SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? ૧૨૧ સ્વેચ્છાએ કશું ઓછું કરવાનું નહિ, કરવાની જરૂરજ લાગતી નથી. ‘એ ભારે આસકિત મમતા હોવા છતાં ધ્યાન કરી શકાય છે.' એવી એમાં માન્યતા છે. વળી એ પૈસા વગેરે સલામત રખાય, એમાં કશું ખોટું જ લાગતું નથી. પરંતુ આ હિસાબ ખોટો છે, એનું કારણ. (૧) જિનાજ્ઞાની ઉપેક્ષા એ પહેલી મોટી ભૂલ : પહેલી વાત તો એ છે કે દાન-શીલ-તપ-ભાવના એ ચાર પ્રકારનો ધર્મ ભગવાન શ્રી તીર્થંકરદેવોએ ફરમાવ્યો છે, અને તે આત્માને સંસારથી છૂટી મોક્ષ પામવા માટે અત્યંત જરૂરી બતાવ્યો છે. જ્યારે ‘એ દાનાદિ વિના ચાલે' એનો તે અર્થ એ થયો કે એ જિનોક્ત દાનાદિની દિલમાં ઉપેક્ષા છે, એટલે કે શ્રી તીર્થંકર ભગવાનનાં વચનની ઉપેક્ષા છે. જ્યાં જિનવચનની ઉપેક્ષા અવગણના-બેપરવાઈ હોય, ત્યાં ગમે તેવું કલાકો-દિવસો-મહિનાઓ કે વર્ષોનું પણ ધ્યાન ધર્મરૂપ ન બની શકે. ધમ્મો આણાએ પડિબદ્ધો’ ધર્મ વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થંકરભગવાનના વચનથી આજ્ઞામાં બંધાયેલો છે. એટલે એમની બધી તો શું, કિન્તુ એક પણ આજ્ઞાની ઉપેક્ષા-બેપરવા કરવામાં સર્વેસર્વા આજ્ઞા-પ્રતિબધ્ધતા રહે નહિ, તેથી ગમે તેવી ધ્યાનસાધના ધર્મરૂપ ન બની શકે. અલબત દાન-શીલ-તપ વગેરે ઓછું આરાધાય એમ બને, કિન્તુ ન બની શકવાની ય ઉપેક્ષા થાય એ ન ચાલે. મન કહે, ‘કમનસીબ છું, પામર છું, કે જોઈએ તેવા દાનાદિ નથી સાધી શકતો. બાકી એ સાધવા માટેની પ્રભુની આજ્ઞા બરાબર જ છે. કયારે એવો ધન્ય દિવસ આવે કે જિનાજ્ઞાને સંપૂર્ણ અમલમાં મૂકું, ને ઉત્કૃષ્ટ કોટિનાં દાનાદિ ધર્મ સાધું.' એકલા ધ્યાનની પસંદગીમાં આવો મનનો ભાવ રહેતો નથી; ઉલ્ટું ધ્યાનથી જ મોક્ષ માન્યો, દાનાદિની જરૂર નહિ માની, એટલે અંતર્ગત રીતે દાનાદિની ઉપેક્ષા આવી, ને એમાં જિનાજ્ઞાની ઉપેક્ષા થઈ, જિનાજ્ઞાની ઉપરવટ થવા જેવું થયું, ગર્ભિત રીતે મનમાં આ બેઠું કે ‘જિનાજ્ઞા ભલે દાનાદિ ધર્મ સાધવાનું ફરમાવે, પરંતુ એવું કાંઈ નહિ, એ વિના જ ધ્યાનથી મોક્ષ થઈ શકે છે’ આમ એકલા ધ્યાનની પસંદગી પાછળનો હિસાબ ખોટો છે. જિનાજ્ઞાની ઉપેક્ષા અને ઉપરવટતામાં ધર્મ કે મોક્ષસાધના હોઈ શકે જ નહિ. (૨) આર્તધ્યાન અને મિથ્યાત્વ એ બીજી ભૂલ : હિસાબ બીજી રીતે પણ ખોટો હોવાનું કારણ એ છે, કે પૈસા, વિષયોપભોગ અને ખાનપાન તથા કાયાની સુખશીલતા વગેરે સલામત રાખવાની હોંશ રહી, અને એમાં કશું ખોટું કે પાપરૂપ લાગ્યું નહિ, એટલે એમાં આર્તધ્યાન અને મિથ્યાત્વ ઘર કરી રહેવાનાં. કેમકે, ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy