SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી કલ્પક ૧૧૭ ભૂખ્યા રહી એ કુટુંબને આપવાનું રાખ્યું. આટલી બધી આપદામાં પણ પોતે મનથી શાંત-સ્થિર-ધીર રહેતો. શુદ્ધ આત્મસ્વરૂપની મમતા કેવી શાંતિ આપે છે! નંદરાજા પર શત્રુની ચડાઈ : એમાં બન્યું એવું કે નન્દના દુશ્મન રાજાએ જોયું કે ‘હવે કલ્પક મંત્રી નથી તેથી નન્દના રાજ્ય પર આક્રમણ કરવાથી વિજય મળશે,’ તેથી એણે લશ્કર લઈ આવી નન્દની રાજધાનીને ઘેરો ઘાલ્યો. રાજા નન્દનો નવો મંત્રી એવો બાહોશ છે નહિ તેથી નન્દ કિલ્લાના દરવાજા બંધ કરાવી અંદર બેઠો ખરો, પરંતુ ચિંતામાં પડયો કે ‘દુશ્મનને હટાવવો શી રીતે ? કલ્પક જેવો કોઈ હોશિયાર અને પ્રભાવવંતો મંત્રી છે નહિ, ને આમ ને આમ કેટલું ચાલી શકે ? આ તો રાજ્ય જશે.' અંતે રાજાએ કલ્પકની સહાય લેવી એમ નકકી કર્યું. રાજાને કલ્પકની ગરજ પડી : કહે છે ને કે ‘જેનાં કામ જે કરે.' માણસને અજ્ઞાનદશામાં ભાન નથી રહેતું કે, ‘અમુક મારે હિતકારી છે, તો એનો સંગ ન છોડું,’ તેથી કોઈ અસત્ કલ્પનાવશ આવેશમાં આવીને એને તરછોડી દે છે. પરંતુ ગરજ પડે એટલે કયાં જાય ? નંદ રાજાને કલ્પકની સહાયની ગરજ પડી, પરંતુ એને તો પોતે બૂરી હાલતમાં મૂકયો છે, તે હવે એની પાસે માગણી કેમ મૂકવી એ વિચાર થઈ પડયો. ગમે તેમ પણ કટોકટી એવી છે કે બીજો કોઈ ઉપાય જ નહોતો તેથી કલ્પકને બહાર કાઢવો પડયો અને પાસે બોલાવી બધી પરિસ્થિતિ સમજાવી, માગણી કરી કે ‘હવે લશ્કરનું સુકાન હાથમાં લઈ જે રીતે ઠીક લાગે તે રીતે રાજ્યની રક્ષા કરો. મારી ભૂલ થઈ કે આપ જેવાને અમે કેદમાં પૂર્યા.' ઉંચી તત્ત્વષ્ટિ પર ક્ષુદ્રતા નહિ : અહીં જુઓ કે કલ્પકની ઉંચી તત્ત્વદૃષ્ટિ, અને એના પર કેળવાઈ તૈયાર થયેલ અતિ ઉમદા દિલ કેવા આગળ આવે છે ! એના મન પર સ્વાત્માના અરૂપી અને વિકારરહિત સ્વરૂપનું ભારે મહત્ત્વ છે, મમત્વ છે, તેથી રાજાએ એને વગર ગુન્હે કરેલી આવી ભયંકર સજા પર દિલ સાંકડું કરવાનું અને રાજાને સાફ સંભળાવી દેવાનું મન નથી થતું. કેમકે એ સમજે છે કે અરૂપી સ્વરૂપ પર મહાન વિચાર : ‘જીવને એક વાર જેલવાસનું અપમાન મળે કે બીજી વાર પુન: મહામંત્રીપદનું સન્માન મલે, એ બધું રૂપી પુદ્ગલના ખેલ છે. અરૂપી આત્માએ ખેલ-નાટકના પલટતા ભાવને શા મહત્ત્વ આપવા હતા? રૂપીના ભાવો સાથે આત્માના અરૂપીપણાને કશું લાગેવળગે નહિ. અનુકૂળ-પ્રતિકૂળ રૂપી વસ્તુથી અરૂપીપણા પર શી લાભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy