SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? શક્તિ ન હોય એને પણ તપના અનેક પ્રકાર, યોગોદ્દહન ને આચાર્યદિવૈયાવચ્ચ કરવાની શક્તિ હોઈ શકે છે, ને એના પણ લાભ અપરંપાર છે. લાભો કેવા ? (૧) વિશિષ્ટ તપથી અપૂર્વ કર્મક્ષય, (૨) સ્વેચ્છાકૃત વિશિષ્ટત્યાગ અને કાયકષ્ટથી અપૂર્વ સત્ત્વવૃદ્ધિ, (૩) વિશિષ્ટ વિનયથી અથાગ બહુમાન વૃદ્ધિ, (૪) આચાર્યાદિના વૈયાવચ્ચથી જબ્બર કર્મનિર્જરા અને એમના અલૌકિક ગુણોનું વૈયાવચ્ચમાં બીજાધાન, અપ્રતિપાતિ ગુણાનુવૃત્તિ અર્થાત્ ભવાન્તરે પણ વૈયાવચ્ચની સળંગ ધારા યાવત્ તીર્થંકરનામકર્મનું ઉપાર્જન, (૫) વિશિષ્ટ ધ્યાન-કાયોત્સર્ગથી આત્મસ્વરૂપરમણતા, (૬) યોગ-ઉપધાનથી ક્ષુતારાધના અને જિનાજ્ઞા-બહુમાનવૃદ્ધિ... વગેરે... વગેરે... આ બધા લાભો માટે વિશિષ્ટ ત્યાગ-તપ-કાયકષ્ટ-વિનય-વૈયાવચ્ચ-ધ્યાનકાયોત્સર્ગ વગેરે જ સાધવા જોઈએ. પણ જો આ બધું કરવાનું રોગાદિ પીડા છતે ન થઈ શકતું હોય, તો એ લાભો કયાં પામી શકે ? હાયવોય વિના રોગાદિ હિને એકલા બેસી રહેવા માત્રથી આ લાભો ન પમાય. માટે મુનિ રોગની દવા કરે છે, ને રોગ શમ્સે આ બધી સાધનામાં લાગી જઈ અપૂર્વ લાભો ઉપાર્જે છે. (૪) ગણરક્ષા :- એમ મુનિ જે મહાન આચાર્ય, ઉપાધ્યાય કે ગણાવચ્છેદકગણાનુવર્તક વગેરે હોઈ મુનિ-સમુદાયના સંયમ-જ્ઞાનાદિની સંભાળ કરનારા હોય, તો એના તો વળી અદ્ભુત લાભો છે. દા.ત. એ મુનિઓ જે જ્ઞાનાદિની સાધના કરે, ઉન્માર્ગથી બચે, આરાધક બની ઠેઠ મોક્ષ સુધીની સદ્ગતિની પરંપરા સર્જે, એમ એ મુનિઓ વળી જે બીજા મુનિઓને પકવી એમને આરાધક બનાવે, સદ્ગતિની પરંપરાના સર્જક બનાવે, એ વળી જે બીજાને એવા બનાવે,.. એમ જે શ્રમણ પરંપરા અવિચ્છિન્ન ચાલે, એથી જે લોકમાં પણ ધર્મસાધના ચાલે,.. આ બધાનાં નિમિત્ત બનવાનો લાભ કેટલો અદ્ભુત ! પરન્તુ જો એ ગણસંરક્ષક મુનિ તેવા રોગાદિની પીડામાં શરીર નરમ પડયા હોય તો આ મહાલાભદાયી ગણરક્ષા કયાંથી કરી શકે? પોતે હાયવોય વિના રોગાદિ શાંતિથી સહી લઈ આરાધક તો બન્યા પણ પોતાના જેવી ગણરક્ષા કરનાર બીજા કોઈ સમર્થ ન હોઈ એ ગણરક્ષા અટકવાથી, એ ગણનું શું ? આગળ સુવિહિત(આચારબદ્ધ)ની પરંપરા કયાં ? માટે, મુનિ ગણરક્ષાર્થે રોગાદિમાં દવા-ઉપચાર કરી લે. આ પરથી એ સૂચિત થાય છે કે (૧) રોગાદિ પીડામાં દવાદિ કરવાથી આર્તધ્યાન જ હોય એવો નિયમ નથી. જો ઉપરોકત જેવા ઉંચા ઉદ્દેશ હોય તો આર્તધ્યાન અટકી શકે છે. તેમજ (૨) જીવનને એવા ઉદ્દેશ રાખી મહાન લાભ કમાઈ લેવામાં સફળ કરી લેવું ઘટે છે. Jain Education International ૧૩૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy