________________
આજે ધ્યાન કેમ પસંદ પડે છે ?
૧૨૯
(૨) વેદનાથી ભોગવાય છે એટલા પાપકચરા સીલિકમાંથી ઓછા જ થાય છે. કચરો સાફ થાય એ તો દિવાળી, એમાં ખેદ શાને ?
(૩) રોગાદિ એ તો શરીર પુદ્ગલની ખરાબી છે, એમાં આત્માની નિર્મળ જ્ઞાનાદિ સંપત્તિને કશી હાનિ નથી. ઉલટું હાયહોય કરવામાં અશુભધ્યાનથી આત્મામાં ખરાબી પેસે છે...! એ તો જાતે પેસાડી તો જ પછી કર્મે ખરાબ કર્યું એના પર હવે હાથે કરીને જાતે ખરાબ શા માટે થવું ?
(૪) રોગાદિ પ્રતિકૂળમાં જ સત્ત્વ ખીલે છે; જે સત્ત્વ પર જે અંતે વીતરાગ બનાય છે. હાયવોયમાં સત્ત્વનો નાશ થાય છે. તો શા માટે એ કરવી ?
મુનિ દવા લે એમાં ચાર મહાન હેતુ :
પૂર્વે એ જોયું કે મુનિ રોગાદિમાં તત્ત્વચિન્તન-તત્વદષ્ટિ રાખી હાયવોય નથી કરતા. ત્યારે પ્રશ્ન થાય કે તો પછી મુનિ દવા શા માટે કરે છે ? શાસ્ર કહે છે, - काहं अछित्तिं, अदुवा अहिस्सं, तवोवहाणेसु य उज्जमिस्सं ।
गणं च नीतीं अणुसारवेस्सं, सालंबसेवी समुवेई मोक्खं ॥
અર્થાત્ ‘(૧) હું શાસન અને શ્રુતની પરંપરા અવિચ્છિન્ન વહેતી રાખીશ, અથવા (૨) હું સ્વાધ્યાયમાં લીન રહીશ. યા (૩) તપ-યોગ ઉપધાનનો ઉદ્યમ કરીશ, અથવા (૪) ‘મુનિગણની શાસ્ત્રનીતિ મુજબ સંભાળ કરીશ,' આવા કોઈ આલમ્બને (હેતુએ) જ દવાદિ અપવાદ માર્ગ સેવે એ પણ મોક્ષની નિકટ થાય છે.
આમાં ચાર આલમ્બન બતાવ્યા,
(૧) શાસન-શ્રુતનો-અવિચ્છેદ, (૩) તપ-ઉપધાન, અને
(૨) અધ્યયન, (૪) ગણરતા.
મુનિ આ ચાર આલમ્બન પૈકી કોઈ પણ એક આલંબનના હિસાબે દવા વિગેરે અપવાદ સેવે, તો એ મોક્ષના રસ્તા પર છે, મોક્ષ તરફ એનું આગે પ્રયાણ છે, પરન્તુ પીછેહટ નહિ.
મુનિને રોગ સહન કરવામાં જો વાંધો નથી, જો વેદનાની હાયવોય નથી, તો સહન જ કરી લે ને ? પણ ના,
સહન કરી લેવામાં જે કર્મનિર્જરા કર્મક્ષયનો લાભ છે, એના કરતાં શાસનશ્વેત ટકાવ, શ્રુતસ્વાધ્યાય, તપયોગાદિ સાધના, અને ગણરક્ષામાં વધુ કર્મનિર્જરા અને બીજા લાભો છે.
આ એટલા માટે કહેવાય છે કે રોગાદિ પીડા એવી છે કે જેમાં આ મહાન કાર્ય થઈ શકતા નથી, તે જો રોગ શમે તો જ થાય. દા.ત.
(૧) શ્રુત ટકાવ :- તાવ વગેરે ધીખતો હોય તો, અન્ય વિદ્વાન મુનિ પાસેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org