________________
ધ્યાન અને જીવન
૧૧૮
હાનિ? કાયા રૂપી છે, એ નાનીમાંથી મોટી થાય, કે કુબડીમાંથી સારી થાય, એથી આત્માના અરૂપીપણા પર શો ફેરફાર ? કશો નહિ, જે કાયાથી ય નહિ, તો બહારના ધન-માલ-ભોજન વગેરેથી તો ફેરફારની વાતે ય શી ? માટે એમાં દિલ ક્ષુદ્ર નહિ કરવું.’
કલ્પક આ બરાબર સમજે છે, તેથી ‘રાજાએ પહેલાં અપમાન સાથે વિટંબણા કરી તો હવે લાવ એને ચોકખું સભળાવી દઉં કે હવે શું કહેવા લાગ્યા છો ? રાજ્યની રક્ષા તમારા નવા મંત્રીથી કરી લેજો. મારાથી એ નહિ બને;' આવો કશો હલકો વિચાર ન આવ્યો.
રૂપી પુદ્ગલના ખેલ પર એવા ક્ષુદ્ર વિચાર શા કરવા હતા ?
ગમે તે સંયોગમાં આત્માનું અરૂપીપણું તદવસ્થ છે, માટે સંયોગો પર હરખશોક નકામો.
તેમ રાગ-દ્વેષ, હરખ-શોક એ વિકાર છે તેથી આત્માના નિર્વિકાર સ્વરૂપથી આઘા પડવાનું થાય; માટે એવા વિકાર કરવા યોગ્ય નહિ.
કલ્પક ખૂબ સ્વસ્થ મનવાળો છે. એણે રાજાની માગણી ઝીલી અને કહ્યું કે ‘કોઈ ચિંતા ન કરો. મારી શારીરિક શક્તિ નથી, તેથી મારાથી ચલાશે નહિ. પણ માત્ર મને ખાટલામાં બેસાડી કિલ્લાની ઉપર ફેરવો, જેથી બહારનું લશ્કર અને એનો સેનાપતિ રાજા વગેરે મને દેખી શકે. પછી ચિંતા નહિ રહે.’
કલ્પકનો પ્રભાવ :
બસ, રાજાએ એ પ્રમાણે કરાવ્યું. શત્રુ રાજા કલ્પકને જોતાં ઠંડો પડી ગયો. અન લાગ્યું કે ‘ઓહો ! કલ્પક હજી મંત્રી તરીકે જીવંત છે ? તો તો કદાચ એના વ્યૂહમાં ફસાઈ જવું પડે.’ વિચારણા માટે એનો મંત્રી આવ્યો. એને કલ્પકે બુદ્ધિપૂર્વકની યોજનાથી એવો ડઘાવી દીધો કે, ‘તમારા આખા લશ્કરનો છૂંદો કરી નાખવાનો છે,’ પછી તો એણે બિચારે પોતાના રાજા પાસે જઈ એને સમજાવીને તરત પાછા ફરી જવાનું કરાવ્યું.
કલ્પકની આવી બુદ્ધિશક્તિ હતી, પ્રભાવ હતો, પ્રતિષ્ઠા હતી, છતાં એને ઘમંડ નહિ, લાલસા નહિ, તેમ પૂર્વે રાજાએ એને ખોટી રીતે ભયંકર દંડી નાખેલ છતાં રાજા પર કોઈ દ્વેષ કે પછી એને ડામવાની વાત નહિ. બધું શાના પર ? પોતાના આત્માના અરૂપી સ્વરૂપની મમતા પર; કે જેની સામે રૂપી જડ પદાર્થની કોઈ કિંમત નહિ. એમ આત્માના નિર્વિકાર સ્વરૂપ પર મમતા; કે જેના લીધે વિકારો ઝેરરૂપ લાગે; આત્માના શુદ્ધ સ્વરૂપની મમતાની બલિહારી છે.
સ્વાત્મા-પરમાત્મા સાથે તાર જોડો :
તત્ત્વચિંતન એવું થવું જોઈએ કે જેથી આત્માના પરમાત્મા સાથે હૈયાના તાર જોડાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org