________________
આજે ધ્યાન કેમ પસંદ પડે છે ?
૧૨૫
એકજ છે, તેથી એ જે આર્તધ્યાનમાં પરોવાયું, તો શુભધ્યાનમાં નહિ પરોવાઈ શકે -આ બરાબર ખ્યાલમાં રાખી પહેલી જરૂરિયાત નાજુક મનને ખૂબ સાચવવા જેવું છે, કે રખેને એ આર્તધ્યાનમાં પડી ન જાય... !
મહાન સાધકોએ પણ જો મન નાજુક છે આ ખ્યાલ ગુમાવ્યો તો જીવનભરની શુભધ્યાનની સાધના છતાં કોઈ અણધારી પળે એમનું નાજુક મન આર્તધ્યાનમાં ઘસડાઈ ગયું. અને એ એમને એકવાર તો તિર્યંચગતિમાં તાણી ગયું.
પાર્શ્વનાથ ભગવાનનો જીવ પહેલા ભવમાં મરુભૂતિ એ મહાન શ્રાવકધર્મની સાધના કરનારો હતો. બ્રાહ્મણ કુલમાં જનમવા છતાં એને પાછળથી જૈનધર્મ નવો મળેલો, એટલે એની હૈયે ભારે કદર હતી, અને તેથી જ શ્રાવકના ઉંચા આચારવિચાર અને વ્રતનિયમોની સુંદર આરાધના કરતો એમાં શુભ ધ્યાન વારંવાર રહ્યા કરતુ. એનોજ એક પ્રભાવ એવો પડયો કે પોતાની જ સ્ત્રી સાથે કુકર્મ કરનાર પોતાના ભાઈ કમઠને રાજા શિખામણ આપે એ માટે મરુભૂતિએ રાજાને વિનંતિ કરી. રાજાએ શિખામણ આપવા જતાં કમઠે ઉદ્ધતાઈ બતાવી, તો રાજા એને નગર બહાર વનમાં કઢાવી મૂકયો, કમઠ બહાર વનમાં તાપસ થયો... !
આચારપાલન દ્વારા સધાતા શુભધ્યાન-શુભભાવનાનો પ્રભાવ જુઓ કે આમાં મુરભૂતિનો જરાયે વાંક ન હતો છતાં એના મનને લાગ્યું કે ‘“અરે ! મેં આ રાજાને કહ્યું અને રાજાએ કમઠને નગર બહાર કઢાવ્યો, ને કમઠ કષ્ટમાં પડયો તેથી એના કષ્ટમાં હું નિમિત્ત બન્યો. માટે હું એની ક્ષમા માગી લઉં. ક્ષમા ન માગું તો મારા દિલમાં ઉપશમ ન રહે, શલ્ય રહી જાય, ને તેથી મારો પરલોક બગડી જાય.’’ કેવી સુંદર શુભ વિચારસરણી !
કમઠ અયોગ્ય હતો એટલે રાજાએ એની પાસે જવા સલાહ ન આપી. છતાં પાપના અત્યંત ભયવાળો મરુભૂતિ ગયો કમઠ પાસે ક્ષમા માગવા. જ્યાં એ કમઠના પગમાં પડી ક્ષમા માગે છે ત્યાં કમઠે મોટી પત્થરની શિલા ઉઠાવી મરુભૂતિના મસ્તક પર ઠોકી. માથું ફૂટયું અને મરુભૂતિને મરવાની ઘડી આવી. અહીં કસોટીનો કાળ હતો, નાજુક મનને સાચવવાનું હતું. પરંતુ વર્ષોનો સારો ધર્મસાધક અને શુભધ્યાનનો ખપી મરુભૂતિ અહીં ભૂલો પડી ગયો. ખોપરી ફૂટવાની ભયંકર વેદનામાં એ વિશ્વલ થઈ ગયો. હવે તો મરવાને ક્ષણવારનો સાદો હતો, છતાં એટલામાં વેદનાનો હાયકારો આવ્યો, વેદનાનું આર્તધ્યાન લાગ્યું, ને શુભધ્યાનને જગા જ ન રહી. મરુભૂતિ આ આર્તધ્યાનમાં મરી વિંધ્યાચલની અટવીમાં હાથણીના પેટમાં હાથી તરીકે ઉત્પન્ન થયો.
તીર્થંકરનો જીવ, તેય સમ્યગ્દર્શન પામેલો અને વર્ષોસુધી ઉત્તમ વ્રત-નિયમોથી સુશોભિત શ્રાવકજીવન જીવનારો તેમજ શુભધ્યાનના સારા અભ્યાસવાળો, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org