________________
( ૧૦૬
| ધ્યાન અને જીવન હોય? તો એને જીવ-જીવને જાણીને શું કામ ? તાત્પર્ય, જીવ-અજીવ આદિ શેયહેય-ઉપાદેય તત્ત્વ પર શ્રદ્ધા એવા સંસાર-રસિયાને હોય જ નહિ. એટલે,
તત્વ શ્રદ્ધાની અંતર્ગત વૈરાગ્ય હોવો જ જોઈએ. જયાં વૈરાગ્ય નહિ ત્યાં તત્વશ્રદ્ધા નહિ.
વૈરાગ્યગર્ભિત તત્વશ્રદ્ધા એ જ વાસ્તવિક તત્વશ્રદ્ધા. એવી શ્રદ્ધાથી તત્વચિંતન એ અધ્યાત્મયોગ.
આવી વૈરાગ્ય-ગર્ભિત શ્રદ્ધા સાથે એ જીવ-અજીવ આદિ નવ તત્ત્વનું ચિંતન, યા નવ પૈકી ગમે તે એક પર તત્ત્વનું ચિંતન, એનું નામ “અધ્યાત્મયોગ”. એ પણ મૈત્રી પ્રમોદ કરુણા અને માધ્યઆ ભાવવાળા દિલથી જ હોય, તો જ એ અધ્યાત્મયોગ. દિલમાં એના બદલે જો કોઈના પ્રત્યે વૈર-વિરોધ, ષ, ઈર્ષા, કઠોરતા વગેરે સળવળતા હોય તો એવા દિલના તત્ત્વચિતનમાં માલ નહિ, એ અધ્યાત્મયોગ નહિ. એટલે ત્રણ વાત આવી. તત્ત્વ ચિંતનમાં (૧) શ્રધ્ધા (૨) વૈરાગ્ય (૩) મૈત્રી આદિ ભાવ જોઈએ. ત્યારે પૂછો ને, (૩) તત્ત્વચિંતનમાં મંત્રી આદિભાવની શી જરૂર ? :પ્ર) - કોઈના પર દ્વેષ કે ઈર્ષ્યા હોય એમાં તત્વચિંતનને શો બાધ આવે?
ઉ0 - પણ અહીં પહેલા જોઈ આવ્યા છીએ કે અધ્યાત્મયોગમાં તત્ત્વનું ચિંતન કોરું સુકકું નથી ચાલતું. એ તો વૈરાગ્ય અને શ્રધ્ધાથી લચબચતું હોવું જોઈએ. ત્યારે જો ધરાર કોઈ જીવ પર દ્વેષ વગેરે કરવા જાય છે તો શું એ સમયે જીવની માત્ર શેય તત્ત્વ તરીકેની શ્રધ્ધા રહે ? મનને એમ રહેવાનું ખરું કે હું વેષ કરું છું તે ખરાબ છે. જીવમાત્ર રાગ-દ્વેષ કરવા લાયક નથી, પણ માત્ર શેય છે ? એમ ષ એ આશ્રવ તત્ત્વ છે, તો હેય તરીકે એની શ્રધ્ધા રહેશે ?
આ બહુ સમજવા જેવી વસ્તુ છે. હાલતાં ને ચાલતાં તત્ત્વચિંતન થઈ શકે. બે મિનિટની ફરસદ મળે ત્યાં આ કરી શકાય. માત્ર એ વખતે ખાસ તકેદારી આ રાખવાની કે દિલમાં અમૈત્રી યાને કોઈના પ્રત્યે વૈરવૈમનસ્ય નિર્દયતા કઠોરતા, કે ઈષ્યા-ઝેરઅસૂયાની લાગણી નહિ રાખવાની. નહિતર તે તે શેય-હેય-ઉપાદેય ભાવથી ચિંતન નહિ થઈ શકે. દા.ત.
જીવનું ચિંતન કરવું એમાં જીવ સ્વભાવથી જ્ઞાન દર્શન-અરૂપિતા આદિ ગુણવાળો છે, ચૌદ રાજલકમાં ભટકતો છે,’ વગેરે વગેરે વિચારી શકાય.
હવે આ ચિંતન જીવનું જોયભાવે કરવાનું છે. ન તો એ દ્રષ્ય તરીકે કે ન અનુરજ્ય તરીકે, અર્થાત્ જીવને દ્વેષ કે રાગ કોઈના ય વિષય તરીકે ન બનાવવા એવો છે. પરંતુ જો અહીં હૈયાની ખટક વિના કોઈના કોઈના પર દ્વેષ કરતા હોઈએ, યા કુટુંબી પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org