SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૦) ધ્યાન અને જીવન લેવાતું વિશિષ્ટ ઉચું શ્રુતજ્ઞાન લેવાનું અટકી જાય. તે વળી ઉચ્ચજ્ઞાન બીજા મુનિ ગ્રહાગ કરી શકે એવાં ન હોય, અને આ બિમાર મુનિ રોગમાં ઠેઠ સુધી અશક્ત રઘે શ્રત પેલા વિદ્વાનના મૃત્યુની સાથે લુપ્ત થઈ જવાથી એની આગળ પરંપરા ન ચાલે તો ભાવી-શ્રમણ સંઘને એ શ્રુતની ખોટ રહે. ત્યારે રોગની દવા કરી લઈ સ્વસ્થ થયાથી એ નિરોગી બનેલ મુનિ શ્રત ગ્રહણ કરી શકે, અને પછી આગળ પોતાના શિષ્યને એ આપી શકવાથી એની પરંપરા ચાલી શકે. એથી ઘણાનું કલ્યાણ થાય. આ બધો લાભ એકલા રોગ સહી બેસી રહેવાથી ન થાય. (૨) અધ્યયન :- એમ, ભલે કોઈનામાં વિશિષ્ટ શ્રત લેવાની શક્તિ ન હોય, છતાં જે એ રોગમાં જ પડયો રહે તો પોતાનો મૃત સ્વાધ્યાય અને નવું નવું અધ્યયન રટીને ન કરી શકે. ત્યારે સિદ્ધયોગીની વાત ન્યારી કે એ રોગી છતાં એમની પાસે કેટલું બધું અગાધ શ્રુત છે કે એનું પારાયણ ચિન્તન કરવામાં પોતે મગ્ન રહી શકે. એ માટે એમને શ્રુતની ખોટ નથી. તેમજ સારા અભ્યસ્તયોગી હોવાથી ચિત્તમાં રોગનો વિકલ્પ આવવાને જગા નથી, નિર્બળતા નથી. પરંતુ યોગના અભ્યાસીને તો ભરચક શ્રુતમાં પરોવાયા રહેવાનું હજી કેળવવાનું છે. એ માટે હજી શ્રુતબળ અર્થાત્ ભરચક આગમશાસ્ત્રો રટેલાં તૈયાર જોઈએ. તેથી એ રટવાનું ને રોજ પુનરાવર્તન કર્યું જ જવાનું છે. આમાં પરોવાયા રહેવાથી, (ક) મનમાં રોગનો વિકલ્પ ઉઠવાને જગા ન રહે. તેમજ (ખ) નવું નવું જ્ઞાન મળ્યે જવાથી સંવેગ વૈરાગ્ય વધતો રહે, વળી (ગ) વિશેષ વિશેષ તત્ત્વદર્શન થતું રહે, (ઘ) એ આત્મામાં સહિષ્ણુતા-સમભાવાદિયોગબળ ધરાવતા રહે છે. શ્રુતનાં નવાં નવાં અધ્યયનપારાયાણનાં આ લાભ છે. એકલા રોગને સહી લઈ બેસી રહેવામાં શ્રુતસ્વાધ્યાય-અધ્યયન ન થઈ શકવાથી આ બધા લાભ કયાં પમાય ? ચિત્ત કલાકોના કલાકો, દિવસોના દિવસો, મહિનાનાં મહિના, ને વર્ષોના વર્ષો આગમશાસ્ત્રોમાં જ પરોવાયું રહી શકે. એમાં ય એવાં શાસ્ત્રોથી સૂક્ષ્મ બોધ વધતાં મન એમાં વિશેષ પકડાયું રહે, તો રોગાદિ અને શરીર સ્વસ્થતાદિના વિકલ્પ ન ઉઠે. અમારું મન સ્થિર નથી રહેતું” આ ફરિયાદ ટાળવાનો આ રામબાણ ઉપાય છે કે શાસ્ત્રના રટન-અધ્યયનમાં રચ્યા-પચ્યા રહેવું. એનાથી મન સ્થિર રહેવા સાથે ઉપરોકત લાભો પણ છે. મુનિ હાયવોય વિના રોગ સહી તો શકે છે. પણ એમ કરવા જતાં એવો ધીખતો વ્યુતવ્યવસાય અને એના ભરચક લાભ કયાંથી પામી શકે ? માટે એ રોગની દવા કરે છે. (૩) યોગ-ઉપધાન :- એવા શાસ્ત્રવિસ્તાર અને સૂક્ષ્મ પદાર્થના અધ્યયન કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy