________________
ધ્યાન અને જીવન - છે કે સૂતાં કે જાગતાં, ઘરની બહાર નીકળતાં કે પેસતાં, ખાતાં કે પીતાં, યાવત્ કોઈ પણ કાર્યના પ્રારંભે અરિહંત-નમસ્કાર યાદ કરવાનો. એનાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે. કામ સંસારના છે છતાં જો અરિહંત-નમસ્કારથી ચિત્ત-વિશુદ્ધિ કરીને કરવા ગયા તો મન કોમળ રહેશે, પાપ તીવ્ર ભાવે નહિ થાય. ત્યારે સમ્યગ્દર્શન યાને સમ્યક્ત પામ્યા પહેલાનું આ લક્ષણ છે કે “તીવ્ર ભાવે પાપ ન કરે, ઘોર સંસાર પર બહુમાન ન ધરે, સર્વત્ર ઔચિત્ય સાચવે.” તો પાપાચરણમાં મનની તીવ્રતા કઠોરતા કેમ અટકે ? કોમળતા કેમ આવે ? મનમાં કાંઈક વિશુદ્ધિ આવવાથી. એ અરિહંતને ચિત્તમાં લાવવાથી થાય.
ચિત્ત-વિશુદ્ધિ લાવવાનું મહાન સાધન અરિહંત-નમસ્કાર, કેમકે અરિહંત વીતરાગ છે, અનંતજ્ઞાની છે, જગદુદ્ધારક છે.
એટલે નિદ્રામાંથી જાગ્રત થતાં જ “નમો અરિહંતાણં' યા “અરિહંત' યાદ આવે. પછી શાસ્ત્ર વિધિ એ છે કે પથારીની બહાર નીકળી સ્વસ્થતાથી બેસી નમસ્કાર મહામંત્ર “નવકાર' ગણવાના. નવકારમાં પંચ પરમેષ્ઠિને નમસ્કાર છે. ને નમસ્કાર કરવા માટે વિનય પહેલો જોઈએ. તેથી પથારીની બહાર નીકળીને નમસ્કાર કરાય. પથારીમાં બેઠાં બેઠાં તો શેઠાઈ જેવું છે. એમાં વિનય ક્યાં સચવાય ? તો નમસ્કાર શાનો?
હવે નમસ્કાર-મહામંત્ર એકાગ્રતાથી ગણવા માટે, એટલે એના પર મનનું સ્થિર ધ્યાન લગાવવા સારું બે-ત્રણ રીત જોઈએ.
૪. નવકાર ધ્યાનની રીત
(૧) પહેલી રીત આ, કે નવકારના પ્રત્યેક અક્ષર પર મન લગાવી લગાવી ધ્યાન રખાય. એ રાખતાં ક્રમસર અક્ષર પછી અક્ષર બોલવાનો. આ ધ્યાન રાખવા માટે નજર સામે જાણે તે તે અક્ષર લખાયેલ દેખાય. દા.ત.
ન...મો. અ...રિ...હં...તા...” એક વખતે જે અક્ષર બોલીએ તે જ અક્ષર જેવાનો. એક પદના અક્ષર પૂરા થાય પછી તરત જ બીજા પદના અક્ષર ચાલુ થાય. આખા નવકારના અક્ષરો એક ધારાએ પૂરા થાય. એમાં વચમાં એક પણ બીજો વિચાર આવે નહિ, સિવાય કે આ અક્ષરનું ધ્યાન. આમ ભલે એક જ નવકાર યાદ કરો, એમાં બીજા વિચાર નહિ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org