________________
ધ્યાન અને જીવન
૧૦૮
(૨) પુણ્ય કે પાપ, બંનેમાંથી કોઈ એકના ઉદયની દૃષ્ટિથી જોઈ શકાય કે આ પુણ્યોદય છે યા પાપોદય ? તેથી હર્ષ ખેદ અટકી ચિત્તસમાધિ રહે. અથવા
(૩) આશ્રવ કે સંવર બેમાંથી એકનો વિચાર થઈ શકે. જેથી પ્રસંગને પાપસ્થાનકરૂપ બનતો અટકાવી ધર્મપ્રસંગરૂપ બનાવી શકાય. દા.ત. ઋતુની ગરમી પર વિચાર આવ્યો તો જોવાય કે જો આમાં મનને ઉદ્વેગ થયો કે ‘હાય! બહુ ગરમી!' તો આ વિચાર કષાયકારી બનવાથી આશ્રવના પ્રસંગરૂપ થશે. એના બદલે જો મનને એમ થયું કે ‘ ચાલો, આ એક પરીસહ સહવાની તક મળી. ગરમી સહવી તો પડવાની જ છે. પછી ઊંધો વિચાર અને ઉદ્વેગ શા માટે કરવો ?' ગરમીનો પરીસહ વધાવી લઈ સારી રીતે સહી લેવાય તો એ સંવર તત્ત્વ બની જાય.
(૪) એમ બનતા પ્રસંગને બંધ કે નિર્જરા, બેમાંથી એક તત્ત્વની દૃષ્ટિએ જોઈ શકાય. દા.ત. દુન્યવી સુખ મળ્યું ત્યાં વિચારી શકાય કે ‘જીવ ! ધ્યાન રાખજે, આમાં મળેલા સુખના પ્રમાણમાં પુણ્યકર્મ ભોગવાઈને ખત્મ થઈ જવાનું એ તો નિશ્ચિત વાત છે. હવે જો દિલમાં વૈરાગ્ય, દયા, દાન, દેવગુરુ ભક્તિ વગેરેનો શુભ ભાવ રાખીશ તો શુભ કર્મનો બંધ થશે. અને સ્વાર્થ, મમતા, નવો વેપાર નવો આરંભ સમારંભ વગેરેનો વિચાર લાવીશ તો અશુભ કર્મનો બંધ થશે.’ ‘આમ જોવાથી અશુભ ભાવ ટાળી શુભ ભાવ રાખી શકાય.
(૫) એમ કોઈ સેવાનો પ્રસંગ આવ્યો, ત્યાં (૧) જે જીવ ઉપેક્ષા-આંખમિચામણા કરવા જાય તો સ્વાર્થાંધતાના વિચારને લીધે કર્મબંધ થાય, ને (૨) હોંશથી સેવા ઉપાડી લે તો કર્મ નિર્જરાને અવકાશ મળે.
આશ્રવ-સંવર તરફ ગ્લાનિ આનંદ :
કહેવાનું તાત્પર્ય આ છે કે નવતત્ત્વમાંના કોઈને કોઈ તત્ત્વને પ્રસંગ પ્રસંગમાં લાગુ કરી શકાય, ને એને આત્મહિતમાં ઉતારી શકાય. ત્યાં હેય તત્ત્વના હિસાબે ગ્લાનિ અને ઉપાદેય તત્ત્વના હિસાબે આનંદ સાથે રહે, તો એ તત્ત્વ વિચાર સાચું તત્ત્વચિંતન બને. કોરા સર્ટિફિકેટથી ન ચાલે. કોરા હ્રદયે કહી દીધું કે ‘આ આશ્રવનો પ્રસંગ છે, યા બંધનો પ્રસંગ છે, અથવા સંવરનો પ્રસંગ છે, કે નિર્જરાનો પ્રસંગ છે, આટલેથી ન ચાલે. પણ સાથે હૃદયને ઉદ્વેગ યા આનંદનું વલણ થાય. જો બંધ કે આશ્રવ છે એ વિચારની સાથે ગ્લાનિ હોય, એમ સંવર યા નિર્જરાનો પ્રસંગ છે તો એ વિચારની સાથે સાથે આનંદનો ભાવ હોય. ત્યારે એ સાચું તત્ત્વચિંતન બને.
આશ્રવના વિચાર સાથે ગ્લાનિ ઃ કુમારપાળ
મહારાજા કુમારપાળને કુબેરશેઠની સંપત્તિ જોવા જવાનો પ્રસંગ આવ્યો. ગયા, અને નજીક પહોંચતાં સાથેના માણસો કહે છે, ‘મહારાજા ! આ સામે ઊંચે ધજાઓ ઉડતી દેખાય છે એ કુબેર શેઠની હવેલીઓ ઉપરની ધજાઓ છે’.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org