________________
મંત્રી કલ્પક
આ ખામી એ કાંઈ સામાના શુદ્ધ આત્માનું સ્વરૂપ નહિ, એ તો બિચારાને ભાડુતી કર્મની વિટંબણા છે, તો એ બિચારો એ કર્મવિટંબણા ભોગવતો હોય ત્યાં મારે વેષ શો કરવો ?'
એમ વિચાર કરવા પર ઢષ ઓસરી જાય.
ઈર્ષા કેમ ટળે ? : એમ ઈર્ષ્યા થવા જાય એ શાના પર ? સામાના કોઈ બાહ્ય ધન-સન્માન વગેરેના વિકાસ પર, યા આભ્યન્તર જ્ઞાનાદિગુણવિકાસ ઉપર. પરંતુ શુદ્ધ આત્માની જાગૃતિ સાવધાનીના લીધે એમ વિચાર થાય કે
જો હું શુદ્ધ આત્માનો પ્રેમી છું, ખપી છે, તો (૧) સામાનો આત્મા ગુણવિકાસ પર તો શુદ્ધસ્વરૂપની દિશામાં છે તો ત્યાં પ્રેમ થવો જોઈએ. ઈર્ષ્યા શું કામ ? ઈષ્યમાં તો ઉલટું મારો જ આત્મા અશુદ્ધ થઈ રહ્યો છે, પછી ત્યાં મારા પોતાના શુદ્ધ સ્વરૂપની દિશા માં રહેશે ?
ત્યારે (૨) જો સામાના ધન-સન્માન વગેરે બાહ્ય વિકાસ પર ઈર્ષ્યા થાય છે, તો એ વિકાસ કોઈ એના આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી, કે શુદ્ધ સ્વરૂપની દિશા નથી, પછી એને મારે શા સારુ લેખામાં જ લેવું ?
આત્માના અરૂપી નિર્વિકાર સ્વરૂપના ખપી મારે ભળતી વસ્તુને મહત્વ જ ન આપવું.
[ ૧૧ : મંત્રી કલ્પક : મનની પવિત્રતા અને સ્થિરતા કેળવવા આ મહાન ચાવી સર કરવા જેવી છે કે આત્માના અરૂપી અને નિર્વિકાર સ્વરૂપનો અનહદ રાગ અને તીવ્ર ભૂખ ઊભી કરવી.
આત્માનું શુદ્ધ સ્વરૂપ શું? અરૂપિતા અને નિર્વિકારતા. હવે જુઓ કે એનો અનહદ રાગ કેમ ઊભો થાય ? એટલા જ માટે કે (૧) રૂપી દેહ, રૂપી ઈંદ્રિયો અને એને અનુકૂળ રૂપી પૌદ્ગલિક ચીજમાં ચિંતા સંતાપ દુર્ગાન વગેરે આપદાઓ છે, અને એ રૂપીમાં સરવાળે મીંડું છે, તો એ રૂપીના રાગ કરતાં પોતાના અરૂપી આત્માનો રાગ શો ખોટો ? એમ (૨) રાગ-દ્વેષ કામ-ક્રોધ લોભ મદ ઈર્ષ્યા વગેરે તો વિકારો છે, રોગ છે, ભવમાં ભટકાવનારા છે. એમાં તણાવા કરતાં આત્માનું નિર્વિકાર સ્વરૂપ શું ખોટુ? આમ અરૂપી અને નિર્વિકાર સ્વરૂપ પર ભારે રાગ મમત્વ થાય, પછી એની ભૂખ ઊભી કરાય.
આને દિલમાં ખૂબ મમરાવાય, તો એ એક એવી ચાવી સર થાય કે પછી મનને અપવિત્ર બનાવનારા લોટબંધ (જથાબંધ) દોષો સામે ટક્કર ઝીલાય. મહાપુરુષોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org