SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને જીવન ૧૧૨ મહાપ્રલોભનના પ્રસંગમાં શું, કે વિચિત્ર સંયોગોમાં યા મહા ઉપદ્રવોના પ્રસંગમાં શું, મન ન બગાડ્યું, એ શાના બળ પર ? આત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપના અતિ રાગ અને તીવ્ર ભૂખના બળ ઉપર. વજ્રસ્વામી વિચરતા વિચરતા એક એવા નગરમાં પહોંચ્યા કે જ્યાં એક ક્રોડપતિ શેઠની કન્યા રુકમણિએ નકકી કર્યું હતું કે ‘પરણું તો વજસ્વામીને જ પરણું, બીજાને નહિ !' આમ નિર્ણય કરવાનું કારણ એ બનેલું કે સાધ્વીઓએ વજસ્વામીજીના રૂપની પ્રશંસા કરેલી. આ છોકરી બિચારી ભોળી, તે એને ખબર નહિ કે ‘આ તો ત્યાગી સાધુ મહારાજ હોઈ લગ્ન કરે નહિ,' તેથી એમને પરણવાનો વિચાર કર્યો. હવે વજ્રસ્વામી મહારાજ ત્યાં પધાર્યા એટલે છોકરીના બાપે એમને એક ક્રોડ રૂપિયાના ધન સાથે રૂપાળી છોકરી સ્વીકારવા પાર્થના કરી. કેવું પ્રલોભન આવ્યું ? યુવાન વય છે, રૂપવતી યુવતી મળે છે, સાથે મોટી કોડ જેવી રકમ મળે છે. પરંતુ (૧) સ્વાત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપના ભૂખ્યા એ રૂપમાં શાના ખેંચાય ? (૨) કામરાગ અર્થરાગનો વિકાર શું કામ વહોરે ? એમણે તો એવો ઉપદેશ કર્યો કે રુકમણી ચારિત્ર માર્ગે વળી ગઈ. મંત્રી કલ્પકનું તત્ત્વચિંતન રાજા પહેલા નંદનો કલ્પક મંત્રી હતો. બાળપણથી સંસ્કાર સારા મળેલા, કેમકે પિતા બ્રાહ્મણ,છતાં મુનિઓના સંપર્કથી જૈનધર્મની પાકી શ્રદ્ધાવાળા બનેલા; તે દીકરાને ય ખાસ કરીને ધર્મના જ સંસ્કાર આપતા. વળી મુનિઓનો સમાગમ પણ સાધતા. એથી તત્ત્વનું અરૂપી નિર્વિકાર અને અનંત જ્ઞાનાદિમય સ્વરૂપ જે સમજવા મળેલું, એણે કલ્પકનું દિલ પકડી લીધું. કલ્પકને આત્માના આ શુદ્ધ સ્વરૂપની એવી ભૂખ લાગેલી કે એને પરણવું ય નહોતું, તેમ મંત્રી પણ બનવું નહોતું. ગૃહસ્થજીવન પણ એ એવું કામ-લોભના ઉપશમ ભર્યું જીવતો કે ન તો એને ચામડાના રૂપ-સ્પર્શે ભોગવવાની કોઈ ખણજ, કે ન તો એને રૂપિયા ઘરભેગા કરવાનો કોઈ અભખરો. પોતાના આત્માનાં અરૂપી સ્વરૂપની આગળ પુદ્ગલનાં રૂપ એને મન કૂછ નહિ, કોઈ વિસાતમાં નહિ. એમ સ્વાત્માના નિર્વિકાર સ્વરૂપની માયા એવી લાગેલી કે કામ ક્રોધ-લોભ વગેરે વિકારો પોષવાનું એને ગમતું નહિ. બ્રાહ્મણનો કન્યાદાનનો પેંતરો : આમ છતાં એક બ્રાહ્મણના પેંતરાથી એને વચને બંધાવું પડયું. બ્રાહ્મણે પહેલાં તો કલ્પકની આગળ માગણી કરી કે મારી કન્યા તમે પરણો. પણ કલ્પકે ઘસીને ના પાડતા એણે એવો પેંતરો રચ્યો કે કલ્પકના જવા-આવવાના રસ્તામાં એક ખાડો ખોદાવી એમાં પોતાની કન્યા ઉતારી દીધી. પછી રસ્તા પર પોક મૂકતો બેઠો કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy