________________
ર
જાપમાં બીજા વિચાર કેમ અટકે ? :
ધ્યાન અને જીવન
પ્ર. બીજા વિચારો શી રીતે રોકાય ? એના તો, નવકાર સ્મરણ જાપ
વગેરે વખતે, ધાડાં છુટે છે, કેમ જાણે અત્યારે એને બહુ ફુરસદ મળી !
1
ઉ. - એવું થાય, પણ ક્યાં ? જ્યાં એકલું સ્મરણ કરીને કે બોલીને જાપ કરવાનો હોય ત્યાં. પરંતુ અહીં તો સામે તે તે અક્ષર જાણે લખાયેલો વાંચવાનો છે. એ પણ અખંડ ઘાટિલો સફેદ અક્ષર વાંચવાનો છે. વાંચવાની ચીજ એવી છે કે મન એમાં પરોવવું પડે છે. એ વાંચવા તરફ ધ્યાન રહે એટલે બીજો વિચાર આવવાને જગા જ ન રહે. એક બરાબર વંચાયો કે તરત એ અલોપ થઈ ત્યાં બીજો અક્ષર આવ્યો જ છે. એ વંચાયો કે તરત ત્રીજો અક્ષર આવ્યો જ છે. મન બરાબર આ વાંચવામાં લાગી જાય ત્યાં બીજા વિચારને સ્થાન જ ક્યાં મળે ? અને એવો નિયમ રાખવાનો કે જો બીજો કોઈ વિચાર આવ્યો, તો ફરીથી પહેલેથી ન...મો...અ... વગેરે શરૂ કરવાનું. આમાં લાભ એ થશે કે પહેલાં બીજો વિચાર ઘુસી ગયો હતો, એટલે હવે અહીં એ ન ઘુસે એ માટે વધારે ચીવટ રહેશે. પ્રારંભિક પ્રયાસમાં ભલે બે-ત્રણ-ચાર વાર ફરી ફરી શરૂ કરવું પડે, પણ કંટાળવું નહિ. શરૂમાં આખો નવકાર પૂરો ન થાય તો પહેલા પાંચ જ પદ ધારજો. પરંતુ અભ્યાસ એકાગ્ર ધ્યાનનો કરવાનું લક્ષ રાખવાનું. એટલું જોજો કે, અક્ષર પહેલા બોલીને પછી એ વાંચવાનો નહિ, પરંતુ પહેલા તે તે અક્ષરને પ્રગટેલો વાંચી પછી તરત આંતર જલ્પ થાય, યાને અંદરમાં બોલવાનું થાય. મનથી એમને એમ બોલવાની વસ્તુ એવી છે કે નવકાર બહુ રટાઈ ગયેલો હોવાથી એમ જ સહેજે બોલાઈ જાય છે. પછી એમાં બીજો વિચાર પણ આવે તો ય એ બોલાઈ જાય છે. પરંતુ જો લખેલું વાંચીને બોલવાનું હોય તો મન પહેલાં એ લખેલામાં અને વાંચવામાં પરોવવું પડે છે. તેથી ત્યાં બીજા વિચારને તક મળતી નથી. કોઈનો કાગળ વાંચવામાં મન તન્મય થાય છે ને ? વાંચતી વખતે બીજો વિચાર નથી આવતો.
-
લોગસ્સ નમુન્થુણં’ નું ધ્યાન ઃ
આવું ‘લોગસ્સ' અને ‘નમુન્થુણં' સૂત્રનું ધ્યાન થઈ શકે. અલબત્ત પહેલાં તો નવકારનું ધ્યાન ખૂબ અભ્યાસમાં લાવવાનું, તે એક ધારાએ બે-ત્રણ-ચાર-પાંચ નવકારનું ધ્યાન સળંગ ચાલે એ રીતે, જેથી એમાં કેળવાયેલા મન દ્વારા ‘લોગસ્સ’ સૂત્ર મોટું હોવાથી એના એકેક અક્ષરનું ધ્યાન, ઠેઠ સૂત્ર પૂર્ણ થાય ત્યાં સુધી, બીજા વિચાર વિના અખંડ ચાલે. એટલું ખ્યાલમાં રાખવાનું કે બે અક્ષર સામટા ન દેખાઈ જાય, નહિતર એમાં ઉતાવળ થવાથી મનની તેવી સ્થિરતા નહિ કેળવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org