SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી કલ્પક ૧૧૯ તે શું એમજ જોડાશે ? જડ રૂપી પુદ્ગલો પર પ્રેમ-આસ્થા-આશ્વાસન એટલા ને એટલા ઊભા રાખવા છે, ને અંતરાત્મા-પરમાત્મા સાથે તાર જોડવા છે, બે વાત નહિ બને. રૂપીની આસ્થા ને હુંફ પડતા મૂકી અરૂપીનો પ્રેમ-આસ્થા વધારવા જોઈએ. એ આસ્થામાં એનું અરૂપીપણું બહું ગમે, એની નિર્વિકાર દશા બહુ ગમે. અધ્યાત્મયોગ યાને શ્રદ્ધા અને વૈરાગ્ય સાથેનું તત્ત્વચિંતન દિલને સાબદું (જાગતું) અને કૂણું તથા સીધી લાઈનનું કરી આપે છે. સર્વજ્ઞ ભગવાને જીવ અજીવ આદિ તત્ત્વોનું સ્વરૂપ જ એવું કહ્યું છે કે એને જેમ વિસ્તારથી ચિંતવતા જઈએ તેમ તેમ આત્મા સાબદો થતો જાય, શુદ્ધ સ્વરૂપની દિશામાં પ્રયાણ કરતો રહે; અને આત્માના કેઈ દોષો ધક્કે ચડે, રવાના થતા જાય, ઘસાતા જાય. જીવાદિતત્ત્વ-ચિંતનમાં આત્માના નિર્વિકાર અરૂપી શુદ્ધ સ્વરૂપની જેમ જેમ મમતા વધતી જાય, તેમ તેમ દોષોની પકડ દોષોનું જોર ઘટતું આવે. તત્ત્વચિંતનથી કેવી ગુણવૃદ્ધિ ? : ધર્મી જીવન જીવીને આ જ કરવાનું છે કે અંતરમાં જામ થઈ ગયેલા મિથ્યામતિ, સંસારરસ, અને વિષય-રાગ, મદ, માયા અને ઈર્ષ્યા, દેહાધ્યાસ અને હિંસાદિ પાપવૃત્તિ વગેરે દોષો ઘસાતા આવે. એથી જ ઉપર ઉપરના ગુણસ્થાનકની પરિણતિ જાગતી જાય છે. તો જેમ જેમ શ્રદ્દાપૂર્વક તત્ત્વના વિસ્તારનું ચિંતન વધતું જાય, તેમ તેમ સર્વજ્ઞવચન-શ્રદ્ધા, મોક્ષપ્રીતિ, વિષયવૈરાગ્ય, મૈત્રી-પ્રમોદ-કરુણા, લઘુતાસરળતા, અહિંસક વૃત્તિ વગેરે વધતું આવે છે; એથી પેલા દોષો કપાતા જાય એ સહજ છે. બીજી બાહ્ય ધર્મસાધના દેખાવમાં કદાચ એની એ જ ચાલુ હશે પરંતુ આ ગુણવૃદ્ધિથી સાધનોનો પાવર સાધનાનું ઓજસ વધતું જાય છે, અને એ ગુણવૃદ્ધિ શ્રદ્ધાયુકત તત્ત્વચિંતન પર આવે છે. બસ, આવા મહાલાભદાયી તત્ત્વચિંતન માટે તત્ત્વનું અધ્યયન તત્ત્વ-સ્વાધ્યાય જરૂરી છે. સ્વાધ્યાય શું આપે ? આવાં મહાકિંમતી તત્ત્વચિંતન આપે, અધ્યાત્મયોગ આપે. એટલા માટે શાસ્ત્ર કહે છે ને सज्झायसमो तवो न भूओ न भविस्सइ । ‘સ્વાધ્યાય જેવો તપ થયો નથી, થવાનો નથી.' આ ચોથો આભ્યન્તર તપ છે. એના લાભ અવર્ણનીય છે. સ્વાધ્યાયમાં તત્ત્વચિંતન ચાલુ રહે છે, એથી મોટો લાભ આ, કે મન એમાં પકડાયેલું રહેવાથી એ ખોટા વિચારોમાં જતું નથી. મનનું કામ સીધું છે. એને ઠેકાણે પકડાયેલું રાખો, તો એના જ વિચાર કરશે; ત્યાં બીજાના વિચાર નહિ ચાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy