SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ આભ્યન્તર તપ-૫ : ધ્યાન વધુ જાપ યા ક્રિયામાં મન સ્થિર રાખવા : mo હવે આ તો એક નવકારની વાત, પણ વધુ નવકાર ગણવા હોય, યા ચૈત્યવંદન પ્રતિક્રમણ જેવામાં સૂત્ર બોલવા હોય, ત્યાં આ રીતે એકેક અક્ષર પર ધ્યાન તો રહે નહિ, પછી મન સ્થિર કેમ રહે ? ઉ૦ - એનો ય રસ્તો છે. અક્ષર અક્ષર જુદા જુદા બોલવાનું ન પાલવે પરંતુ પદપદ તો અલગ સ્પષ્ટ બોલી શકાય ને ? તે એજ રીતે કે જાણે સામે એ પદ પદ લખેલ વંચાય. બોલતાં કે સાંભળતાં એક પદ જાણે સામે લખેલું વંચાયા વિના ન જાય. એમ કરવામાં મનને એમાં પરોવવું પડે. પરોવ્યા વિના પદ વંચાય નહિ એટલે મન સહેજે એમાં પકડાય. પછી જયારે પદે પદનાં અર્થ આવડે ત્યારે એ અર્થ પર મન લગાવાય. લક્ષ વિના ક્રિયા જમે ન થાય : ૧૩૩ હવે જ્યારે અમૂક ક્રિયા થતી હોય ત્યારે અમૂકમાં કોઈક સૂત્ર બોલે તે સાંભળવાનું હોય. પરંતુ એમાં ઘણાનો અનુભવ છે કે મનને શ્રવણમાં જોડયું ન જોયું ને થોડા જ પદ સાંભળતાં મન બીજા વિચારમાં ચડી જાય છે. એ વખતે બોલતા પદ પર મન નહિ રહેવાથી એ પદો સાંભળ્યા જ નથી, અને સૂત્ર તો એક કે અનેક બીજાથી એમજ બોલાઈ ગયા; છતાં સાંભળવામાં લક્ષ વિના જ જીવ એને જમે કરી લે છે! કેમ જાણે આપણા વતી કોઈ બોલ્યું તે ભલે આપણે સાંભળ્યું કે નહિ, કિન્તુ આપણી ક્રિયા ખાતે જમે થઈ ગયું ! તે એને પોતે યાદ કર્યા વિના એમજ આગળની ક્રિયામાં લાગુ થઈ જાય છે; આ કેવી રેઢિયાળ ક્રિયા ? ન કહે છે, ‘પણ ભાઈસાબ ! એમ તો મન સૂત્રે સૂત્રે વચમાં વચમાંથી કયાંક ચાલ્યું જાય, તે પછી ન સાંભળેલાં પદ કયાં ફરી ફરી બોલવા બેસીએ ?' આમ કહેવાનો અર્થ એ જ ને કે ક્રિયામાં આપણે પદો ન સાંભળ્યાં કે ન બોલ્યાં, છતાં ય આપણે ક્રિયા થઈ ગઈ માની લેવાની ? લક્ષનો સચોટ ઉપાય શબ્દને કાનમાં લાવો : ખરી રીતે શું કરવું જોઈએ ? સાંભળવાની રીતમાં ફેરફાર કરવાનો. ફેરફાર આ, કે આપણા કાનનું લક્ષ, જે સામો બોલતો હોય એના મોં પાસે એના શબ્દ પાસે લઈ જઈએ છીએ, કિન્તુ એમ નહિ. એથી ઉલટું એના શબ્દો આપણે કાનમાં ધારી ત્યાં જ આપણા કાનની અંદર એના પર લક્ષ કેન્દ્રિત કરવાનું. એટલે કે કાનને દૂર શબ્દ તરફ ન લઈ જતાં શબ્દને કાનમાં લાવવાના. શબ્દ ઉત્પન્ન થતાં ચારે બાજુના પ્રદેશમાં પ્રસરી જ જાય છે. એટલે એ પ્રદેશમાં આપણે હોઈએ તો આપણા કાનમાં પણ શબ્દ આવે જ છે. કિન્તુ આપણે કાનનું લક્ષ બહાર બોલનાર મોં તરફ લઈ જઈએ છીએ તે ન લઈ જતાં અંદરમાંના ઉત્પન્ન શબ્દ પર લગાવવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy