SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? ૧૨૩ (૩) મિથ્યાત્વ હટાવવા માટે આ ચોક્કસ માનવું જોઈએ કે (ક) આ ચારેય શુભસાધનાઓ વિના ન જ ચાલે. (ખ) સાધનાઓના વિરોધી ધનપ્રેમ, વિષયરાગ, નિરંકુશ ખાનપાન, અને અશુભ સંકલ્પ વિકલ્પો તથા વિકથા કુથલીઓ; તેમજ જગતનું બહુ જોવાના રસથી ડાફોળિયાં, અને જ્યાં ત્યાં આંખ નાખવી, વગેરે ગોઝારા છે, અકર્તવ્ય છે. તેમજ (ગ) કાયાની સુખશીલતા, વેપાર આદિમાં રમણતા, અને કામ ક્રોધ લોભાદિ કષાયોના આવેશ, એ મહાઆત્મઘાતક છે. એવી દૃઢ માન્યતા જોઈએ. પૂર્ણ જિનવચન-રાગ છે એટલે જિનવચને કહેલ ‘એકલું ધ્યાન નહિ પણ એ પહેલાં (૧) દાનાદિ ધર્મ, (૨) સામાયિક જિનભકિત, શાસ્ત્રસ્વાધ્યાય આદિ ધર્મક્રિયા, (૩) વેપારાદિથી નિવૃત્તિ, તથા (૪) ‘ક્ષમાદિ ગુણો અત્યંત જરૂરી છે,’ એમ લાગશે. જિનવચન-રાગથી આ બધા ઉપર પણ અનહદ રાગ રહેશે. પછી મનને એમ નહિ આવે કે ‘આ બધાની શી મહત્તા છે ? મહત્તા ધ્યાનની છે, માટે આપણે ધ્યાન કરો.' ના, આ વિચાર તો જિનવચનની અશ્રદ્ધાના ઘરનો છે. એટલે એવી અશ્રદ્ધા કેમ કરાય છે ? જે ‘ધ્યાન એ તારક છે,' એવી ખબર જિનવચનથી પડી એટલે જ ધ્યાન કરવાનું મન થાય છે, તો પછી ‘જિનવચનનું કહેલું એક માન્ય, અને બીજું માન્ય નહિ,’ એવું કેમ કરાય ? એટલે, પહેલું શુભધ્યાન તો આ જ વારંવાર કરવું જોઈએ કે ‘અહો! કેવા અનંત કલ્યાણકર જિનવચન ! કેવાં અનંતજીવોને અભયદાન-દેવરાવનારા જિનવચન ! કેવાં અનંતાજીવોના ઉધ્ધારક જિનવચન ! જિનેશ્વર અરિહંત તીર્થંકર પણ બન્યા એ જેના આધારે, એ જિનવચન કેટલાં ઊંચા મહત્ત્વનાં ? આમ માનવને મહામાનવ મહાત્મામાનવ યાવત્ લોકોત્તર પુરુષ બનાવનારાં કેવાં ચમત્કારિક જિનવચન ! જિનવચને એ અનંત કલ્યાણ સધાવ્યા, અનંતા જીવોને અભયદાન દેવરાવ્યા, અનંતાના ઉદ્ધાર કર્યા અને લોકોત્તર પુરુષ પરમાત્મા બનાવ્યા, એ બધું જિનવચને એકલું ધ્યાન કરાવીને નહિ, પણ ભરચક દાનાદિ ધર્મ, ધર્મક્રિયાઓ, વેપારાદિત્યાગ પૂર્વક આત્મગવેષણા અને ક્ષમાદિ ગુણસાધના કરાવીને કર્યું. જુઓને પ્રભુશ્રી મહાવીર ભગવાને છેલ્લા ભવમાં પણ આ બધું કાં ઓછું સાધ્યું છે ! નહિતર એમને ઘરમાં બેસી રહી અમન ચમન ઉડાવતાં અને વૈભવાદિમાં મહાલતાં ધ્યાન કરવાનું નહોતું આવડતું ? તો કેમ એમ ન કર્યું ? અને વર્ષીદાન રૂપ મહાદાન, ભીષ્મ મહાવ્રતરૂપી મહાશીલ, એમાં વળી ૧૨ વર્ષમાં ૧૧।। વર્ષ જેટલા ચોવિહાર ઉપવાસના મહાતપ, ઘોર પરિસહ ઉપસર્ગોમાં પણ તત્ત્વચિંતનરૂપી મહાભાવનાના ધર્મ કેમ સાધ્યા? રોજ લગભગ એકવીસ કલાક ખડા ખડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy