SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૨૪ કાઉસ્સગ્ગની મહા ધર્મક્રિયા કેમ કરતા ? ચારિત્રજીવનમાંય બીજા સાથે વાતચીત સરખી નહિ એવી બાહ્ય-ભાવથી નિવૃત્તિ કેમ લીધી ? એમ ઘોર ચામડાતોડ ઉપસર્ગો કરનારા ઉપર પણ મહા ક્ષમા, મહા કરુણા, મહા નિરભિમાનિતા, એક વસ્ત્રનો ય સંગ્રહ નહિ એવી મહા નિર્લોભતા, શરીર ચળ આવ્યે ખણવાનુંય નહીં એવો મહા સંયમ, ઈન્દ્રાણીઓ સામે મટકુંય નહીં ને એનો મનમાં વિચાર સરખો નહિં એવું મહા બ્રહ્મચર્ય, આ બધું પ્રભુએ કેમ સાધ્યું ? ખાધ્યપીધ્યે દિવાળી, દુશ્મનને ડામ અને શરીરે સુખશીલતા રાખી એકલા ધ્યાનથી કેમ ન પતાવ્યું ? પ્રભુએ બધી મહાસાધનાઓ કરી એ સૂચવે છે કે એ બધાની જરૂર છે. એકલા ધ્યાનથી ન પતે. તો આ બધું ઉપદેશનારાં જિનવચન જગતમાં કેવાં અનન્ય અને સર્વતોમુખી ટીવાળાં વચનરત્ન !' આ શ્રદ્ધા પહેલી જોઈએ. આ શ્રદ્ધા હોય અને વારંવાર જિનવચનનાં મહત્ત્વનું તન્મય ચિંતન થાય એ પણ ધર્મધ્યાનનો પહેલો પ્રકાર આજ વિષય તરફ લઈ જાય છે. તો પછી મનમાન્યા એકલા ધ્યાન કરતાં આ શ્રદ્ધાયુક્ત જિનવચનનું ધ્યાન શું ખોટું ? આમ છતાં એટલું ખ્યાલમાં રહે કે શુભધ્યાન માટે જીવનમાં આર્તધ્યાનથી બહુ બચવાની જરૂર છે. નહિતર મનમાં આર્તધ્યાન આવતાં શુભધ્યાન ઊભું નહિ રહે. આર્તધ્યાનથી બચવા માટે આર્તધ્યાનને લાવનારા, પૂર્વે કહ્યા તે અનહદ ધનરાગ, વિષયરાગ, નિરંકુશ ખાનપાન, કાયાની સુખ-શીલતા, વેપારાદિની રમણતા વગેરે પર કાપ મૂકવાની જરૂર છે. નહિતર જો એ બધા સલામત, તો આર્તધ્યાન સલામત રહેવાનાં, કેમકે આર્તધ્યાન એ બધી પીડાનું જ ધ્યાન છે. ત્યારે આર્તધ્યાનનાં એ કારણોથી બચવા માટે ધનત્યાગ-વિષયત્યાગ અર્થાત્ દાન અને શીલ-વ્રત નિયમો તથા સંયમ, એમ વિવિધ તપ, ધર્મસાધનાની કાયકષ્ટિ, શાસ્ત્રસ્વાધ્યાય-સામાયિકાદિમાં બહુ પ્રવૃત્તિ, બિનજરૂરી બોલવાનો પણ ત્યાગ કરી મૌન, એમ ક્ષમાદિ ગુણો વગેરે સાધતા રહેવાની જરૂર છે. નહિતર ધન-વિષયાદિ સંસાર જ ચલાવે રાખ્યે આર્તધ્યાન ડગલે ને પગલે સુલભ થવાનું. તાત્પર્ય, શુભધ્યાન કરવું છે ? તો જિનવચન-રાગ ખૂબ કેળવો, આર્તધ્યાનથી બચો, આર્તધ્યાનનાં કારણોથી બચો. એ બચવા માટે દાનાદિ ધર્મ, ધર્મક્રિયાઓ, ક્ષમાદિ ગુણો વગેરે સાધતા રહો. એના પ્રતિપક્ષી ધનરાગ વિષયરાગ, આરંભસમારંભ, કાયસુખશીલતા તથા કામ-ક્રોધાદિ કષાયોને અત્યંત હાનિકારક અને એ ત્યાજ્ય માનતા રહો, જેથી દાનાદિ વિના ચાલે એવું જરાય મનમાં ન આવે. આર્તધ્યાનની હયાતિમાં શુભધ્યાનના ફાંફા : ન આર્તધ્યાન હયાત હોય ત્યાં ધર્મધ્યાન-શુભધ્યાન ઊભું ન રહે. આપણી પાસે મન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy