SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? ૧૨૯ (૨) વેદનાથી ભોગવાય છે એટલા પાપકચરા સીલિકમાંથી ઓછા જ થાય છે. કચરો સાફ થાય એ તો દિવાળી, એમાં ખેદ શાને ? (૩) રોગાદિ એ તો શરીર પુદ્ગલની ખરાબી છે, એમાં આત્માની નિર્મળ જ્ઞાનાદિ સંપત્તિને કશી હાનિ નથી. ઉલટું હાયહોય કરવામાં અશુભધ્યાનથી આત્મામાં ખરાબી પેસે છે...! એ તો જાતે પેસાડી તો જ પછી કર્મે ખરાબ કર્યું એના પર હવે હાથે કરીને જાતે ખરાબ શા માટે થવું ? (૪) રોગાદિ પ્રતિકૂળમાં જ સત્ત્વ ખીલે છે; જે સત્ત્વ પર જે અંતે વીતરાગ બનાય છે. હાયવોયમાં સત્ત્વનો નાશ થાય છે. તો શા માટે એ કરવી ? મુનિ દવા લે એમાં ચાર મહાન હેતુ : પૂર્વે એ જોયું કે મુનિ રોગાદિમાં તત્ત્વચિન્તન-તત્વદષ્ટિ રાખી હાયવોય નથી કરતા. ત્યારે પ્રશ્ન થાય કે તો પછી મુનિ દવા શા માટે કરે છે ? શાસ્ર કહે છે, - काहं अछित्तिं, अदुवा अहिस्सं, तवोवहाणेसु य उज्जमिस्सं । गणं च नीतीं अणुसारवेस्सं, सालंबसेवी समुवेई मोक्खं ॥ અર્થાત્ ‘(૧) હું શાસન અને શ્રુતની પરંપરા અવિચ્છિન્ન વહેતી રાખીશ, અથવા (૨) હું સ્વાધ્યાયમાં લીન રહીશ. યા (૩) તપ-યોગ ઉપધાનનો ઉદ્યમ કરીશ, અથવા (૪) ‘મુનિગણની શાસ્ત્રનીતિ મુજબ સંભાળ કરીશ,' આવા કોઈ આલમ્બને (હેતુએ) જ દવાદિ અપવાદ માર્ગ સેવે એ પણ મોક્ષની નિકટ થાય છે. આમાં ચાર આલમ્બન બતાવ્યા, (૧) શાસન-શ્રુતનો-અવિચ્છેદ, (૩) તપ-ઉપધાન, અને (૨) અધ્યયન, (૪) ગણરતા. મુનિ આ ચાર આલમ્બન પૈકી કોઈ પણ એક આલંબનના હિસાબે દવા વિગેરે અપવાદ સેવે, તો એ મોક્ષના રસ્તા પર છે, મોક્ષ તરફ એનું આગે પ્રયાણ છે, પરન્તુ પીછેહટ નહિ. મુનિને રોગ સહન કરવામાં જો વાંધો નથી, જો વેદનાની હાયવોય નથી, તો સહન જ કરી લે ને ? પણ ના, સહન કરી લેવામાં જે કર્મનિર્જરા કર્મક્ષયનો લાભ છે, એના કરતાં શાસનશ્વેત ટકાવ, શ્રુતસ્વાધ્યાય, તપયોગાદિ સાધના, અને ગણરક્ષામાં વધુ કર્મનિર્જરા અને બીજા લાભો છે. આ એટલા માટે કહેવાય છે કે રોગાદિ પીડા એવી છે કે જેમાં આ મહાન કાર્ય થઈ શકતા નથી, તે જો રોગ શમે તો જ થાય. દા.ત. (૧) શ્રુત ટકાવ :- તાવ વગેરે ધીખતો હોય તો, અન્ય વિદ્વાન મુનિ પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy