SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર ત૫-૫ : ધ્યાન ( ૧૩૫ ) પીડા કેમ ભૂલાય ? વળી સ્વાધ્યાય અને ધ્યાનનો મહિમા એવો છે કે મને એમાં પકડાયેલું રહેવાથી પરિસહોની પીડા તરફ લક્ષ નથી જતું. જેમ નોટો ગણવામાં કે ચોપડા લખવામાં લીન બનેલા વાણિયાને એટલો સમય ભૂખ-તરસ, ટાઢ-તાપ, માખી-મચ્છર વગેરેનું કશું ભાન રહેતું નથી. એમાંથી નવરો પડશે એટલે ભલે લાગશે કે 'ભૂખ લાગી છે,’ તાપ બહુ પડે છે, મચ્છર કરડે છે, પરંતુ લીનતા વખતે આ કશો ખ્યાલ નહિ. એમ મહાત્માઓ સ્વાધ્યાયની લીનતામાં એ પરિસહોની પીડા ભૂલી જાય છે. અરે! આગળ વધીને ઉપસર્ગ-ઉપદ્રવ સહવાનો આવે, ત્યાં પણ મન સ્વાધ્યાય-ધ્યાનમાં લીન રહી એની પીડા ભૂલી શકે છે. અંતકાળે કોઈ એવી પીડા છતાં પણ નવકારમંત્ર કે અરિહંતનાં ધ્યાનમાં મન લીન બને છે, અને એ મરણાન્ત કષ્ટ તરફ પણ ધ્યાન રહેતું નથી, તો ત્યાં દુર્ગાનથી બચી પરમેષ્ઠી કે અરિહંતના ધ્યાનમાં લીન બનતાં જીવ સદ્ગતિમાં જાય છે. તિર્યંચ અને શૂળીએ ચડેલા ચોર પગ એમ સગતિ પામ્યા છે. ત્યારે સદ્ગતિ એમ જ થોડી જ મળે છે ? મને પીડાની હાયવોયમાં કે પીડા આપનાર પ્રત્યે કષાયમાં હોય તો કાંઈ સદ્ગતિ મળે કરે નહિ. જુઓ પાર્શ્વકુમારે કમઠતાપસના બળતા કાષ્ઠમાંથી બહાર કઢાયેલો સાપ મરીને ધરારેંદ્ર થયો. એના એજ પાશ્ચકમાર પોતે પહેલા ભવમાં મરુભૂતિ શ્રાવક હતા છતાં કમઠના હાથે શિલાનો માર ખાતાં મરીને હાથણીના પેટમાં ગયા ! પેલો એક સાપ એટલે જનમનો પાપી, અને આ શ્રાવકએટલે વરસો સુધી સુંદર ધર્મનું પાલન કરનારા, બોલો સદ્ગતિનો કોણ હકદાર? સહેજે કહેવાય સદ્ગતિનો હકદાર તો ધર્મનો પાલક, ત્યારે અહીં ઊંધું બને છે. ધર્મપાલક તિર્યંચગતિમાં જાય છે અને પાપી દેવગતીમાં જાય છે, તે પાગ ઈન્દ્રપણાના હોદ્દા પર ! આમાં કોનો પ્રભાવ ? કહેવું જ પડે કે આયુષ્ય બંધાવા વખતે ચિત્ત જો શુભ ભાવમાં હોય તો સદ્ગતિનું આયુષ્ય બંધાય અને અશુભ ભાવમાં હોય તો દુર્ગતિનું આયુષ્ય બંધાય. સાપ અને મરુભૂતિ : ધ્યાન નવકારમાં અને પીડામાં :કમઠના લાકડામાંથી નીકળેલા અર્ધ-બળેલા સાપને મરાગાંત કષ્ટની પીડા છતાં ધ્યાન નવકારમંત્રમાં રહ્યું તો એ શુભ ભાવ બન્યો, અને પીડામાંથી મન ઉચકાઈ ગયું તો અશુભ ભાવથી બચી જવાયું. સંભવ છે કે આયુષ્ય ત્યાં બંધાયું હોય, મરીને ધરાણંદ્ર થયો ! નવકારની એકલી ખબર નહિ ચાલે : ત્યારે મરુભૂતિનેય મરાણાંત કષ્ટ તો આવ્યું પરંતુ ત્યાં ધ્યાન પીડામાં ગયું. એ શ્રાવક છે એટલે નવકારમંત્રની ખબર તો ખરી, પરંતુ એકલી ખબર શું કરે ? ચિત્તનો ઉપયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ww
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy