________________
મંત્રી કલ્પક
૧૧૩
‘હાય! મારી કન્યા ખાડામાં પડી ગઈ છે! તે કોઈ કાઢી આપે તો એનો બહુ ઉપકાર માનું.’ કલ્પક ત્યાંથી જતો હતો તે એને દયા આવી ગઈ. ઝટ ઉતર્યો ખાડામાં અને કન્યાને બહાર લઈ આવ્યો.
અહીં પહેલા બ્રાહ્મણે પોક મૂકેલી એમાં ધીમા સ્વરે સાથે ઉમેરેલું કે 'તો એને હું કન્યા આપી દઉં.' પરંતુ કલ્પકના દિલમાં માત્ર દયા કરવાના શબ્દ સાંભળતાં એકદમ જ દયાના કામમાં લાગી ગયો, તે પેલા પાછળના શબ્દ સાંભળેલા નહિ, નહિતર તો પહેલેથીજ ચોખવટ કરત કે જો ભાઈ! તારી કન્યા બહાર કાઢી આપું, પરંતુ પરણવાની શરત ન હોય તો!” હવે કન્યા બહાર તો કાઢી પણ બ્રાહ્મણ કલ્પકને ગળે પડયો કે આ કન્યાને પરણી લે. હું તો બોલી ચુકેલો છું એટલે મારાથી ફરી જવાય નહિ. મારે તો કન્યા દેવી જ જોઈએ. વળી તું ના પાડે તો ય બીજાને દેવાય નહિ, કેમકે કન્યા એક વાર જ અપાય. તો એનો ખાડામાંથી ઉદ્ધાર કરનારને મેં દઈ દીધેલ છે તેથી બીજાને કેમ અપાય ?' બસ, આમ કલ્પકને ફસાવું પડયું અને પરણવું પડયું. રાજાનો મંત્રી મનાવવાનો પેંતરો :
ત્યારે નંદરાજાએ એને મંત્રીપદ લેવા આગ્રહ કરેલો. પરંતુ આત્માના નિર્વિકાર સ્વરૂપના ભૂખ્યા કલ્પકને એમાં મહાવેઠ લાગતી, તેથી એનો સ્વીકાર ન કર્યો. તો રાજાએ એવો પેંતરો રચ્યો કે કલ્પક જે ધોબીને કપડાં ધોવા આપતો, એ ધોબીને રાજાએ આજ્ઞા કરી કે તારે કલ્પકના કિંમતી કપડાં ધોવા આવે ત્યારે તારે એને પાછા ન આપવા.
ધોબીએ એમ કરતા કલ્પકનાં કપડાંને બહાનાં કાઢી કાઢી બે વરસ સુધી કપડાં પાછા ન આપ્યાં. કલ્પક શાંત સ્વભાવી કપડાની ઉઘરાણી કરે, પરંતુ પેલો બહાનું કાઢી ન આપે તો આ ગુસ્સો ન કરે, છતાં હવે બે વરસ થઈ ગયા ત્યારે સહેજ કડકાઈથી ઉઘરાણી કરતાં રાજાની હૂંફ પર જેમતેમ બોલ્યો એટલે કલ્પકને આવેશ આવી ગયો અને આવેશમાં એવું મારી દીધું કે ધોબી મરી ગયો; એથી ધોબીની નાત ખળભળી ઉઠી અને રાજા પાસે ફરીયાદ લઈ ગઈ.
રાજાને આટલું જ જોઈતું હતું, કલ્પકને ગમે તેમ કરી ગુનામાં લાવવો હતો. તે આવી ગયો ગુનામાં. બસ, રાજાએ કલ્પકને બોલાવી મંગાવ્યો.
અહીં કલ્પકને પોતાના હાથે આવેશમાં થઈ ગયેલ ધોબીની હત્યા માટે પારાવાર પસ્તાવો હતો, તેથી ગમે તે સજા વહોરી લેવાની તૈયારી સાથે રાજા પાસે ગયો. રાજાએ ધોબીઓને રવાના કર્યા, અને કલ્પકને કહ્યું, “આવો ભયંકર ગુનો તેં કર્યો ?'
‘હા, ગુનો થઈ ગયો છે. જે સજા કરવી હોય તે સ્વીકારી લેવા તૈયાર છું.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org