________________
(૧૨૮)
| ધ્યાન અને જીવન | એવું કાય-મમત્વ નડયું નહિ કે જે હાયવોય ને આર્તધ્યાન કરાવે. મરુભૂતિ મહાન ધર્માત્મા શ્રાવક ખરો, પણ પુણ્યવંત હોઈ સુખસાધનની સગવડવાળો, તેથી એ ભોગવતાં છૂપી સામાન્ય પણ કાયમમતા પોષાઈ હોય, જે મમતા અંતિમ સમયે એકાએક આવી પડેલી વેદનાના કાયકષ્ટ વખતે હાયવોય અને આર્તધ્યાન કરાવી ગઈ.
(૨) બીજું કારણ આ હોઈ શકે કે બન્નેને કટ આવ્યું ખરું, એકને ખોપરી ફાટી, બીજાને પેટ ફાટયું, પરંતુ મુરભૂતિને જે ગુનેગારની પણ પાસે ક્ષમા માગવા ગયો, એના તરફથી ખોપરી ભંગાઈ, તેથી હું ક્ષમા માગું છું, ને આ આમ કરે છે ? મારું માથું ફોડે છે ?' એમ સહેજે કચવાટ આવ્યો હોય, અહત્વ નડ્યું હોય કે “તું ભારે ગુનેગાર, અને હું તારા કટમાં સહેજ નિમિત્ત બનવાં રૂપે ગુનાવાળો બન્યો ખરો, પાગ આમ તો સદાચારી અને તેને રાજા પાસે સજા કરાવવા કશું કહેનારો ય નહિ, અરે ! એવું ચિંતવનારો ય નહિ. એવા મને તું આ કરે ?” આવી રીતે, મરભૂતિની સામે પીડા આપનારો કમઠ ચેતન જીવ હોઈ અભિમાન ઉઠયું હોય તેથી મન અશુભધ્યાનમાં પડી ગયું. ત્યારે પેલા નોકરને પીડા જડ લાકડાના ખૂટાથી આવી. એ જડની સામે અભિમાન જાગવા અવકાશ ન રહ્યો તેથી એ નિમિત્ત અશુભધ્યાન થતું અટકયું.
(૩) બાકી, ત્રીજું કારણ એ તો છે કે કાયા પર એકાએક આવી પડેલી વેદનામાં તત્કાલ હોય કે વોય ન થાય એવા જીવો જગતમાં વિરલ. એ હિસાબે મરૂભૂતિ ભૂલો પડે એમાં નવાઈ નથી. છતાં એજ પાછો પછીના હાથીના ભવે, એજ રાજા અરવિંદ જે અવિધજ્ઞાની મુનિ બનેલ એમનાથી બુજઝ બુજઝ મરૂભૂઈ !' ના અનેકવારના ઉબોધનથી પૂર્વજન્મનું સ્મરણ પામી પ્રતિબોધ પામ્યો, તો પછી સાવધાની એવી આવી કે આગળ જલચર સાપે એને જોરથી ગંડસ્થલમાં ડંસ માર્યો, મરાણની ઘોર પીડા આવી, છતાં તત્ત્વના ચિંતન પર એણે આર્તધ્યાન ન કરતાં શુભધ્યાન રાખ્યું, ને એ મરીને દેવ થયો.
આ પરથી સમજાય એવું છે કે-વેદનામાં હાયવોય જ થાય એવું નથી. તત્ત્વદષ્ટિ જ્ઞાનદષ્ટિ તત્ત્વચિંતન એ હાયવોય અટકાવી શકે છે.. !
હાયવોય અટકાવવા શું વિચારવું ? તત્ત્વદૃષ્ટિમાં શું આવે ? :
એટલા જ માટે મુનિઓ રોગાદિ પીડામાં તત્ત્વચિંતન તત્વદષ્ટિ રાખી હાયહોયઆર્તધ્યાનથી બચી શકે છે ...!
તત્વદષ્ટિ આ, કે (૧) પૂવે બાંધેલાં કર્મ તપથી નષ્ટ ન કર્યો તો ભોગવવા જ પડે છે. પછી વ્યર્થ હાયહોય શા માટે કરવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org