SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રી કલ્પક ૧૧૫ વહેમ પડયો. તપાસ કરાવી તો માલુમ પડયું કે ‘મુગટ વગેરે રાજા યોગ્ય સામગ્રી તૈયાર થઈ રહી છે' બસ, મૂર્ખ રાજાનું મન ર્યું, હવે કલ્પકને પૂછવા વાર ન રાખી કે ‘આ શાની તૈયારી થઈ રહી છે ?,' માની લીધું કે પૂછીએ સાચું તો ય એ શાનો બોલે ? એટલો એને ભયંકર દ્રોહી સમજીને તરત કુટુંબ સાથે પકડાવી એક કુવામાં કેદ કર્યો કોઈ ખુલાસો પૂછાવી સાંભળવાનો અવકાશ જ રાખ્યો નહિ. ‘વિના ગુન્હે સજા’ ત્યાં નિમિત્ત કર્મ-ઉદય : કહો, અહીં કલ્પની કોઈ ભૂલ હતી ? એ તો ઉલટું રાજાને રાજસામગ્રી ભેટ કરી રાજાનું સન્માન કરવા ચાહતો હતો. તો પછી વિના ગુન્હે આવી સજા, આવું ઉલટું જ કેમ બન્યું ? બસ, અહીં કર્મ-થિયરી કર્મસિદ્ધાન્ત આગળ આવે છે. અશુભ કર્મનો ઉદય થવાનો હોય ત્યારે એ ગમે તે નિમિત્ત મેળવી લે છે. નિમિત્ત ખોટું જ હોય એવું નહિ. સારું ય નિમિત્ત એમાં કામ કરી જાય. એક માણસે ચોર-ડાકુ ચડી આવવાની ગરબડ સાંભળી, એટલે એણે બંદુક તૈયાર કરી ઘોડો ચડાવીને ટેબલ પર તૈયાર મૂકી બીજા કામમાં લાગ્યો. બન્યું એવું કે એના નાના છોકરાએ ત્યાં આવી કાંક ગરબડ મચાવી, તે બંદુક ટેબલ પરથી નીચે પડી ઘોડો દબાઈ ગયો, ગોળી છૂટી, અને એ છોકરો જ એમાં ફસાઈ ગયો, તે મર્યો. આ શું? બાપનો ને છોકરાનો અશુભ ઉદય; તે સારું ચોરથી બચવાનું સાધન જ એ કર્મના ઉદયમાં ઉપયોગી થયું. કલ્પકને એવું જ બન્યું. પોતાના અશુભનો ઉદય થવાનો તેથી સારું પણ સાધન એમાં નિમિત્ત બની ગયું. ભેટ માટે તૈયાર થતા મુગટ વગેરે, એ રાજ્ય પડાવી લેવા માટે છે એવો ભાસ ઊભો કરાયો. આમાં માણસનું શું ચાલે? આમાં મોટા તીર્થંકર ભગવાનનું ય ચાલતું નથી. મહાવીર પ્રભુને અશુભનો ઉદય આવવાનો તે સર્વજ્ઞ હોઈ પહેલેથી ગોશાળો આવી શું કરશે એ જાણવા છતાં એની સામે કશી આડ ન ઉભી કરી; તેમ જઘન્યથી એક કરોડ દેવતા હંમેશા પ્રભુની સાથે રહેનારા, એ ય કાંઈ કરી શકયા નહિ. પ્રભુને પાસે ગોશાળો આવ્યો, એણે બખાળા કાઢયા, અને પ્રભુની ઉપર તેજોલેશ્યા મૂકી. અલબત્ બીજો કોઈ હોત તો તો એથી બળીને ખલાસ થઈ જાત, પણ અહીં તો પ્રભુ લોકોત્તર પુરુષ છે, ઉત્કૃષ્ટ પુણ્યસમૂહ અને અનંત વીર્ય વગેરે અતિશયોથી ભરેલા છે. નિરુપક્રમ આયુષ્યવાળા છે. એથી તેોલેશ્યા પ્રભુના શરીરમાં પેસી શકી નહિ. પરંતુ પ્રભુને પ્રદક્ષિણા દઈને પાછી ફરી અને ગોશાળાના શરીરમાં પેસી ગઈ. પ્રભુને પ્રદક્ષિણા દઈને ગઈ એથી પ્રભુના શરીરમાં દાહની પીડા ઊભી થઈ. બોલો, અહીં તીર્થંકર ભગવાનનું ય શું ચાલ્યું ? કર્મનો ઉદય થતાં કોઈનું ય ન ચાલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy