________________
ધ્યાન અને જીવન
ચોવીસ તીર્થંકરના નામનું ધ્યાન ઃ
જેવું આ અક્ષરનું ધ્યાન છે એવું આખા શબ્દનું ધ્યાન થઈ શકે. ચોવીસ
તીર્થંકર દેવનાં નામ તો આવડે છે ને ? બસ આંખ મીંચીને નવકારના અક્ષરની જેમ અહીં એકેક ભગવાનનું નામ નજર સામે લખેલું લાવવાનું અને તે મનોમન વાંચીને બોલવાનું, વાંચીને જ બોલવાનો નિયમ નહિ ભૂલવાનો. સ્ટેશનના પ્લેટફોર્મ પરના પાટિયા પર ગામનું નામ કેવું સાફ અને મોટું દેખાય છે ? એવું અહીં પ્રભુનું નામ દેખાય. પહેલા ભગવાનનું નામ ‘ઋષભદેવ' જોવાઈ અને વંચાઈ-બોલાઈ ગયું કે તરત એ અલોપ-અદૃશ્ય થઈ જઈ બીજા ભગવાનનું નામ ‘અજિતનાથ’ નજર સામે દેખાય. એ વાંચીને બોલ્યા કે તરત ત્રીજા પ્રભુજીનું ‘સંભવનાથ' નામ આવે. એમ આગળ વધતાં કદાચ બીજો વિચાર આવી ગયો તો પાછું પહેલેથી શરૂ કરવાનું. પહેલે દિવસે ભલે થોડા નામનું એક ધારાએ એકાગ્ર ધ્યાન થાય, પરંતુ રીત આ. પછી આગળ વધતાં તો એકવાર ચોવીસ નામ પૂરાં થયાં કે તરત પહેલા નામથી વળી શરૂ થઈ જાય. એમ કરતાં કરતાં એકવાર ચોવીસી, બીજી વાર ચોવીસી, ત્રીજી વાર ચોવીસી... એમ ધ્યાનધારા વધવાની. તે યાવત્ સો-બસો-હજાર નામ ધ્યાવવાની વચમાં કોઈ બીજો વિચાર નહિ ઘૂસે.
૨૩
ત્યારે વહેલી પ્રભાતે વાતાવરણ શાંત અને શીતલ હોય એ વખતે પરમ તારક પરમ મંગળમય ચોવીસ તીર્થંકર ભગવાનનાં પવિત્ર મંગળનામ એકાગ્ર ધ્યાનથી યાદ કરાય એની આખા દિવસ અને આત્મા પર કેટલી સુંદર અસર પડે ?
નવકારમંત્રના ધ્યાનની બીજી રીત ઃ
એકસો આઠ નવકારજાપ માળા લીધા વિના, કે આંગળીના વેઢા ૫૨ ગણ્યા વિના અને વળી એકાગ્રતાથી કરવા માટે, આ એક રીત છે -
Jain Education International
સમવસરણ પર જાપ :
ત્રિલોકનાથ ભગવાન તીર્થંકર દેવના સમવસરણનું ચિત્ર તો જોયું હશે. સમવસરણ ગોળ પણ હોય છે અને ચોખંડું ય હોય છે. એમાં નીચે મોટા ગઢ ૫૨ નાનો ગઢ અને એના પર એથી ય નાનો ગઢ હોય છે. આપણે ચોખંડા સમવસરણના આ ત્રણ ગઢની દિવાલ-રેખાઓનો ઉપયોગ કરવાનો છે. દરેક ગઢને ચાર-ચાર દિવાલ, ને દરેક દિવાલમાં વચ્ચે પ્રવેશદ્વાર હોય છે. એની રેખાઓ આ પ્રમાણે બને –
For Private & Personal Use Only
www.jainelibrary.org