SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨૬) ધ્યાન અને જીવન અણધારી પળે આર્તધ્યાનમાં ફસાઈ પડે, ને શુભધ્યાનને ગુમાવે, ત્યારે મનની કેવી નાજુક સ્થિતિ ! તેમ આર્તધ્યાનની હયાતીમાં શુભધ્યાનના કેવા ફાંફા? ત્યારે વિચારવા જેવું છે કે જેને એકલો ધ્યાનમાર્ગ પસંદ પડે છે, અને ધર્મમાં પૈસા ખરચવાના અખાડા કરવા છે, કાયાને કષ્ટ આપવાના વાંધા છે, થોડા પણ ખાનપાન છોડી તપ કરવો હરામ છે, વેપારધંધામાં પાકું લક્ષ છે, બીજી મોજમજાહ ખપે છે, એ સહેજે એના આર્તધ્યાનમાં ફસેલો હોય, એ શુભધ્યાન શું કરશે ? એટલે શુભધ્યાન લાવવું હોય, ધ્યાન સાધના કરવી હોય, તો પહેલું આ જરૂરી છે કે આર્તધ્યાન અટકાવવું જોઈએ. એ અટકાવવા એનાં કારણો ઓછો કરવા અત્યંત જરૂરી છે. કારણો એ જ, અત્યંત ધનરાગ, વિષયરાગ, બહુ આરંભ સમારંભ. વગેરે. પૂણિયા શ્રાવકે આર્તધ્યાન રોકવા શું કર્યું? કહે છે પુણિયો શ્રાવક પહેલાં પૂરણચંદ શેઠ હતો, સારો ધાર્મિક ક્રિયાચિ જીવ. સાધુને કહે “સાહેબ ! બધું કરું છું, પરંતુ મન એમાં સ્થિર નથી રહેતું આડા અવળા વિચારો બહુ આવે છે. શું કરું ?' સાધુ કહે “જીવનમાં ધન-વિષય-આરંભસમારંભાદિની બહુ લપ રાખવાથી મન પર એના ભાર, એનાં આકર્ષણ રહે છે. તેથી મન એમાં તણાઈ જઈ એના વિચારો ને આર્તધ્યાન કરે છે. એ લ૫ ઓછી કર્યા વિના આર્તધ્યાન અને ફજુલ પાપવિચારો ઓછા નહિ થાય.” શ્રાવકને વાત ગળે ઉતરી, એણે જોયુ કે પૈસા સારા રાખ્યા છે, ને એ મહત્વનાં માન્યાં છે, માટે જ બીજાના પૈસાનો જ વિચાર આવે છે. એવું બીજી જડ બાબતોમાં. માટે હવે તો આ પૈસા વગેરે જડની લપ જ કાઢી નાખ્યું. “બસ મોટું મકાન સુદ્ધાં બધું ધર્માર્થ કરી દઈ, નાના ભાડુતી મકાનમાં રહી રૂની પુણિયો વાણી રોજના ૧ર દોકડા કમાવવાનું અને એના પર જ જીવન જીવવાનું રાખ્યું. માટે નામ પુણિયો શ્રાવક પ્રસિદ્ધ થયું. હવે આર્તધ્યાનમાં ઘણાં કારણો છૂટી જવાથી આર્તધ્યાન બંધ જેવું થઈ ગયું. તેથી સ્થિર મનથી સામાયિક અને શુભધ્યાન એવાં સારા ચાલવા લાગ્યાં કે પ્રભુએ એને પ્રશસ્યો. વાત આ છે, - બાન પસંદ પડે છે, પણ આર્તધ્યાન અને એનાં કારણ ઓછા કરવાની તત્પરતા છે ? નકર અને મરુભૂતિ વચ્ચે અંતર : પાર્શ્વનાથ ભગાનનો જીવ પ્રથમભવમાં મરુભૂતિ શ્રાવક વર્ષોનો ધર્મસાધક અને શુભધ્યાનનો અભ્યાસી તેમજ પોતે નિર્દોષ છતાંય કમઠની ક્ષમા માગવા ગયેલો, તો પણ દ્રષિલા ભાઈ કમઠે એના માથે શિલા મારતાં એણે શુભધ્યાન ગુમાવ્યું. વેદનાના આર્તધ્યાનમાં પડયો ને મરીને જંગલનો તોફાની હાથી થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy