કરવું હોય એના માટે એ સાધનરૂપ અવશ્ય બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org