________________
અધ્યાત્મયોગ : તત્ત્વચિંતન
૧૦૯
ત્યાં કુમારપાળ રાજાને એ અનિત્ય અજીવ તત્ત્વ તરીકે દેખાય છે, સાથે એના મોહ પ્રત્યે ગ્લાનિ થાય છે, એટલે એ કહે છે, ‘જુઓ આ ધજાઓ ફરફર થઈને કહી રહી છે કે આ મહેલાતનો સંયોગ અનિત્ય છે, એક દિ’ ફર ફર ફ્ થઈને આ સંયોગ ઉડી જવાનો છે,'
હજુરિયાઓ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. કેમકે એમને તો આ હવેલીઓની કતાર જોઈને મનમાં રાગનાં ગિલગિલયાં થતાં, અને અહીં તો વૈરાગ્યનું વચન સાંભળવા મળ્યું, એવું અંદર જતાં બન્યું, હાથીઓની કતાર વગેરે અઢળક સંપત્તિ અંગે પણ કુમારપાળ રાજાનાં વચન વૈરાગ્યભર્યાં જ સાંભળવા મળ્યાં. આ હતી કુમારપાળ રાજાની તત્ત્વવિચારણા. ગુરુ હેમચંદ્રસૂરિજી મહારાજ પાસેથી તત્વનો બોધ મળ્યો,
પછી અંતરમાં એ ઉઘાડ થઈ ગયો કે કોઈ પણ દર્શન, શ્રવણ કે સ્મરણચિંતન તત્વની દૃષ્ટિએ જ ચાલે. ત્યારે તો એનો પ્રભાવ એ પડ્યો કે સંસારને ત્રણ ભવમાં જ મર્યાદિત કરી દીધો ! વધારામાં ગણધર પદવી નક્કી થઈ. કેમ ? તત્ત્વચિંતન સાથેનો કરુણાભાવ એટલો ઊંચો હતો કે પોતાની અઢાર દેશની પ્રજાને જુગાર શિકાર વગેરે સાત વ્યસનો અને હિંસાના પાપથી બચાવી, જેથી કેમ એ ક્રમશઃ જિનશાસનરસિક થઈ મોક્ષમાર્ગે ચડી જાય.
જિન-ગણધર-કેવળી કેમ બને ? :
‘પંચસંગ્રહ’ શાસ્ત્ર કહે છે કે (૧) જગતના સમસ્ત જીવોને મોક્ષમાર્ગે ચડાવવાની કરુણાભાવના પ્રગટે તો તીર્થંકર નામકર્મનું પુણ્ય ઉપાર્જિત થાય છે. અને (૨) દેશજ્ઞાતિ કુટુંબને પ્રભુશાસનના માર્ગે ચડાવી તારવાની કરુણા જાગે તો ગણધરપણાનું પુણ્ય ઊભું થાય છે. ત્યારે (૩) જો પોતાના આત્માને તારવાની ભાવના જાગે તો એ ક્રમશઃ ‘મુણ્ડ કેવલી' અર્થાત્ પોતે કેવળજ્ઞાન ઉપાર્જી જાતનો ઉદ્ધાર કરનાર બને છે. કુમારપાળ મહારાજાએ પોતાના રાજ્યની પ્રજાની કરુણા ચિંતવી, ગણધરપદનું પુણ્ય ઉપાર્યું.
કરુણા આગળ પૈસા શી વિસાતમાં ? :
સહેલું કામ છે ? પ્રજામાં કોઈ જુગારી-શિકારી-માંસાહારી હોય, હિંસા કરનાર ખાટકીઓ પારધી માછીમારો હોય, એમનાં મન વધારી એ બધાં પાપ બંધ કરાવવા એ કામ ભારે કઠિન છે. એ બધાને આજીવિકાનો પ્રબંધ કરાવવો પડે ને ? કેટલો ખર્ચ થાય ? પરંતુ દિલમાં જીવો પ્રત્યે ભાવકરુણાનો ધોધ ઉછળ્યા પછી પૈસાનું શું મહત્વ છે ?
સર્વજ્ઞ ભગવાન શ્રી જિનેશ્વરદેવે પ્રકાશેલાં જીવ અજીવ વગેરે તત્ત્વોનું જ્ઞેય-હેયઉયાદેય તરીકે ચિંતન અભ્યસ્ત થાય ત્યાં દ્રવ્ય-ભાવ કરુણા સહેજે આવે. સમકિતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org