SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ [ આજે ધ્યાન કેમ પસંદ પડે છે? | ( ૧૨૭) ત્યારે સુદર્શન શેઠનો જીવ પૂર્વભવે એ જ ઘરમાં ઢોર ચરાવી આવનાર નોકર. એને મહાત્મા પાસેથી. ‘નમો અરિહંતાણં' પદ સાંભળવા મળેલ, અને ખૂબ શ્રદ્ધાથી રટાણા કરવાનો જ માત્ર ધર્મ સાધેલો. પરંતુ એકવાર નદીના પેલે પાર ચરવા ગયેલા ઢોરોને સંભાળવા માટે વચમાં આવી ગયેલા નદીના પૂરમાંથી તરી પેલે પાર જવા જ્યાં એણે નદીમાં ઝંપલાવ્યું ત્યાં જ એકાએક નદીની અંદર ખેંચેલો લાકડાનો ઉભો ખૂટો એનું પેટ ફાડી અંદર પેસી ગયો... ! ત્યાં વેદનાનું આર્તધ્યાન ન કરતાં “નમો અરિહંતાણં' ની એ રટાગા રાખી રહ્યો, તો મરી એજ ઘરના શેઠ અર્હદાસનો પુત્ર સુદર્શન થયો. એ સુદર્શન કેવો ? મહાસદાચારી, રાગી અભયાના એકાંતમાં ભોગાથે ઉપદ્રવમાં ભારે બ્રહ્મચારી, રાણીને માર ન પડે એ માટે જ પોતાની ઉપર રાણીએ ચડાવેલ ખોટા આરોપનો રાજા આગળ પોતે ખુલાસો ન કરવાના સત્ત્વવાળો યાવત શૂલિની સજાને વધાવી લેવાના તથા ઠેઠ શૂળિએ ચડી જવાના મહાસત્ત્વવાળો ! બન્ને વચ્ચે કેવું અંતર ! અંતે વેદના બન્નેને એકાએક આવી. પણ આગાઢ અને નવકાર-પ્રથમપદની જ સાધનાવાળો પાગ અંતસમયે મરાગાંત વેદનામાં સત્ત્વપૂર્વક આર્તધ્યાન રોકી ‘નમો અરિહંતાણં' પદમાં લીન બનનારો નોકર સુદર્શનનો અવતાર અને એમાં આટલા ઉંચા સત્ત્વ સુધી પહોંઓ ! ત્યારે મરુભૂતિ વર્ષોના મહાન ધર્માત્મા અંત સમયે સત્વહીન બની મરણાંત વેદનાના આર્તધ્યાનમાં પડયો, તો જંગલી તોફાની હાથીનો અવતાર પામ્યો !. - આ પરથી એ નથી વિચારવાનું કે “તો પછી જો અંતે આર્તધ્યાન આવતું હોય તો જીવનભરની સાધનાનો શો અર્થ ?' સાધનાનો અર્થ છે. પેલા નોકરે જીવનમાં “નમો અરિહંતાણં' પદની ખૂબ રટણા કરેલી, તેથી જ અંતે એ રટણા પેટ ચિરાઈ જવાની ભયંકર વેદના વખતે ય આવીને ઉભી રહી. જીવનમાં જો એની ખુબ રટણારૂપી સાધના ન હોત, તો અંતે એ કયાંથી યાદ આવત ? પ્રશ્ન થાય, મરૂભૂતિ ભૂલ્યો કયા કારણે ? પ્ર૦ - તો મરુભૂતિને તો જીવનમાં નવકારની રટણા ઉપરાંત બીજા ય ઘણા સત્કાયનો સારો અભ્યાસ હતો તો એને કેમ અંતે એની રટાગા ન આવી ? ને પેલા નોકરને પીડા એવી જ ભયંકર છતાં નવકાર પ્રથમપદની રટણા આવી ? ઉ૦ - બન્નેના સંયોગો પરથી અંતિમ સ્થિતિમાં બન્ને વચ્ચે પડેલા ફરકમાં આ કારાણનું અનુમાન થઈ શકે. (૧) સુદર્શન શેઠના જીવ નોકરને “નમો અરિહંતાણં' પદની રટણા એવી લાગેલી કે એમાં, એને ઢોરો ચરાવનારા નોકરપણાની ગરીબ સ્થિતિને લીધે કાયાનાં સુખસાધનોમાં મહાલવાની મમતા નહોતી, તેથી અકસ્માત જાગેલા મરણાંત કષ્ટમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy