________________
૧૩ : આભ્યન્તર તપ ૫ : ધ્યાન
મન સારા વિષયમાં પકડાય, એ ધ્યાન, એ એક ઉત્તમ તપ છે. ધ્યાનના વિષયમાં આ ‘ધ્યાન શતક’ શાસ્ત્ર જૈન દર્શનની મૌલિક વાતો આપે છે. એમાં ધર્મ-શુકલ ધ્યાનમાં મન બરાબર પકડાય છે એનું અક્ષરના ધ્યાનમાં ય મન પકડાય છે.
જાપમાં મન કેમ પકડાય ? પ્રત્યેક અક્ષર પર ધ્યાન :
મન ‘પકડાયેલું’ એટલે સમજો છો ને ? ચિત્ત બંધઆંખે જાણે નજર સામે બરાબર એ અક્ષર વાંચે; એના હસ્વ દીર્ઘ ઇ-ઉ-કાનો માત્રા બરાબર જુએ. આંખ મીંચીને એક નમસ્કાર-મંત્ર બરાબર આ રીતે એક જ વાર ગણી જુઓને. અક્ષર-અક્ષર જુદો પાડીને જોજો; એટલે જણાશે કે મન એમાં કેવું પકડાય છે, અને બીજો કોઈ વિચાર જ નહિ. જોવાનું આમ ‘ન..મો..અ..રિ...હું...તા...ણં,...ન...મો..' બસ એ પ્રમાણે આંખ મીંચીને મનથી નજર સામે જોતા આવો, તે ઠેઠ છેલ્લા ‘મં..ગ..લં’ અક્ષર સુધી. પછી એમાં જુઓ કે મન કેવું પકડાયું. એમ એક વાર નવકાર ધાર્યા પછી ફરીથી તરત જ એ પ્રમાણે બીજી વાર શરુ કરો, મન બરાબર પકડાયેલું રહેશે. કોઈ બીજો વિચાર નહિ આવે. ત્યારે તમને લાગશે કે
પ્ર
પણ આમાં તો કેટલો બધો વખત લાગે ?
ઉ૦ - કિંતુ સમય બચાવીને શું કરવું છે ? કાં તો સાંસારિક અસત્ બાબતોનો બહુ રસ છે, એટલે આ ઝટ પતાવીને એમાં સમય જોઈએ છે, અથવા મનમાની રીતે બીજી સત્પ્રવૃત્તિ માટે સમય જોઈએ છે. તો ત્યાં એવા અસટ્ના રસ શા કામના? એ હોય ત્યાં મન સારામાં કયાંથી ચોંટવાનું ? ત્યારે સત્પ્રવૃત્તિ પણ મનમાની રીતે કરવી છે, તો એથી ય શો બહુ લાભ થવાનો ? માટે ધીરજ રાખો. ગણતરીના ૨૦૦૫૦૦ નવકાર ગણી કાઢવા છે. એ લોભ પણ રહેવા દો.
ભલેને બહુ ઓછી સંખ્યામાં નવકાર ગણાય, પરંતુ એમાં ઠરો, ડૂબો, તન્મય તરબોળ બની જાઓ. અનંતા કાળથી ભટકતા આવેલા ચિત્તને કયાંય સારામાં અલ્પ વાર પણ સ્થિર થવા દો.
એનો આ એક સરળ પ્રયોગ છે કે : સવારે જાગીને તરત પરમેષ્ટિ-નમસ્કાર કરી પછી એક જ નવકારજાપ, પણ અક્ષર અક્ષર છૂટા પાડીને, અને એ દરેક અક્ષર નજર સામે દેખાય એ રીતે બોલો યા ચિંતવો. એ રીતે કરવામાં મન પકડાશે, પરોવાઈ જશે. ત્યાં પછી બીજો કોઈ વિચાર નહિ સે. એમ એક ‘લોગસ્સ' યા એક ‘ઉવસગ્ગહરં' બોલી શકાય.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org