SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૦) | ધ્યાન અને જીવન પાંચ લક્ષણમાં આસ્તિકા યાને જિનોક્ત તત્ત્વની શ્રદ્ધા ઉત્પન્ન થયા પછી અનુકંપા પ્રગટે છે. તત્ત્વનું ચિંતન કોરું ન ચાલે. જ્યારે ખરેખર તત્વચિંતન કરવું છે, તો શેય હેય ઉપાદેય તરીકે ધરીને જ તત્ત્વનું યથાર્થ ચિંતન થાય. ત્યાં અમૈત્રીભાવ અપ્રમોદભાવ વગેરેને કમમાં કમ તત્ત્વ ચિંતનકાળ પૂરતું અલગ જ રાખવા પડે. આમાં દા.ત. અમૈત્રી નડતી હોય, દ્વેષ ઈર્ષા નડતી હોય, તો એ હટાવવા મૈત્રી પ્રમોદભાવ કેળવવા પડે. એ હોય તો જ તત્ત્વચિંતન સાચું ચાલે. બસ, મોક્ષ માટેના પાંચ યોગ પૈકી પ્રથમ યોગ યાને પાયાનો યોગ અધ્યાત્મયોગ’ એમાં તત્ત્વચિંતન કર્તવ્ય છે. એ તત્વ શેય, હેય કે ઉપાદેય હોય. તેથી એના તરફ દિલમાં એને અનુરૂપ વલણ રાખીને એનું ચિંતન કરાવું જોઈએ. અહીં મન એક બચાવ કરાવ પ્રેરાય કે પ્રવે- “તત્વની શ્રદ્ધા સાથે તત્વચિંતન કરાય ત્યાં અતંરાત્મામાં રાગાદિ દોષો તો હજી બેઠા હોય છે એટલે મૈત્રી કરુણાને બદલે અમેત્રી, કઠોરતા સંભવી શકે છે. અલબતુ એ દોષો સારા છે, કરવા જેવા છે એવું ન લાગે, પાગ ત્યાજ્ય લાગે, પછી અમૈત્રી આદિ હોય એમાં શો વાંધો ?'' ઉ0- આપણું મન ચોર છે એટલે આવો બચાવ કરવા પ્રેરાય, અને દિલમાં વૈરવિરોધ, ઈર્ષ્યા વગેરે હોવા છતાં તત્ત્વ ચિંતન પર અધ્યાત્મનો સિક્કો લગાવે. પરંતુ અહીં યોગબિંદુ શાસ્ત્રમાં અધ્યાત્મયોગની વ્યાખ્યામાં તત્ત્વચિંતન સાથે અહિંસાદિ વ્રત અને મૈત્રીભાવ આદિ ભાવને સામેલ કરેલ છે. તે સૂચવે છે કે અધ્યાત્મયોગ બનાવવા માટે મૈત્રીભાવ વગેરેની ખાસ જરૂર જ માની છે, પાગ અમૈત્રી ભાવ હોય અને એનો ખેદ હોય એ ન ચાલે, દા.ત. કોઈના પર હૈયામાં ઈર્ષા સળગતી હોય અને મનને માત્ર એમ થાય કે “આ હું ઈર્ષ્યા કરું , ને એ ખોટું છે તો તેટલા માત્રથી ન ચાલે પરંતુ ઈર્ષા જ ન જોઈએ. ઈષ્યમાં તત્ત્વચિંતન જ ચોકખું ન ચાલી શકે, ને તેથી અધ્યાત્મયોગ ન બને. અધ્યાત્મયોગ એટલે તો શુદ્ધ આત્માની સાથે તાર બાંધવાના છે. આ મોક્ષમાટેનો યોગ છે ને ? તો મોક્ષ એટલે શુદ્ધ આત્મા, એના તરફ પ્રયાણ જોઈએ. એ કોરા તત્ત્વચિંતનથી ન થાય. અંતરમાં વૈર-વિરોધ કે ઈર્ષા સળગતી હોય ત્યાં આત્માના શુદ્ધ સ્વરૂપની ખરેખરી જાગૃતિ ક્યાં ? ખરેખરો ખ્યાલ ક્યાં ? પૂછો, શુદ્ધ આત્માની જાગૃતિ હોય તેથી વૈષ ઈર્ષ્યા કેમ અટકે ? કારાગ આ છે કે જ્યાં જે ખામી માટે સામા પર દ્વેષ વૈર ઉઠવા જતા હોય, ત્યાં એ માટે મનને એમ થાય કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy