________________
(૨૦)
ધ્યાન અને જીવન પ્ર૦ - તો નવકારવાળીમાં ચિત્તને નવકાર વગેરેનો જાપ તો પકડાવીએ છીએ; છતાં ત્યાં બીજા વિચાર કેમ આવે છે ?
ઉ૦ - ચિત્ત બરાબર પકડાય જ કયાં છે ? ચિત્ત જો જાપના અક્ષર અક્ષર પર બરાબર પકડાયેલું રખાય તો બીજા વિચાર નહિ આવે.
૧૨ : આજે ધ્યાન કેમ પસંદ પડે છે? મન સારા વિષયમાં પકડાય એ ધ્યાન. એ એક ઉત્તમ તપ છે. ધ્યાનના વિષયમાં આ ધ્યાનશતક' શાસ્ત્ર જૈન દર્શનની મૌલિક વાતો બતાવે છે. આ વાતોની જેમ ખબર નથી હોતી એ એ રીતે શુભ ધ્યાનનો આશ્રય ન લેતાં એમ જ ધ્યાન એ જ ખરી સાધના છે' એવા અભિનિવેશથી ઊંધા માર્ગે દોરવાય છે. ત્યારે એ વિચારણીય થઈ પડે છે કે ખરેખર ધ્યાન માર્ગ શો હોઈ શકે ?
આ માટે પહેલાં એ વિચારવું પડે કે આજના ઉપરોકત અભિનિવેશવાળાને ધ્યાન કેમ પસંદ પડે છે ? તથા એમાં એમની ગણતરી કેવી ભૂલ ભરેલી છે ? આજે ધ્યાન કેમ પસંદ પડે છે ? :
ધ્યાનનો વિષય માણસને બહુ પ્રિય પડી જાય છે. કેમકે એમાં એક તો એમ લાગે છે કે “આ મનથી સાધવાની વસ્તુ છે, એટલે આમાં કશું બીજું કષ્ટ નહિ; નહિ પૈસા ખરચવાના, નહિ શીલ-વ્રત-નિયમ પાળવાના, કે નહિ કોઈ તપસ્યા કરવાની. વળી ન કોઈ ત્યાગ કરવો પડે, યા ન કશી ક્રિયા કરવી પડે. ધન-વિષયોપભોગખાનપાન-આરામી વગેરે બધું સલામત રહે, ક્રિયાનું કાયકષ્ટ નહિ, વેપારધંધાને આંચ આવે નહિ, ને મનથી ધ્યાન કરી શકાય.” એક તો આમ લાગે ને;
(૨) બીજું એમ લાગે છે કે છેવટે તો “મન એવ મનુષાણાં કારણું બંધમોક્ષયો:” મન પર જ બંધ-મોક્ષનો આધાર છે. ધ્યાનથી મન કારમાં, હકારમાં કે પરમાત્મામાં લગાડી દઈએ એટલે પાપનો થોક નાશ પામી જાય. શાસ્ત્રમાં કહ્યું છે કે એક ક્ષણ પણ મન પરમાત્મામાં લય પામી જાય, તો બેડો પાર થઈ જાય.' આમ હિસાબ માંડવાથી માણસને ધ્યાન બહુ પસંદ પડી જાય છે. હવે જોવાનું એ છે કે આ હિસાબ અને પસંદગી બરાબર છે કે નહિ? ધ્યાન માટે આ હિસાબ ખોટો.
આ હિસાબમાં સ્પષ્ટ દેખાય છે કે (૧) દાન, શીલ, તપ, આચાર, ધર્મકિયા અને ત્યાગ, આ બધા વિના ચાલે એવો દિલમાં ભાવ છે. “ચાલે એટલે કે એ પવિત્ર સાધનાની ઉપેક્ષા છે. (૨) એની સામે પૈસા-વિયોપભોગ-ખાનપાન, કાયાની સુખશીલતા તથા ધંધાવેપાર આદિની એવી ભારે તૃષણા-મમતા આસકિત છે કે એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org