SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ધ્યાન અને જીવન રાજા કહે, “બસ, તારે મંત્રીપદ સ્વીકારી લેવું. એ જ તને સજા છે.” થયું ? કલ્પકે ગમે તે સજા વધાવી લેવાની તૈયારી બતાવી છે, એટલે વચનથી બંધાઈ ગયેલો છે. હવે કયાં છૂટે ? આમ એને મંત્રી બનવું પડ્યું. આત્માના અરૂપી પાણાની અને નિર્વિકાર દશાની મમતા ઘણી, તેથી જ લગ્ન અને મંત્રીપદ બંનેથી કલ્પક દૂર રહેલ. છતાં કર્મ સંજોગે બંને ય માથે આવી પડયાં. તે હવે એને નભાવે છે. પણ રસ તો પેલો આત્માના શુદ્ધ સ્વરૂપનો જ છે. લગની કેવી લાગી હશે ? જન્મ બ્રાહ્મણને ત્યાં, છતાં પણ પિતાનું સંસ્કરણ અને સાધુસમાગમ બંનેને કલ્પકે કેવા ઝીલ્યા હશે કે આટલી બધી નિસ્પૃહા ! શુદ્ધ આત્મસ્વરૂપની મમતા નહિ તેથી અપાર તૃષ્ણા : આજે તો જુઓ છો ને સારી રૂપાળી કન્યા પરણવા માણસ કેટકેટલા અભખરા કરે છે ! ત્યારે એમ.એલ.એ. પાર્લામેન્ટના સભ્ય તરીકે ચૂંટાવા અને આગળ વધીને મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવવા કેટકેટલા પ્રપંચ થાય છે? કેવી કેવી આત્મ શ્લાઘા ગવાય અને ગવરાવાય છે? જે કાળમાં આવડી મોટી ભૂખ, અભખરા, અને મથવાનું ચાલતું હોય તે કાળમાં નાની વસ્તુની લાલસાનું તો પૂછવું જ શું ! પૈસા માનપાન સત્તા વગેરેની કેટલી ભૂખ અને કેટલા અભખરા છે? કેમ એમ ? કહો પોતાના આત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપની કોઈ જ મમતા નથી આકર્ષણ નથી, ભૂખ નથી. કલ્પકને અનિચ્છાએ માથે આવી પડેલી મંત્રીપણાની જવાબદારી અદા કરવી પડી. પરંતુ એનો પ્રભાવ એવો પડયો કે બહારના રાજાઓને દબાયેલા રહેવું પડયું. આટલો બધો કલ્પકનો પ્રભાવ વિધનસંતોષીઓ કે ઈર્ષાળુ યા સત્તાના ભૂખ્યાઓ કેમ સહન કરી શકે ? એટલે કલ્પકને હલકો પાડવાની પેરવીઓ ચાલી. પરંતુ નંદ રાજાને એના પર એટલો બધો વિશ્વાસ છે કે કશું ધ્યાન પર લે નહિ. કલ્પક પર આરોપ : ત્યારે, એકવાર એવું બન્યું કે કલ્પકને પોતાને ત્યાં કોઈ પ્રસંગ પર રાજાને સુંદર મુગટ વગેરે ભેટ કરવા માટે એ ઘડાવાનું ચાલ્યું. કલ્પકના ઘેર જ કારીગરો કામ કરતા. ઈર્ષાળુઓએ આ તકનો લાભ લઈ રાજાને એવું ભળાવ્યું કે હવે કલ્પકની આપને ઉઠાડી મૂકી પોતાના પુત્રને ગાદીએ બેસાડવાની તૈયારીઓ ચાલી રહી છે. એ માટે તપાસ કરાવો તો દેખાશે કે ખાનગીમાં એના ઘેર મુગટ વગેરે સામગ્રી તૈયાર થઈ રહી છે. સેના વગેરે બધું એના તંત્રમાં તો છે જ, હવે આ તૈયાર થાય એટલી જ વાર, આપનું રાજ્ય જવાનું એના છોકરાના હાથમાં.’ વાત એવી રીતે મિલાવીને કરી કે રાજાને રોજ કાન પર એવું ને એવું કાંઈને કાંઈ આવતું તો હતું જ, એમાં આવી વાત આવી એટલે એને એ સાચી હોવાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy