SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મયોગ તત્વચિંતન | (૧૦૭) રાગ ઊછળતો હોય, તો જીવનું શુદ્ધ ચિંતન આપણા મનને બાંધી દે છે. અંકુશમાં મૂકે છે. ચિંતનના સમયપૂરતું ય રાગ-દ્વેષ હટાવી દેવા પડે. એ હટાવવા માટે દિલમાં મૈત્રી-કરુણાદિના ભાવ વિકસાવવાના છે.મૈત્રીભાવ ચીજ જ એવી છે કે એ દિલમાં આવતા સર્વ જીવો પ્રત્યે સ્નેહ ઊભરાય; ત્યાં દુશમન પ્રત્યે પણ સ્નેહ ઊભરાય એટલે એના પ્રત્યે વૈર-વિરોધ-દ્વેષ ન ઊભો રહે. એમ આશ્રવ તત્ત્વનું હેય તરીકે ચિંતન કરવાનું છે. એમાં દેષ પણ હેય તરીકે આવી જાય છે. હવે કોઈના પર મૈત્રીને બદલે અમૈત્રી-દ્વેષ કરાય, તે ય નિ:સંકોચ કરાય તો ત્યાં દેષ રૂપી આશ્રવનું ત્યાજ તત્ત્વ તરીકે ચિંતન કેમ બનશે ? માટે મૈત્રી જરૂરી છે. તો જ તત્ત્વચિંતન સાચું ચિંતન બને ત્યારે એ ધ્યાન રાખો કે માનવમન એ મહામૂડી માનવમન એ મહાન મૂડી મળી છે. એનાથી સાચા તત્વચિંતનનો સર્વોત્તમ ધંધો થઈ શકે છે; જેના નફામાં અઢળક પાપક્ષય પુણ્યસંચય અને સુસંસ્કાર સિંચનની કમાઈ થાય છે. ખોટા વિચાર કેમ અટકે ? : આની જો બરાબર કિંમત સમજાય તો અતિ ઊંચી મનમૂકીને આડાઅવળા યા કષાયોના વિચારમાં વેડફી નાખતાં આંચકો લાગે-એમાં મન માત્ર વેડફાતું નથી, પરંતુ મહા નુકસાનમાં ઊતરે છે.એનો આંચકો ન લાગે ? આઘાત ન લાગે ? બોલો, આવો અનુભવ ક્યારે ય કર્યો છે ખરો કે કોઈ એવો ફજુલ વિચાર યા રાગ-દ્વેષાદિમાં મન પડ્યું ને પછી આઘાત લાગ્યો કે “અરરર! આ મેં શું કર્યું?' જો આવો આંચકો લગાડતા જાઓ, તો કંઈક કંઈક સાવધાની આવતી જશે, ને મન ખોટા વિચારમાં ચડવા જાય ત્યાં એને અટકાવવા પ્રયત્ન થશેઅને બીજી બાજુ તત્વનું ચિંતન ચાલુ કરાશે, જેથી પેલો વિચાર ભૂલાશે, બાજુએ પડ્યો રહેશે. એમ જ્યારે જ્યારે અવકાશ મળ્યો કે તરત તત્ત્વ ચિંતનનો અભ્યાસ રખાશે. માત્ર આટલું સમજી રાખવાનું કે “માનવમન” એ મહામૂડી છે એનો વારે વારે તત્વચિંતનથી સદુપયોગ કરી લઉં, એને ફજુલ અથવા કષાયના વિચારમાં વેડફી ન નાખું' બસ આટલો નિર્ધાર કરી રાખ્યો, પછી તો જીવનમાં બનતા પ્રસંગે પ્રસંગને તત્ત્વની દષ્ટિથી જોવાનું બનશે. તત્વદષ્ટિથી કેમ જોવાય અને એનો શો લાભ એ જુઓ. (૧) જીવ યા અજીવ, બંનેમાંથી કોઈ એક તત્વ ત્યાં લાગુ તો થાય છે. એટલે દુનિયાના પ્રસંગને જીવના કે અજીવના ગુણ સ્વભાવ ખાસિયતની દષ્ટિથી નિર્લેપપણે વિચારી શકાય જેથી રાગ દ્વેષ અટકે. અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004948
Book TitleDhyan ane Jivan
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherOmkar Gyanmandir Surat
Publication Year1998
Total Pages478
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy