SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૧૬ કલ્પકને ય એવા અશુભ કર્મનો ઉદય થયો કે પોતાની સારી પણ રાજસન્માન કરવાની પ્રવૃત્તિ પોતાને કુવાની કેદમાં ઉતારનારું નિમિત્ત બન્યું. પરંતુ એ જરાય વ્યાકુળ ન થયો. હાયવોય કરવા ન બેઠો, કેમકે એની નજર સામે આત્માનું શુદ્ધ અરૂપી નિર્વિકાર સ્વરૂપ હતું. માનવમનનો ઉપયોગ અશુભોદય જોવાય એ. આપણે ભાગ્યે જ આવા કોઈ અશુભ કર્મનો ઉદય જોવાનો અવસર આવે છે. આવે તો સામાન્ય સામાન્ય અશુભોદય આવી ઊભો રહે; પરંતુ એમાં વિચારો, કેટલા બધા આકુળવ્યાકુલ થઈએ છીએ ? કેવા કષાયમાં ચડીએ છીએ ? કેવા દુર્ધ્યાનમાં ઉતરી જઈએ છીએ ? ત્યાં ભાન નથી રહેતું કે ‘આપણને વિશિષ્ટ માનવમન મળ્યું છે, તો એનો કોઈ ખાસ ઉપયોગ ખરો? જો ઉપયોગ હોય તો આ વિચાર, ‘આ સામો કાંઈ તારું બગાડે તો એ તારા અશુભના ઉદય વિના નહિ. એટલે મુખ્ય બગાડનાર તો પોતાનાં અશુભ કર્મ છે. વળી એ કાંઈ ઉદયમાં આવ્યા ફળ દેખાડયા વિના રહે નહિ એવા છે, તો શા સારું ઉંચોનીચો થાય? પોતાના અશુભ સામે ન જોવું; અને સામા પર ઉતરી પડવું, કષાય કરવા, સામા પર ન ચાલે ત્યાં અંતરમાં બબડાટ કરવો - આ બધું તો પશુને ય આવડે છે. તને વિશિષ્ટ માનવમન મળ્યું છે, તો તારી શી કરણીમાં વિશેષતા? અશુભોદય જેવાની આવડત પશુમાં નહિ, તારામાં છે. તો એનો કોઈ ઉપયોગ ખરો કે નહિ ? તારે માનવમનથી અશુભોદય જોવાનો નહિ ? ખરું આભ્યન્તર કારણ ન જોતાં બહારના ઉપલક્રિયા નિમિત્તને જોવામાં વિશિષ્ટ શક્તિવાળા માનવમનનો શો ઉપયોગ થયો ? કલ્પક તો રાજાના અન્યાય પર કૂવામાં પૂરાયો છે. પણ પોતાના જ અશુભ કર્મને દોષ દે છે. પરંતુ વિશેષ તો એ છે કે પોતાના શુદ્ધ આત્મસ્વરૂપને જુએ છે કે (૧) ‘અરૂપી આત્મા પર આવા ઉપદ્રવોથી કશી હાનિ નથી. આ કેદ વગેરે તો રૂપી દેહ પરની આપત્તિ છે, તો હું તો અરૂપી આત્મા, તે મારે એનું મહત્ત્વ લેખવા જેવું નથી. (૨) વળી હું નિર્વિકાર આત્મા, એનામાં રાગ-દ્વેષ વગેરે વિકાર શા સારું ઘાલવા ?' શાંતિ માટે શુદ્ધ આત્મસ્વરૂપની મમતા કેળવો : કલ્પકનું આ શુદ્ધ આત્મસ્વરૂપદર્શન, અને એના મનને અરૂપી અને નિર્વિકાર સ્વરૂપની મમતા, આકર્ષણ, એવાં જોરદાર હતાં, કે મોટા મંત્રીપણાના હોદ્દા પરથી નીચે કુવામાં કેદ પૂરાવાની સ્થિતિ પર ઉતરી જવું પડયું. છતાં, આ બધું તો રૂપી પુદ્ગલના ખેલ સમજી એણે એના પર મન જરાય બગાડયું નહિ, કે દીનહીન કર્યું નહિ. કૂવામાં ખોરાક પણ પરિમિત ભાત આવતો જે બધાને પૂરે નહિ. તેથી કલ્પકે અંતે પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy