________________
૧૩૪
| ધ્યાન અને જીવન
હવે આ સંદરમાં લક્ષ જો બાંધીએ તો મન એ ચોકકસ શબ્દને પકડવામાં લાગે છે. કાન ને મનને જાણે એ તત્પરતા તાલાવેલી રહેશે કે અંદરમાં કયા શબ્દ આવે છે. પછી આમાં મનને બીજા વિચારમાં જવા માટે જગા જ નથી.
આખા ને આખા ભાષણ વ્યાખ્યાન આ રીતે સાંભળી શકાય. એટલું ધ્યાનમાં રાખવાનું કે અંદરમાં સાંભળવું છે એટલે આંખ અડધી મીંચેલી જોઈએ, જેથી બહારનું બહુ નજરે ન ચડે; એથી મનની ચોંટ અંદરમાં કયા શબ્દ આવે છે એના પર જ રહે. નહિતર બહાર બોલાતા શબ્દ કરતાં દેખાતી બીજી વસ્તુ પર મન સહેજે સરી પડે છે.
અંદરમાં જોવાનો પ્રયોગ :આંખ અર્ધ-મીંચેલી રાખી અંદરમાં જોવાનો કે સાંભળવાનો પ્રયોગ એટલો બધો જોરદાર છે કે મન એમાં બરાબર પકડાય છે. ત્યાં પછી બીજા ત્રીજા વિચારને જગા નથી મળતી. દા.ત. અંદરમાં શ્રી સિદ્ધિગિરિમહાતીર્થને કમસર તળેટીથી જોવા બેઠા, તો બાબુના દેરાસરનું દશ્ય, પછી ઉપર ઉપરના હડાનું દશ્ય... એમ કરતાં ઠેઠ ઉપર કમસર નવ ટૂંકનાં દશ્ય મનની સામે આવ્યા કરશે. મન ચાહીને એ જોવાનું કરે છે એટલે મનને એમાં જ પરોવાવું પડે.
અંદરમાં સાંભળવાનો પ્રયોગ :
એવું અંદરમાં સાંભળવા અંગે છે. ભલે બહાર કોઈ બોલનારું નથી, તો એ અર્ધમીંચેલી આંખો અંદરમાં કોઈ મોટું બોલતું દેખાય, એના માત્ર હોઠ ફફડતા દેખાય, અને એમાંથી નીકળતા શબ્દ સંભળાય. જાતે એકલા જ કોઈ ચૈત્યવંદન-પ્રતિકમણની કિયા કરતા હોઈએ ત્યારે આ પ્રયોગ ઉપયોગી થાય. એમાં ચિત્ત ગાથા ગાથા અલગ સાંભળશે, ગાથાના પદ પદ સ્પષ્ટ સાંભળશે, એમાં કાનને સરવા રાખવા પડે. એ સાંભળવા મન સજાગ હોય. આખાં શાસ્ત્ર આ રીતે અંદરમાં સાંભળી શકાય. સાથે એ દરેક પદના અર્થ પર પણ મને લાગશે અને મન પદાર્થોનો ખ્યાલ કરતું જશે. એમાં જ્યાં એકાગ્રતા થશે ત્યાં ધ્યાન બનવાનું.
વાત આ છે કે મનને કશા સારામાં પકડાયું રાખો; તો એ રખડતું રઝળતું નહિ બને, બીજા ત્રીજા વિચાર માટે નવરું જ નહિ હોય. શાસ્ત્ર-સ્વાધ્યાય અને ચિંતનધ્યાન આ અપૂર્વ અદ્ભત ચીજ છે, કે એ ભણવા ભાણાવવામાં, પુનરાવર્તન કરવામાં કે એના પર ચિંતન-મનન કરવામાં મન પકડાયેલું રહે છે તેથી એટલો સમય મનમાં અસદ્ વિકલ્પો-વિચારો, દુર્ગાન વગેરેથી બચી જવાય છે. વધારામાં શાસ્ત્રવાણી જિનવાણીમાં મન લીન બનવાથી ભરપૂર કર્મક્ષય થાય છે. એટલે સ્વાધ્યાય અને ધ્યાન એ જબરદસ્ત નિર્જરા કરાવનાર આભ્યન્તર તપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org